ETV Bharat / bharat

શું  આટલી જાહેરાત પુરતી છે ?

author img

By

Published : May 21, 2020, 11:39 AM IST

શું  આટલી જાહેરાત પુરતી છે ?
શું  આટલી જાહેરાત પુરતી છે ?

અત્યારે એવો સમય છે કે દેશ કોરોના રોગચાળાને ખુબ જ મોટી આફતનો સામનો કરી રહ્યો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભાર ભારત' ના નામે દેશને ઉત્સાહિત કરવા માટે આર્થિક સુધારણાની જાહેરાત કરી હતી. ત્યારે ઘણા દેશો પણ કોરોના વાયરસને કારણે ઉત્પાદકતા , રોજગારી અને તમામ ક્ષેત્રો મંદીમાં ફસાયા છે. ત્યારે તે દેશોએ તેમની અર્થવ્યવસ્થાને પુનઃજીવીત કરવા માટે આર્થિક પેકેજોની કરી છે.હાલના સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે પેકેજમાં શુ હોવું જોઇએ. તેના પર દેશના વિવિધ રાજ્ય અને નિષ્ણાંતો દ્વારા સુચનો મંગાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કોવિડ 19ના સંકટને આત્મનિર્ભરતાની તકમાં પરિવર્તિત કરવા માટે રુપિયા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેમાં તેમણે પાંચ મહત્વના આધાર સ્તંભો વ્યવસાયિક , આર્થિક, માળખાગત, સંસ્થાકીય સુધારાઓ ન યુવા શક્તિને મજબુત અને માંગ પુરવઠાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા સુચિત પાંચ તબક્કાના પેકેજમાં આત્મનિર્ભતા માટેના સપનાઓ છે.પણ કોઇ સમસ્યાનો ઉકેલી નથી. રુ. 20.97 લાખ કરોડ જીપીડીના 10 ટકા ભંડોળનો ભાગ છે. તો આ જાહેરાતથી કેન્દ્રીય તિજોરી પર માત્ર 2.17 લાખ કરોડનો બોજો આવશે. બીજી નવાઇની વાત એ છે આર્થિક ક્ષેત્રના અનેક હિસ્સાઓને જાણે લકવો લાગી ગયો છે. તેવામાં એમએમએમઇ પર ખુબ નાણાં ગયા હતા. ત્યારે મોટા ઉદ્યોગોને સંપૂર્ણ રીતે ભુલી જવાયા છે. ત્યારે એ જોવાનું બાકી છે ત્યારે આ પ્રોત્સાહનથી 130 કરોડના પેકેજ દ્રા રા અંધકાર કઇ રીતે દુર કરે છે.

તાજેતરમાં એશિયન ડેવેલપમેન્ટ બેંકે ચેતવણી આપી હતી કે કોરોના અનેક યુધ્ધો જેવી સ્થિતિ કરતા પણ ખરાબ રીતે વધારે વિનાશ કરશે. જે વિશ્વની જીડીપીના 10 ટકા જટલો હશે અને 24.2 મિલિયન જેટલી નોકરીનો ભોગ લેશે.આમ અનેક મર્યાદાઓ હોવા છંતાય, કેન્દ્ર સરકારે કડક પગલા અમલમાં મુકીને ઉત્પાદન ક્ષેત્રે થનારા નુકસાનને અમુક હદ સુધી ઘટાડવાની આશામાં લોકડાઉનનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. તેણે મોટી કંપનીઓને રાહત આપવાને બદલે એમએસએમઇ માટે ધિરાણની વ્યવસ્થાને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. નીતિન ગડકરીનું કહેવુ છે કેન્દ્ર અને રાજ્ય સરકારો , પીએસયુ અને એમએસએમઇને 3 લાખ કરોડની બેંક લોન સુવિદ્યા માટે 100 ટકા જામીનમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલના નિર્ણાયક સમયને ધ્યાનમાં લેતા લોનની ચુકવણીની મુદ્દત વર્તમાન ચાર વર્ષને બદલે 10 વર્ષ કરી દેવી જોઇએ. કેન્દ્રએ ગરીબોના ખાતામા જમા કરેલા રુ. 33166 કરોડ તેમની જરુરિયાતોને એક અંશ પણ પુરો નથી કરી શકતા. દારુના વેચાણની પરવાનગી આપવાથી માત્ર થોડી જ આવક થઇ શકે છે. પરપ્રાંતિય મજુરો તેમના વતનમાં પરત ગયા હોવાથી કેન્દ્ર દ્વારા રોજગારીની બાંયધરીના કામો માટે રુ. 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉત્પાદકતા અન ધિરાણ સુવિદ્યા પર ધ્યાન કેન્દ્રીતત કરનાર નાણાં પ્રધાન સપ્લાય ચેઇન અન માગવૃધ્ધિને ભુલી ગયા છે. જો દેશને સ્વનિર્ભર લક્ષ્યોને હાંસલ કરવો હોય તો નીતિ નિર્ધારણ વધુ અસરકારક અને બહુઉપયોગી બનાવવાની જરુર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.