ETV Bharat / bharat

Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગાને ફરી જવુ પડશે જેલમાં ?

author img

By

Published : May 8, 2022, 7:58 AM IST

Updated : May 8, 2022, 8:33 AM IST

એપ્રિલમાં મોહાલીના એક પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા તેજિન્દર (Tejinder Bagga arrest case ) પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ, દુશ્મનાવટ ફેલાવવા અને ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો (tajinder singh bagga new summons of arresting) હતો. આ પછી પંજાબ પોલીસે શુક્રવારે સવારે બીજેપી નેતાની દિલ્હીના જનકપુરી સ્થિત તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. પોલીસ તેને સડક માર્ગે પંજાબ લઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં તેને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં (punjab and haryana high court ) અટકાવ્યો અને થોડા કલાકો પછી દિલ્હી પોલીસ બગ્ગાને પાછો લઈ આવી.

Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગા ફરી જશે જેલમાં?
Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગા ફરી જશે જેલમાં?

ચંદીગઢ: ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હી એકમના નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ફરી ધરપકડ થવાનું જોખમ (tajinder singh bagga new summons of arresting) છે કારણ કે પંજાબના મોહાલીની એક અદાલતે શનિવારે એપ્રિલમાં નોંધાયેલા કેસમાં ભાજપના નેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવતેશ ઇન્દ્રજીત સિંહની કોર્ટે બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે.

હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં અટકાવ્યો: ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસે શુક્રવારે સવારે દિલ્હીના જનકપુરી નિવાસસ્થાનેથી બીજેપી નેતાની ઉશ્કેરણીજનક ભાષણ, દુશ્મનાવટ ફેલાવવા અને બગ્ગા વિરુદ્ધ એપ્રિલમાં મોહાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહિત ધમકીના સંબંધમાં ધરપકડ કરી (punjab and haryana high court ) હતી. પોલીસ તેને સડક માર્ગે પંજાબ લઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં તેને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં અટકાવ્યો અને થોડા કલાકો પછી દિલ્હી પોલીસ બગ્ગાને પાછો લઈ આવી.

Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગા ફરી જશે જેલમાં?
Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગા ફરી જશે જેલમાં?

આ પણ વાંચો: BJP નેતા બગ્ગાની આજે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી, જાણો ક્યાં પહોંચી કાર્યવાહી

તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ: રાજ્ય ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીને નિર્દેશ આપતા મેજિસ્ટ્રેટે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, 'તેજિન્દર પાલ સિંહ બગ્ગા, પુત્ર પ્રીતપાલ સિંહ, સરનામું B-1 પર ભારતીય દંડ સંહિતાની કલમ 153-A /170, જનકપુરી, દિલ્હી, 505, 505(2) અને 506 હેઠળ શિક્ષાપાત્ર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તમને તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને મારી સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અપહરણનો કેસ: આ કેસની આગામી સુનાવણી 23 મેના રોજ થવાની છે. બગ્ગાની ધરપકડ અને શુક્રવારે દિલ્હી પરત ફરવાની સમગ્ર ઘટનાના સંબંધમાં, દિલ્હી પોલીસે શુક્રવારે ભાજપના નેતાના પિતા પ્રીતપાલ સિંહની ફરિયાદ પર અપહરણનો કેસ નોંધ્યો છે. પ્રીતપાલ સિંહે તહરિરમાં આરોપ લગાવ્યો હતો કે સવારે 8 વાગ્યાની આસપાસ "કેટલાક લોકો" તેમના ઘરે આવ્યા અને તેમના પુત્રને ઉપાડી ગયા. શુક્રવારે, પંજાબ, હરિયાણા અને દિલ્હી, ત્રણ રાજ્યોની પોલીસ બગ્ગાની ધરપકડ અને દિલ્હી પરત ફરવાના સમગ્ર નાટકીય વિકાસમાં સામેલ હતી.

કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન: નોંધનીય છે કે એપ્રિલમાં પંજાબ પોલીસે બગ્ગા વિરુદ્ધ ભડકાઉ ભાષણો કરવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ધમકી આપવા બદલ FIR નોંધી હતી. આ કેસ મોહાલીના રહેવાસી AAP નેતા સની અહલુવાલિયાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. 31 માર્ચના નિવેદન માટે બગ્ગા વિરુદ્ધ 1 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. 31 માર્ચે, બગ્ગા ભાજપ યુવા મોરચા સાથે મળીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બે અરજી દાખલ: તેમજ દિવસની શરૂઆતમાં, પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બે અરજી દાખલ કરી, જેમાં કેન્દ્રને બગ્ગાની ધરપકડમાં પક્ષકાર બનવા અને દિલ્હીના જનકપુરીના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સાચવવા વિનંતી કરી. અને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાને 6 મેના રોજ આપવામાં આવી છે. પંજાબ સરકારે આરોપ લગાવ્યો છે કે ગયા મહિને મોહાલીમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં બગ્ગાની ધરપકડ કરવા આવેલી રાજ્ય પોલીસની ટીમને જનકપુરી અને કુરુક્ષેત્ર પોલીસ સ્ટેશનમાં "બંધક" રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: Bagga Return: બગ્ગા અંગે દિવસભર રમાયું હાઈપ્રોફાઈલ ડ્રામા, જાણો 17 પોઈન્ટમાં ક્યારે શું થયું ?

પંજાબ સરકારની બે અરજી: દિલ્હી પોલીસ તરફથી હાજર થયેલા ભારતના એડિશનલ સોલિસિટર જનરલ સત્યપાલ જૈને શનિવારે જણાવ્યું હતું કે, "કોર્ટે નોટિસ જારી કરીને જવાબો માંગ્યા બાદ તેઓએ (પંજાબ સરકાર) બે અરજીઓ આપી છે." પંજાબ સરકારની બે અરજીમાંથી એકમાં ભારત સરકાર અને દિલ્હી પોલીસ કમિશનરને પક્ષકાર બનવા વિનંતી કરવામાં આવી છે. બીજી અરજીમાં દિલ્હીના જનકપુરી પોલીસ સ્ટેશન અને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પીપલી અને સદર પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Last Updated :May 8, 2022, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.