ETV Bharat / bharat

AYODHYA RAM MANDIR : રામલલાની સેવા માટે કોઈ મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી, ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર ફરતા સમાચારને અફવા ગણાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 6:26 PM IST

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રામલલાની સેવા માટે સોશિયલ મીડિયા પર ફરતા મોહિત પાંડેના નામને અફવા ગણાવી હતી. ટ્રસ્ટે કહ્યું કે એ જ જૂના પૂજારીઓ રામલલાની સેવા કરશે.

Etv Bharat
Etv Bharat

અયોધ્યાઃ રામનગરીમાં બની રહેલા ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણથી લઈને 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર આવા ઘણા સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે, જેનો કોઈ આધાર નથી. આવો જ એક કિસ્સો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોહિત પાંડે નામના યુવકને રામ મંદિરનો પુજારી જણાવવામાં આવી રહ્યો છે. જ્યારે, ભગવાન રામના અસ્થાયી મંદિર અને 22 જાન્યુઆરીના રોજ નવનિર્મિત ગર્ભગૃહમાં કોઈ નવા પૂજારીની નિમણૂક કરવામાં આવશે નહીં. આમ છતાં સોશિયલ મીડિયા પર વિવિધ માધ્યમો દ્વારા ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. આ પછી ટ્રસ્ટે આ સમગ્ર મામલાની સત્યતા જણાવી હતી.

21 પ્રશિક્ષકોને આર્ચક તરીકે તાલીમ આપવામાં આવી રહી : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિ મહારાજે પહેલેથી જ કહ્યું છે કે જે 21 પ્રશિક્ષકોને આર્ચક તરીકે તાલીમ આપવામાં આવી રહી છે તેઓની તાલીમ બાદ તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ પછી, તેમને રામ મંદિર પરિસરમાં બનેલા 6 અલગ-અલગ મંદિરો અને દિવાલની બહાર બનેલા 6 મંદિરોમાં પૂજા માટે અર્ચકની જવાબદારી આપવામાં આવશે.

મોહિત પાંડે નામના વ્યક્તિને પૂજારી બનાવવાનો દાવો તદ્દન ખોટો : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ પણ કહ્યું કે, મોહિત પાંડે નામના વ્યક્તિને પૂજારી બનાવવાનો દાવો તદ્દન ખોટો છે. હજુ સુધી કોઈ પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી. રામ મંદિરમાં પૂજારી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાંથી 3000 લોકોએ અરજી કરી હતી. 300 લોકોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા અને તેમાં 21 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.

ઉમેદવારોને પસંદગી બાદ 6 મહિનાની તાલીમ આપવામાં આવશે : પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે 21 લોકોમાં મોહિત પાંડે નામનો વ્યક્તિ પણ સામેલ છે. આ ઉમેદવારોને પસંદગી બાદ 6 મહિનાની તાલીમ આપવામાં આવશે. આ પછી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં શ્રેષ્ઠ બટુકોને રામલલાના કિલ્લામાં બનાવવામાં આવનાર મંદિરના આર્ચકની પોસ્ટ પર મૂકવામાં આવશે. પૂજા પ્રણાલીના અધ્યક્ષ ગોવિંદ દેવગિરિએ કહ્યું કે અહીં એક વધુ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે રામ લલ્લાના સેવકો એ જ પૂજારી હશે જે હાલમાં રામ લલ્લાના અસ્થાયી મંદિરમાં સેવા આપી રહ્યા છે.

જૂના પૂજારીઓજ રામની પૂજા કરશે : રામ મંદિર પરિસરમાં કુલ 6 મંદિરો બનાવવામાં આવ્યા છે, જ્યારે પાર્કમાં 7 મંદિરો હશે. આ મંદિરોની પૂજા માટે અર્ચકોની નિમણૂક કરવામાં આવનાર છે. આ માટે 6 મહિનાની તાલીમ આપવામાં આવી રહી છે. ઉમેદવારોને રહેવા માટે 2000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને તેમને ભોજન આપવામાં આવી રહ્યું છે. 6 મહિના પછી તેમનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે અને ઈન્ટરવ્યુ પછી રામાનંદીય પરંપરા મુજબ આ અર્ચકોને પૂજા કરવાની છૂટ આપવામાં આવશે. રામલલાના ગર્ભગૃહમાં એ જ પૂજારીઓ પૂજા કરશે, જે ભૂતકાળથી કરી રહ્યા છે.

  1. અયોધ્યાના રામ મંદિરમાં પુજારી તરીકે મોહિત પાંડેની પસંદગી, દૂધેશ્વર વેદ વિધ્યાપીઠના રહી ચુક્યાં છે વિદ્યાર્થી
  2. Ram Mandir News: રામ મંદિરના 14 દરવાજા સોને મઢેલ હશે, વડા પ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા માટે 100મીટર ચાલીને ગર્ભગૃહ સુધી પહોંચશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.