ETV Bharat / bharat

આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાશે

author img

By

Published : Jul 18, 2021, 9:17 AM IST

મોદી
આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાશે

સંસદના મોનસુન સત્ર કાલથી શરૂ થઈ રહ્યુ છે. મોનસુન સત્રની પહેલા બેઠકો ચાલુ છે. મોનસુન સત્રના સંબધિત મૃદ્દાઓને ચર્ચા માટે આજે સવારે 11 વાગે સર્વદળીય બેઠક તે બાદ વડાપ્રધાન મોદીની અઘ્યક્ષતામાં NDA બેઠક થશે સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ સાંજે નિચલા સદનના ફ્લોર નેતાઓ સાથે બેઠક કરશે.

  • આજે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાશે સર્વદળીય બેઠક
  • મોનસુન સત્રને લઈને કરવામાં આવશે બેઠક
  • સત્ર દરમિયાન 17 બીલ રજૂ કરવામાં આવશે

દિલ્હી : કેન્દ્ર સરકારે આગામી મોનસુન સત્ર સંબધિત મૃદ્દાઓ પર ચર્ચા કરવા માટે સર્વદળિય બેઠક બોલાવી છે. સૂત્રો અનુસાર બેઠક સવારે 11 વાગ્યે સંસદ પરીસરમાં શરૂ થવાની સંભાવના છે. આ બેઠકમાં વડાપ્રધાન સામેલ થશે. સુત્રોએ જણાવ્યું હતું કે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોષી બેઠક દરમિયાન સદનના નેતાઓ સાથે વાત કરશે અને સત્ર શરૂ થાય તે પહેલા નેતાઓના વિચાર જાણશે.

બેઠક મહત્વની

આ બેઠક ઘણી મહત્વની છે કારણ કે દેશમાં પેટ્રોલનો ભાવ આસમાને પહોચ્યા છે અને કોરોનાની બીજી લહેરમાં માળખાકિય સુવિધામાં કમી જેવા મૃદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવા માટે તૈયાર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાંજે ચાર વાગે નિચલા સદનના ફ્લોર નેતાઓની સાથે બેઠક કરશે. જેમાં મોનસુન સત્રને સુચારુ રૂપે ચલાવવા માટે ચર્ચા કરશે.

આ પણ વાંચો : રવિન્દ્ર નારાયણ સિંહ બન્યા વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ

કોરોના ગાઈડલાઈનનું પાલન

બેઠક મોનસુન સત્રના એક દિવસ પહેલા બોલાવમાં આવી છે. જે 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. કોરોનાની ત્રીજી લહેર બાદ આ પહેલુ સત્ર હશે. સત્રનો સમય 11 થી સાંજના 6 હશે.કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે 3 વાગે સહયોગી દળોની બેઠક થશે, જેમાં મોનસુન સત્રની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે, આ બેઠક મોદીની અધ્યક્ષતામાં થશે, કોરોનાની મહામારી વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાની બધી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો : ક્રિકેટરથી રાજકારણી બનેલા સિધ્ધુ બની શકે છે કોંગ્રેસના આગામી પ્રદેશ અધ્યક્ષ

17 બીલ રજૂ કરવામાં આવશે

મહામારી બાદ ગત વર્ષે મોનસુવન સત્ર અને આ વર્ષે બજેટ સત્ર વહેલુ પુરુ કરવામાં આવ્યું હતું. જેના કારણે સંસદ સત્ર પ્રભાવિત થયું છે. સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટની કારણે 2020ના શિયાળુસત્રને રદ્દ કરવામાં આવ્યું હતું. લોકસભામાં કુલ 17 બીલ રજૂ કરવા માટે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે, જેમા ચર્ચા અને પસાર કરવા માટે 5 બિલ સામેલ છે અને આ જ રીતે બીલને રાજ્યસભાના સત્ર દરમિયાન રજૂ કરવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.