ETV Bharat / bharat

કર્ણાટકઃ મંગળવારથી ચાલશે બસ, બધી ટ્રેનોને પરવાનગી, 4 રાજ્યોમાંથી લોકોને "નો એન્ટ્રી"

author img

By

Published : May 18, 2020, 3:35 PM IST

કર્ણાટકમાં 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડૂના લોકોને એન્ટ્રી મળશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કરી હતી.

Etv Bharat, Gujarati News, CM BS Yediyurappa
CM BS Yediyurappa

બેંગ્લુરૂઃ રાજ્યમાં 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડૂના લોકોને એન્ટ્રી મળશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કરી હતી. લોકડાઉન 4 દરમિયાન મળનારી છૂટની માહિતી આપતા સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે, આ ચાર પ્રદેશોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે, જેથી આ રાજ્યના લોકોને અત્યારે પ્રદેશમાં એન્ટ્રી મળશે નહીં.

આ સાથે જ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, મંગળવાર, 19 મેથી રાજ્યમાં બસની સેવાઓ શરુ કરવામાં આવશે. બસમાં સફર કરવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવો ફરજીયાત રહેશ. આ સાથે જ બીજા પ્રદેશોથી આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. પ્રદેશમાં ઓટો-ટેક્સીની સેવા પણ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત સલુન પણ ખોલવામાં આવશે.

સમગ્ર પ્રદેશમાં રવિવારે લોકડાઉન રહેશે. એટલે કે, રવિવારે ન તો બસ ચાલશે અને ના તે કેબ. આ સાથે જ દુકાનો પણ ખુલશે નહીં. માત્ર આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 કલાક સુધી બધા જ પાર્ક ખોલવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારને છોડીને અન્ય વિસ્તારોમાં અવર-જવર કરી શકાશે.

જો કે, 31 મે સુધી જીમ ખોલવાની મંજૂરી મળી નથી. સોમવારે મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં પ્રધાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તમામ બસો, બધી દુકાનો ખોલવામાં આવશે અને રાજ્યમાં આવતી તમામ ટ્રેનોને મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.