ETV Bharat / bharat

Andhra Pradesh: આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, કરોડોના કૌભાંડનો આરોપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 7:11 AM IST

Updated : Sep 9, 2023, 8:07 AM IST

AP Ex CM Chandrababu Naidu Detained in Nandyala
AP Ex CM Chandrababu Naidu Detained in Nandyala

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુની CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એન ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમના પર આંધ્ર પ્રદેશના સીએમ રહીને કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ છે. ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે તેની ધરપકડ કરવામાં આવશે.

નંદ્યાલા: આંધ્રપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અહીં ધરપકડ કરવામાં આવી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ TDP ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. વોરંટ જારી થયાના થોડા સમય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • #WATCH | Andhra Pradesh: Criminal Investigation Department (CID) serves arrest warrant to TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu.

    (Video Source: TDP) pic.twitter.com/9AE4Xrdorm

    — ANI (@ANI) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કાર્યકરોનો હોબાળો: આ અંગેની માહિતી મળતા જ ટીડીપીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. જ્યારે નાયડુએ પૂછ્યું કે કોઈ પ્રથમદર્શી પુરાવા વિના તેમની ધરપકડ કેવી રીતે થઈ શકે, તો પોલીસે તેમને જણાવ્યું કે તેઓએ હાઈકોર્ટ સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

પોલીસ પર આરોપ: નાયડુના વકીલોએ તેમની ધરપકડ પહેલા પુરાવા રજૂ કરવા પોલીસ સાથે દલીલ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે રિમાન્ડ રિપોર્ટમાં તમામ વિગતો સામેલ કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુએ પોલીસ પર તેમના મૂળભૂત અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે તેમણે ડીકે બાસુના કેસ મુજબ કાર્યવાહી કરી છે. પોલીસનું કહેવું છે કે તેઓ 24 કલાકમાં ધરપકડના કારણો સહિત દસ્તાવેજો આપશે. ચંદ્રાબાબુએ કહ્યું કે વકીલો સમજ્યા વગર કામ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે પોલીસ સમજ્યા વગર કામ કરી રહી છે.

ધરપકડ સમયે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ બસમાં આરામ કરી રહ્યા હતા.
ધરપકડ સમયે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ બસમાં આરામ કરી રહ્યા હતા.

મીડિયા કર્મીઓને નો એન્ટ્રી: પૂર્વ મુખ્યમંત્રીને જ્યાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ત્યાં મીડિયાકર્મીઓને હાજર રહેવા દેવામાં આવ્યા ન હતા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડાના વકીલોએ દલીલ કરી હતી કે જ્યારે નાયડુનું નામ એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ)માં નથી, તો તેમની ધરપકડ કેવી રીતે થઈ શકે.

  1. Sanatan Dharma Remark : મોદી એન્ડ કંપની ધ્યાન ભટકાવવા માટે 'સનાતન'નો ઉપયોગ કરી રહ્યા છે : ઉધયનિધિ
  2. Remark on Sanatan Dharma : સનાતન ધર્મ અંગે નિવેદનને લઇ તામિલનાડુ સીએમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન મુશ્કેલીમાં મૂકાયાં
Last Updated :Sep 9, 2023, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.