ETV Bharat / bharat

ચીને કહ્યું - ભારત સાથે સરહદ વિવાદના સમાધાન માટે પ્રતિબદ્ધ

author img

By

Published : Jun 5, 2020, 8:55 PM IST

ચીને કહ્યું - ભારત સાથે સરહદ વિવાદના સમાધાન માટે પ્રતિબદ્ધ
ચીને કહ્યું - ભારત સાથે સરહદ વિવાદના સમાધાન માટે પ્રતિબદ્ધ

ભારત અને ચીન વચ્ચેની LOC પર તનાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ચીને સૈન્ય વાતચીત પહેલા કહ્યું હતું કે, તે ભારત સાથેની સરહદ વિવાદને યોગ્ય રીતે ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.

બેજિંગ: શનિવારે ભારત અને ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચેની નિર્ણાયક વાતચીત થઇ હતી. ચીને શુક્રવારે કહ્યું હતું કે તે સરહદ વિવાદને સમાપ્ત કરવા માટે ભારત સાથેના 'સંબંધિત મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવા માટે કટિબદ્ધ છે. .

શનિવારે ભારત અને ચીની સૈન્ય વચ્ચેની પ્રથમ વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં એક મહિનાથી ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવા માટે બંને પક્ષો વચ્ચે વિશેષ ચર્ચા થવાની સંભાવના છે. બંને પક્ષોનું નેતૃત્વ બંને દેશોની સૈન્યના લેફ્ટનન્ટ જનરલ કરશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ ક્ષણે ચીન અને ભારત વચ્ચેના સરહદી વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણ છે. 'તેમણે કહ્યું, "અમારી પાસે સરહદ સંબંધિત સંપૂર્ણ વિકસિત સિસ્ટમ છે અને અમે લશ્કરી સાથે સંવાદ જાળવી રહ્યા છીએ."

નવી દિલ્હીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, લેહના 14 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ, સરહદ બેઠક સ્થળ પર યોજાનારી વાર્તામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે.તે પણ સમજી શકાય છે કે, 2017 ના ડોકલામ વિવાદ પછી, બંને પક્ષ સામ-સામેની લડાઇ હલ કરવા માટે રાજદ્વારી ચર્ચા પણ કરી રહ્યા છે, જે બંને સૈન્ય વચ્ચેના સૌથી ગંભીર લશ્કરી વિવાદનું સ્વરૂપ લઈ રહ્યું છે.

ગયા મહિને શરૂઆતમાં વિવાદ શરૂ થયા પછી, ભારતીય સૈન્યના નેતૃત્વએ નિર્ણય લીધો હતો કે તે ભારતીય સૈન્ય પેનગોંગ ત્સો, ગાલવાન વેલી, ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિના તમામ વિવાદિત વિસ્તારોમાં ચીની સૈન્યના આક્રમક પગલા પર કડક પગલા ભરશે.

એવું માનવામાં આવે છે કે ચીની સેનાએ પેનગોંગ ત્સો અને ગેલવાન ખીણમાં આશરે 2500 સૈનિકોને તૈનાત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.