ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી: CM રૂપાણીએ જનસભાને કર્યું સંબોધન

author img

By

Published : Jan 29, 2020, 11:23 PM IST

Updated : Jan 29, 2020, 11:35 PM IST

દિલ્હી વિધાનસભામાં સત્તામાં પરત ફરવા ભારતીય જનતા પાર્ટી કોઈ કસર બાકી છોડવા માગતી નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવામાં લાગ્યા છે. જેમાં દિલ્હી ભાજપના નેતાઓ સિવાય ભાજપ શાસિત અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનોએ પણ પ્રચારમાં જંપલાવ્યું છે.

Delhi Election
દિલ્હી ચૂંટણી

નવી દિલ્હી: ચાંદની ચોક લોકસભા ક્ષેત્રમાં આવેલી સદર બજાર વિધાનસભા બેઠક દિલ્હી વિધાનસભા બેઠકોમાંની એક મહત્વપૂર્ણ બેઠક છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ જયપ્રકાશની નિમણૂંક કરી છે. જયપ્રકાશે 2008 અને 2013માં પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમનું ભાગ્ય અજમાવ્યું હતું. પરંતુ બંને ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી ચૂંટણી: સીએમ રુપાણીએ જનસભાને કર્યું સંબોધન

આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સદર બજાર વિધાનસભા બેઠક પરથી જયપ્રકાશને જીતવા માટે કોઈ કસર છોડવા માગતી નથી. બુધવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર જયપ્રકાશના પ્રચાર માટે દિલ્હી સદર બજાર વિધાનસભા બેઠક પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધન કર્યું હતું અને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.

જનસભાને સંબોધન કરતાં વિજય રૂપાણીએ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં, અને કહ્યું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને પીવાનું શુદ્ઘ પાણી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે દિલ્હીવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. ગંદા પાણીને સાફ કરવાની જવાબદારી દિલ્હી સરકારની હતી, જે પૂરી કરવામાં આવી નથી.

રૂપાણીએ કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ કમળનું બટન એવી રીતે દબાવવાનું છે કે શાહીન બાગમાં ધરણાં પર બેઠેલા લોકો ઉભા થઈને ભાગી જાય. તેમણે કહ્યું કે, આ લડાઈ દેશપ્રેમીઓ અને દેશને તોડનારા લોકો વચ્ચેની છે.

Intro:दिल्ली में वनवास खत्म करने के लिए भारतीय जनता पार्टी प्रचार प्रसार में कोई कसर नहीं छोड़ रही है. दिल्ली विधानसभा चुनाव में अब कम समय बाकी है, ऐसे में भाजपा के तमाम दिग्गज नेता जमीनी स्तर पर भाजपा प्रत्याशियों के लिए वोट मांगते नजर आ रहे हैं. केवल दिल्ली ही नहीं बल्कि विभिन्न राज्यों के मुख्यमंत्री और पूर्व मुख्यमंत्री दिल्ली में जनसभाएं कर रहे हैं.




Body:चांदनी चौक लोकसभा क्षेत्र में स्थित सदर बाजार विधानसभा को दिल्ली के 70 विधानसभा सीटों में से महत्वपूर्ण विधानसभा माना जाता है. भारतीय जनता पार्टी ने यहां से उत्तरी दिल्ली नगर निगम की स्टैंडिंग कमेटी के अध्यक्ष जयप्रकाश को अपना उम्मीदवार बनाया है. जयप्रकाश 2008 और 2013 में भी दिल्ली विधानसभा चुनाव में अपनी किस्मत आजमा चुके हैं लेकिन दोनों चुनाव में उन्हें हार का सामना करना पड़ा.

भारतीय जनता पार्टी इस बार सदर बाजार विधानसभा सीट से जयप्रकाश को जिताने के लिए कोई कसर छोड़ती नजर नहीं आ रही है.

बुधवार को सदर बाजार विधानसभा सीट से भाजपा प्रत्याशी जयप्रकाश के लिए चुनाव प्रचार करने गुजरात के मुख्यमंत्री विजय रुपानी पहुंचे इस दौरान उन्होंने जनसभा को संबोधित किया और जनता से भाजपा को वोट देने की अपील की.

जनसभा को संबोधित करते हुए विजय रुपानी ने केजरीवाल सरकार पर जमकर हमला बोला, उन्होंने कहा कि अरविंद केजरीवाल ने दिल्ली वासियों को साफ पानी मुहैया कराने का वादा किया था लेकिन आज दिल्लीवासी गंदे पानी की समस्या से जूझ रहे हैं. गंदे पानी को साफ करने की जिम्मेदारी दिल्ली सरकार की थी जिसको पूरा नहीं किया गया.




Conclusion:उन्होंने कहा कि 8 फरवरी को कमल का बटन ऐसे दबाना है कि शाहीन बाग में बैठे हुए लोग उठ कर भाग जाएं, यह लड़ाई देशभक्त और देश को तोड़ने वालों के बीच में है.
Last Updated :Jan 29, 2020, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.