ETV Bharat / bharat

Opposition Unity: નીતિશ વિપક્ષી એકતાના અભિયાનમાં વ્યસ્ત, શું મમતા-અખિલેશને કોંગ્રેસ સાથે જોડી શકશે?

author img

By

Published : Apr 24, 2023, 3:58 PM IST

Opposition Unity
Opposition Unity

બિહારના CM નીતિશ કુમારે વિપક્ષી એકતાને એક મંચ પર લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. નીતિશ કુમારે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ પછી લખનઉ જઈને અખિલેશ યાદવને મળશે. પરંતુ મોટો સવાલ એ છે કે શું મમતા બેનર્જી અને અખિલેશ યાદવને કોંગ્રેસ સાથે લાવવાનો નીતિશ કુમારનો પ્રયાસ સફળ થશે?

પટનાઃ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની નજર દેશની રાજનીતિ પર છે. નીતીશ કુમાર સતત વિપક્ષોને ભાજપ વિરુદ્ધ એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેઓ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળ્યા છે. નીતીશ કુમાર સામે સૌથી મોટો પડકાર આ બંનેને કોંગ્રેસ સાથે લાવવાનો છે. TMC, SPની સાથે સાથે અન્ય ઘણા વિરોધ પક્ષો છે જે દેશમાં બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી સરકારના પક્ષમાં છે. આવી સ્થિતિમાં આ બંનેને મનાવવા નીતીશ માટે આસાન નહીં હોય.

  • We have held talks, especially about the coming together of all parties and making all preparations ahead of the upcoming Parliament elections. Whatever will be done next, will be done in the nation's interest. Those who are ruling now, have nothing to do. They are just doing… pic.twitter.com/FOm0DMN434

    — ANI (@ANI) April 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

“હવે ખબર નથી, શું તેઓ (ભાજપ) ઈતિહાસ બદલશે કે શું કરશે? દરેક વ્યક્તિએ સાવધાન રહેવું પડશે એટલા માટે અમે દરેક સાથે વાત કરી રહ્યા છીએ. અમે ખૂબ જ સારી વાત કરી છે. જરૂરિયાત મુજબ, અમે ભવિષ્યમાં અન્ય પક્ષોને સાથે લાવીને વાતચીત કરીશું.'' - નીતિશ કુમાર, મુખ્યપ્રધાન, બિહાર

CM નીતીશનો સૌથી મોટો પડકારઃ અહીં એ પણ જણાવવું જરૂરી છે કે એક તરફ નીતિશ પ્રાદેશિક પક્ષોને સાથે લાવવાની વકાલત કરી રહ્યા છે જેથી કરીને ભાજપ મુક્ત ભારત બની શકે. બીજી તરફ મમતા બેનર્જી અને અખિલેશ યાદવ ભાજપ મુક્ત ભારત ઈચ્છે છે પરંતુ તે માટે કોંગ્રેસ સાથે જવા તૈયાર નથી. ગયા મહિને અખિલેશ યાદવ કાલીઘાટમાં મમતા બેનર્જીને મળ્યા હતા. આ દરમિયાન બંનેએ પ્રાદેશિક પક્ષોની એકતા લાવવાની હિમાયત કરી હતી. આ સાથે કોંગ્રેસથી અંતર રાખવાની સમજૂતી પણ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું સીએમ નીતિશ અને તેજસ્વી દીદીને મનાવી શકશે.

"અમે સાથે મળીને આગળ વધીશું. અમારો કોઈ વ્યક્તિગત અહંકાર નથી, અમે સામૂહિક રીતે કામ કરવા માંગીએ છીએ. મેં નીતીશ કુમારને એક જ વિનંતી કરી છે. જયપ્રકાશ જીનું આંદોલન બિહારથી શરૂ થયું હતું. જો અમે બિહારમાં સર્વપક્ષીય બેઠક યોજીએ તો અમે નક્કી કરી શકીએ કે આગળ ક્યાં જવું છે. પણ પહેલા આપણે એક છીએ એ સંદેશ આપવો પડશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે મને કોઈ વાંધો નથી. હું ઈચ્છું છું કે ભાજપ શૂન્ય થઈ જાય. મીડિયા અને જુઠ્ઠાણાના સમર્થનથી તેઓ મોટા હીરો બની ગયા છે." - મમતા બેનર્જી, મુખ્યપ્રધાન, પશ્ચિમ બંગાળ

આ પણ વાંચો: Kerala Congress: કોંગ્રેસના નેતા કેટી થોમસે ભાજપનો ખેસ પહેર્યો, રાજકારણ ગરમાયું

શું દીદી કોંગ્રેસ સાથે આવશે?: માત્ર મમતા બેનર્જી કે અખિલેશ યાદવ જ નહીં પરંતુ અન્ય ઘણા નેતાઓ છે જે કોંગ્રેસ સાથે જવાના પક્ષમાં નથી. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના સીએમ કેસીઆરના નામ સામેલ છે. દેશમાં વિપક્ષી એકતા લાવવાનો સ્ક્રૂ અટવાઈ રહ્યો છે. પરંતુ એ વાતને પણ નકારી શકાય નહીં કે નીતિશ કુમાર તેમની રાજકીય કુશળતાથી ઘણી વખત તમામ અટકળોને નિષ્ફળ કરે છે. ભૂતકાળમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ આ વાતને બળ મળ્યું છે. આ પહેલા નીતિશ દિલ્હીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સીતારામ યેચુરી, ડી રાજા સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓને પણ મળ્યા હતા.

આ પણ વાંચો: Modi surname case: પટના હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત, મોદી સરનેમ કેસમાં હાજરીમાંથી મુક્તિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.