ETV Bharat / bharat

કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો ઘરાવનાર દર્દીનું મોત, 18 ખાનગી હોસ્પિટલોને નોટિસ

author img

By

Published : Jul 2, 2020, 8:41 AM IST

Karnataka
કર્ણાટક

કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના લક્ષણો દર્શાવતા 52 વર્ષીય દર્દીના મોત થયું છે. જેથી 18 ખાનગી હોસ્પિટલોને સરકારે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે બેડની ઉપલબ્ધતા ન હોવાનું જણાવી દર્દીની ભરતી કરવાનો ઇનકાર કર્યો હતો.

બેંગ્લુરૂ: કર્ણાટકમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના લક્ષણો દર્શાવતા 52 વર્ષીય દર્દીના મોત થયું છે. જેથી 18 ખાનગી હોસ્પિટલોને સરકારે કારણદર્શક નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે બેડની ઉપલબ્ધતા ન હોવાનું જણાવી દર્દીની ભરતી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ અંગે સ્વાસ્થ્ય પ્રધાન બી શ્રીરામુલુએ કહ્યું હતું કે, સારવાર આપવાનો ઇનકાર માત્ર અમાનવીય જ નહીં, પણ ગેરકાયદેસર છે. પ્રધાને પોતાના ટ્વીટમાં નોટિસની એક કોપી પણ ટેગ કરી છે. ટ્વિટમાં કહ્યું કે, આપતિજનક સ્થિતિમાં દર્દીને ભરતી કરવાનો ઇનકાર કરતા મીડિયા સમાચારોની આપમેળે નોંધ લેતા હોસ્પિટલોને નોટિસ મોકલવામાં આવી છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.