ETV Bharat / bharat

દિલ્હીમાં 24 કલાકમાં કોવિડ-19ના 1,404 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Aug 8, 2020, 8:01 PM IST

ETV BHARAT
દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,404 પોઝિટિવ કેસ નોંધાયા

શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1,404 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,130 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હીઃ શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કલાકના સમયમાં કોરોનાના નવા 1,404 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા અપડેટ મુજબ, 24 કલાકમાં 1,130 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 16 લોકોના મોત થયાં છે.

નવા નોંધાયેલા કેસના કારણે દિલ્હીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,44,127 થઇ છે. જેમાંથી 1,29,362 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ દિલ્હીમાં 10,667 સક્રિય કેસ છે અને 4,098 લોકોના મોત થયા છે. આ ઉપરાંત દિલ્હીમાં અત્યાર સુધી 11,68,295 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • 5500 RTPCR/CBNAAT/TrueNat tests and 19092 Rapid antigen tests conducted today. So far 1168295 tests have been conducted: Delhi Health Department https://t.co/Kkn3Uwvbyk

    — ANI (@ANI) August 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હીમાં શનિવારે કોરોના વાઇરસ સંક્રમણના 1,404 નવા કેસ સામે આવ્યા છે. જ્યારબાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1.44 લાખને પાર પહોંચી છે. શનિવારે દિલ્હી આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટિન મુજબ, ગત 24 કલાકમાં કોવિડ-19ના વધુ 16 દર્દીના મોત થયાં છે. જેથી કુલ મરનારા લોકોની સંખ્યા વધીને 4,098 થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.