ETV Bharat / bharat

ભારતીય સેનાના ફાયરિંગમાં અમારા 4 નાગરિકો માર્યા ગયા: પાક આર્મી

author img

By

Published : Jun 18, 2020, 4:24 PM IST

ભારત
ભારત

ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા (LOC) પર કરવામાં આવેલા કથિત ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા છે. એવો પાકિસ્તાની સેનાએ આક્ષેપ કર્યો છે. પાકિસ્તાન આર્મીનું કહેવું છે કે, ભારતીય સેનાએ કોઈ પણ ઉશ્કેરણી કર્યા વિના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

ઇસ્લામાબાદ: પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા (LOC) પર કથિત ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે.

પાકિસ્તાની સશસ્ત્ર દળના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું હતું કે, ભારત તરફથી ફાયરિંગ કરવામાં આવતા નિયંત્રણ રેખા નજીક નિકિયાલ અને બગસર સેક્ટરમાં સ્થાનિક નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને નિયંત્રણ રેખા નજીક નિકિયાલ અને બગસર સેક્ટરમાં નાગરિકોને નિશાન બનાવ્યા.

મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું કે, આ ફાયરિંગમાં એક મહિલા સહિત ચાર નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય એક નાગરિક ઘાયલ છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ પણ ભારતીય ગોળીબારનો જવાબ આપ્યો હતો.

નિયંત્રણ રેખા પર ફાયરિંગ કરીને પાકિસ્તાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ, જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના રામપુર સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) ની બાજુમાં પાક રેન્જર્સએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં એક 48 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને એક યુવતી ઘાયલ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.