ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: CM શિવરાજ સિંહે હોસ્પિટલમાં PM મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો

author img

By

Published : Jul 26, 2020, 3:09 PM IST

Updated : Jul 26, 2020, 3:20 PM IST

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણના રિપોર્ટ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં મોદીજીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણના રિપોર્ટ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં મોદીજીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમણે હોસ્પિટલમાં આજે પીએમ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો હતો.

ભોપાલ: મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમણે હોસ્પિટલમાં આજે પીએમ મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંભળ્યો હતો.

શિવરાજ સિંહ ચૌહાણને કોરોના રિપોર્ટ પઝિટિવ આવ્યા બાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને કોવિડ-19 હોસ્પિટલમાં પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. સાથે ડોક્ટરે સીએમ શિવરાજ સિંહ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, તમની તબિયત હાલ સારી છે. તેમના બધા રિપોર્ટ નોર્મલ છે.

આપને જણાવી દઈએ કે, શનિવારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની જાણકારી સીએમ શિવરાજ સિંહે પોતે ટ્વીટ કરીને આપી હતી. ત્યારબાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Last Updated :Jul 26, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.