ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર, સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે

author img

By

Published : Sep 26, 2021, 12:36 PM IST

ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર

ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાનો કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશથી કેનેડા પહોંચી રહ્યા હતા, જેના કારણે તેમને હેરાન થવું પડતું હતું અને સાથે જ ટિકીટ માટે ડબલ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા.જોકે હવે સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થઇ રહી છે.

  • ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર
  • ભારત-કેનેડાની સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ
  • 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી

નવી દિલ્હી : કોરોનાના કારણે સમગ્ર દુનિયા પર અસર થઇ છે. તેમાં ખાસ કરીને દરેક દેશોએ પોતાની બોર્ડર્સને લઇને જે કડક નિયંત્રણો લગાવ્યા હતા.જેના કારણે ભારતના વિદ્યાર્થીઓ કે જેઓ વિદેશમાં ભણવા જવા માંગતા હોય તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા બાદ ઘણા બધા દેશોએ ભારતથી સીધી ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી. આ દેશોમાં કેનેડા પણ સામેલ છે. ભારત અને સમગ્ર એશિયામાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે. ફ્લાઇટ્સ પર બેન હોવાના કારણે તેમને ભારે મુસિબતનો સામનો કરવો પડતો હતો.

કેનેડાએ આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદ્યો હતો

કેનેડાએ લગભગ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેનેડાએ આ વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદ્યો હતો. તે સમયે ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું હતું. એરલાઇન પ્રદાતા કેનેડા એર સોમવારથી બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે. તે જ સમયે, ભારતની સરકારી કંપની એર ઇન્ડિયા 30 સપ્ટેમ્બરથી તેની ફ્લાઇટ શરૂ કરી શકે છે.


કોરોના વાયરસના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી

ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વીટ કર્યું કે, 27 સપ્ટેમ્બરથી ભારતથી આવતી સીધી ફ્લાઇટ્સ કેનેડામાં ઉતરી શકે છે. જો કે, જાહેર સલામતીના વધારાના પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે મુસાફરી કરનારાઓએ દિલ્હી એરપોર્ટ પર માન્ય લેબમાંથી કોરોના વાયરસના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ અહેવાલ વિમાનની ઉડાનના 18 કલાકની અંદર જારી થવો જોઈએ.

આ પણ વાંચો : Mann Ki Baat : " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

QR કોડ રિપોર્ટ એરલાઈનને બતાવવો પડશે

કેનેડિયન સરકારની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે કેનેડા જતા મુસાફરોએ વિમાનમાં ચડતા પહેલા લેબ દ્વારા જારી કરાયેલ QR કોડ રિપોર્ટ એરલાઈનને બતાવવો પડશે. તે જણાવે છે કે જેઓ અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ માન્ય લેબમાંથી પોઝિટિવ રિપોર્ટ આપવો પડશે. આ સેમ્પલ કલેક્શન કેનેડિયન સુનિશ્ચિત પ્રસ્થાનના સમયથી 14 થી 180 દિવસની વચ્ચે હોવો જોઈએ.

આ પણ વાંચો : Cyclone Gulab : ઓરીસ્સા અને આંધ્ર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને મળી રાહત

ભારત-કેનેડા વચ્ચે સીધી ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાનો કારણે વિદ્યાર્થીઓ અન્ય દેશથી કેનેડા પહોંચી રહ્યા હતા જેના કારણે તેમને હેરાન થવુ પડતુ હતુ અને સાથે જ ટિકીટ માટે ડબલ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા પરંતુ હવે ફરીથી વિમાન સેવા શરૂ થતા આ વિદ્યાર્થીઓને ચોક્કસ રાહત મળશે. આ સાથે જ કેનેડામાં રહેતા ભારતીયોને સરળતા રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.