જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંધન કર્યું, 1 જવાન શહીદ, 2 ઘાયલ

author img

By

Published : Jun 14, 2020, 12:41 PM IST

etv bharat

પાકિસ્તાની સૈનિકોએ ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. જમ્મૂ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન આર્મીના ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થયો છે. જ્યારે 2 જવાન ઘાયલ થવાની માહિતી મળી છે.

શ્રીનગર: પાકિસ્તાન સરહદ પર સતત નાપાક પ્રવૃત્તિ કરી રહ્યું છે. પાકિસ્તાન સૈનિકોએ ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કરણી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન આર્મીના ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થયો છે. જ્યારે 2 જવાન ઘાયલ થવાની માહિતી મળી છે. બારામૂલાના રામપુર સેક્ટરમાં પણ પાકિસ્તાન આર્મીએ સીઝફાયરનું ઉલ્લંધન કરતા ભારતીય ચોકીયોને નિશાન બનાવી ફાયરીંગ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.