બે વર્ષ બાદ નીંદડ ગામમાં ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે ફરી એકવાર જમીનમાં સમાધિ લેવાનું શરૂ કરી દીધું છે. નગેન્દ્રસિંહ શેખાવતની આગેવાનીમાં આ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યાં છે. નગેન્દ્રસિંહે વહેલી સવારે સમાધિ લીધી. તો મોડી રાત સુધી 4 ખેડૂતોએ પણ સમાધિ લીધી. હવે તો ગામના બાળકો અને મહિલાઓ પણ સમાધિ સ્થળે પહોંચી આંદોલન કરી રહ્યાં છે. મહિલાઓનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની જમીન અંગે સરકાર નિર્ણય નહીં કરે, ત્યાં સુધી આખુ ગામ લડત ચલાવશે.
ભાજપ સરકાર સમયથી આ લડત ચાલતી આવી છે. સરકારે આશ્વાસન આપ્યાના 2 વર્ષ પૂર્ણ થવાં છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતો ફરી વિરોધમાં આવી ગયા છે.