મુંબઈઃ RBIએ આ વખતે મધ્યમ વર્ગને ફટકો આપ્યો છે. આ વખતે રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી 5.15 ટકા યથાવત રહ્યો છે. મૌદ્રિક નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક બાદ RBIએ ગુરુવારે આ જાહેરાત કરી હતી. ડિસેમ્બરની બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યાં હતાં. આ પહેલા સતત 5 વખત ઘટાડો કરતા રેપો રેટમાં 1.35 ટકા કાપ મૂકવામાં આવ્યો હતો.
ડિસેમ્બરની બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. આ પહેલા સતત 5 વખત ઘટાડો કરતા રેપો રેટમાં 1.35 ટકા કાપ મૂકવામાં આવ્યો હતો. RBI ગુરૂવારના રોજ નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી, ત્યારે આર્થિક વિકાસ 2020-21માં 6 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.
દેશનું અર્થતંત્ર ખુબ જ નબળુ છે, પરંતુ અમુક નિર્ણયના કારણે તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે વ્યાપક સ્તરે હજુ પણ તેજી આવાની બાકી છે. વૃદ્ધિદરની સરખામણીમાં વધતી મોધવારીને જોતા RBIને લાગે છે કે, આ વ્યાજદર યથાવત રાખવા જોઇએ.