ETV Bharat / bharat

ISRO ચીફ ડૉ.સોમનાથે કહ્યું, "અગ્નિવીરોને પણ મળશે ઈસરોમાં નોકરી"

author img

By

Published : Jul 10, 2022, 11:45 AM IST

અવકાશ સચિવ ડૉ.સોમનાથે કહ્યું, અગ્નિવીરોને પણ મળશે ઈસરોમાં નોકરી
અવકાશ સચિવ ડૉ.સોમનાથે કહ્યું, અગ્નિવીરોને પણ મળશે ઈસરોમાં નોકરી

કરુણ્યા યુનિવર્સિટીનો 26મો દીક્ષાંત સમારોહ શનિવારે 9 જુલાઈના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ અને ભારત સરકારના અવકાશ સચિવ ડૉ.સોમનાથ, યુનિવર્સિટીના કુલપતિ પોલ દિનાકરનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કોન્વોકેશનના મુખ્ય અતિથિ હતા.

કોઈમ્બતુર (તમિલનાડુ): કરુણ્યા યુનિવર્સિટીનો 26મો દીક્ષાંત સમારોહ 26th (Convocation of Karunya University) શનિવારે 9 જુલાઈના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (Indian Space Research Organization)ના અધ્યક્ષ અને ભારત સરકારના અવકાશ સચિવ ડૉ.સોમનાથ, યુનિવર્સિટીના કુલપતિ પોલ દિનાકરનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કોન્વોકેશનના મુખ્ય અતિથિ હતા. સોમનાથે 1,700 સ્નાતકોને પદવીઓ એનાયત કરી.

આ પણ વાંચો: દિલ્હીમાં મહારાષ્ટ્ર કેબિનેટનો નિર્ણય, જાણો કોના ખાતામાં કેટલા વિભાગ

અવકાશ ક્ષેત્રમાં નવા રસ્તાઓ બનાવવાનો ધ્યેય: ભારત સરકારના અવકાશ સચિવ ડૉ.સોમનાથે યુનિવર્સિટી કેમ્પસમાં સ્થાપિત પ્રયોગશાળાઓની મુલાકાત લીધી અને બાદમાં મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, સરકાર સ્પેસ સેક્ટરમાં સુધારા કરવા માંગે છે. સ્પેસ પોલિસી 2022 તૈયાર કરવામાં આવી છે, જેમાં અમે ખાનગી સંસ્થાઓને સેટેલાઇટની માલિકી અને સંચાલન કરવાની મંજૂરી આપીએ છીએ. હાલમાં, ઇમેજિંગ ઉપગ્રહો ફક્ત ISRO અને સંરક્ષણની માલિકી ધરાવે છે, પરંતુ હવે ખાનગી સંસ્થાઓ પણ તેની માલિકી લઈ શકે છે. ISROના (Indian Space Research Organization) અધ્યક્ષે રોકાણના સંબંધમાં કહ્યું કે, તે ભારતીય કંપનીઓ માટે 100 ટકા રહેશે. FDIને નિયંત્રિત કરવામાં આવશે અને જો તે 70 ટકાથી વધુ હશે તો સરકારની મંજૂરીની જરૂર પડશે. ખાનગી સંસ્થાઓ પણ રોકેટની માલિકી, વિકાસ અને લોન્ચ કરી શકે છે. તેઓ લોન્ચ પેડ પણ બનાવી શકે છે. અમારો ધ્યેય અવકાશ ક્ષેત્રમાં નવા રસ્તાઓ બનાવવાનો છે.

આ પણ વાંચો: બાળકીના મૃત્યુથી ફેલાયો કુપોષણનો ભય, જિલ્લા વહીવટીતંત્રએ કહ્યું..

અગ્નિવીરોને ઈસરોમાં મળશે નોકરી: ડૉ.સોમનાથે કહ્યું કે, અગ્નિપથ યોજના (Agnipath scheme) હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારાઓને ઈસરોમાં નોકરી આપવામાં આવશે. આ વર્ષે અનેક મિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આ મહિનાના અંત સુધીમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં તાજેતરમાં વિકસિત સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (small satellite launch vehicle) લોન્ચ કરીશું. ગગનયાન કાર્યક્રમ (Gaganyaan program) માટે ટ્રાયલ ચાલુ છે. ઉપરાંત, તમિલનાડુ સરકારે તુતીકોરિન જિલ્લામાં કુલશેખરપટ્ટનમ ખાતે રોકેટ લોન્ચ પેડ સ્થાપિત કરવા માટે 2,000 એકર જમીન પ્રદાન કરી છે. તેમણે કહ્યું કે, આ કામ બે વર્ષમાં પૂર્ણ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.