ETV Bharat / bharat

COVID-19: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા

author img

By

Published : Aug 3, 2020, 10:45 PM IST

COVID-19: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ કોરોન્ટાઇન થયા
COVID-19: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ કોરોન્ટાઇન થયા

ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારના રોજ કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અંગે કહ્યું હતું. જેથી કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સેલ્ફ આઇસોલેટ થયા છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ સેલ્ફ આઇસોલેટ થયા છે. મળતી માહિતી પ્રમાણે રવિશંકર પ્રસાદમાં કોરોના વાઇરસના કોઇ પણ લક્ષણ નથી, આમ છતા તે સેલ્ફ આઇસોલેટ થયા છે. કારણ કે, રવિવારના રોજ ગૃહ પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા અગાઉ રવિશંકર પ્રસાદ તેમને મળ્યા હતા.

  • Friends! I’m absolutely fine. To follow protocol I hv isolated myself at home for few days as I had met Amit Shah Ji on Saturday evening for n official meeting. I’m working from home & following daily routine including Yoga & exercise.Also reading books & enjoying classical music

    — Ravi Shankar Prasad (@rsprasad) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારના રોજ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી ટ્વીટ કરી જણાવી હતી. જ્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.