ETV Bharat / bharat

Hariyana Crime: હરિયાણામાં ધાતુની મૂર્તિ માલખાનામાં જમા કરાવવાની જગ્યાએ 8 બિસ્કીટ બનાવી લેનારા 8 પોલીસકર્મી સસ્પેન્ડ

author img

By

Published : Mar 18, 2023, 6:23 PM IST

Hariyana Crime: હરિયાણામાં ધાતુની મૂર્તિ માલખાનામાં જમા કરાવવાની જગ્યાએ 8 બિસ્કીટ બનાવી લેનારા 8 પોલીસકર્મી સસ્પેન્ડ
Hariyana Crime: હરિયાણામાં ધાતુની મૂર્તિ માલખાનામાં જમા કરાવવાની જગ્યાએ 8 બિસ્કીટ બનાવી લેનારા 8 પોલીસકર્મી સસ્પેન્ડ

હિસારમાં સોનું સમજીને પ્રાચીન મૂર્તિના બિસ્કીટ બનાવવા મામલામાં ADGPએ તપાસના આદેશ આપ્યા છે. તો આ મામલામાં સીઆઈએ 2 હાંસીના ઈન્ચાર્જ સહિત 7 પોલીસકર્મીઓને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હિસારઃ હરિયાણાના હિસારમાં પોલીસે જપ્ત કરેલી ધાતુની મૂર્તિને પિગાળીને બિસ્કીટ બનાવવાનો મામલો સામે આવ્યો છે. હાંસી પોલીસના CIA 2 યુનિટના કર્મચારીઓએ પ્રાચીન મૂર્તિનો કબજો લઈને માલખાનામાં જમા કરવાને બદલે 8 બિસ્કિટ બનાવ્યા હતા. આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે મામલો હિસાર રેન્જના ADGP શ્રીકાંત જાધવ સુધી પહોંચ્યો. મામલો સામે આવ્યા બાદ FIR નોંધવાની સાથે 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Bihar Crime: લગ્નના દબાણથી કંટાળી બોયફ્રેન્ડે ગર્ભવતી સગીરાને જીવતી સળગાવી દીધી, પરિવારજનોને પણ બનાવ્યા બંધક

ADGP હિસાર રેન્જે કરી કાર્યવાહીઃ આ મામલામાં હિસાર રેન્જના ADGP શ્રીકાંત જાધવે CIA 2ના ઈન્ચાર્જ અને 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. એડીજીપીએ કહ્યું હતું કે, તપાસ હાંસીના ડીએસપીને સોંપવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, હાંસી પોલીસના સીઆઈએ યુનિટે મૂર્તિને ચોરી હોવાનું માનીને કેટલાક લોકો પાસેથી મૂર્તિનો કબજો લીધો હતો, પરંતુ તેને માલખાનામાં જમા કરાવવાને બદલે મૂર્તિનો કબજો લીધો હતો ને 8 બિસ્કીટ બનાવ્યા હતા.

તપાસના આદેશ અપાયાઃ શ્રીકાંત જાદવે જણાવ્યું હતું કે, તપાસમાં એક સુવર્ણકારની પણ ચર્ચા થઈ છે. જોકે, મૂર્તિ કેટલી જૂની હતી અને તેમાં કેટલું સોનું હતું તે તપાસનો વિષય છે. એડીજીપીએ સ્વીકાર્યું કે, આ મામલે પોલીસકર્મીઓની ઈરાદા પર સવાલો ઊભા થયા છે. જ્યારે પોલીસ કસ્ટડીમાં કંઈ પણ લે છે, ત્યારે તેઓ તેની સાથે છેડછાડ કરી શકતા નથી. જોકે, આ કિસ્સામાં મૂર્તિને ઓગાળીને બિસ્કીટ બનાવવામાં આવ્યા હતા, જે પોલીસની ઈરાદા પર સવાલો ઊભા કરે છે. એડીજીપીએ કહ્યું કે, કેસ નોંધ્યા બાદ વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલો યુપીના રહેવાસી બબલુની ફરિયાદ પર સામે આવ્યો છે.

શું છે સમગ્ર મામલોઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરનો રહેવાસી બબલુ હાંસીમાં મજૂરી કામ કરતો હતો. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદના માણિકપુર ગામમાં રહેતા બબલુના સંબંધી રામદાસને જમીન સમતળ કરતી વખતે એક મૂર્તિ મળી, જેમને બબલુ 10 જાન્યુઆરીએ તેના સાથી બાબા રામદાસ, સરિવેન્દ્ર અને બિમલેશ સાથે લાવ્યો હતો. બબલુના જણાવ્યા મુજબ, 12 જાન્યુઆરીએ તે વિવેક પાટીલને મળ્યો, જે એક જ્વેલર્સ સાથે કામ કરતો હતો. દરમિયાન હાંસી સીઆઈએ 2ના સ્ટાફે બબલુ અને તેના સાગરિતોને પકડીને માર માર્યો હતો અને ધમકીઓ આપી હતી. બીજા દિવસે વિવેક પાટીલ આવ્યો અને તેને છોડાવ્યો અને કહ્યું કે મૂર્તિ 14 લાખ રૂપિયામાં વેચાઈ છે. આ પછી ચારેય યુપી પરત ફર્યા હતા.

2 મહિના પછી બબલુએ મામલો ઊઠાવ્યોઃ બબલુના કહેવા પ્રમાણે, વિવેક પાટીલનું CIA સાથે જોડાણ હતું. 6 માર્ચે બબલુએ હિસાર આઈજીને ફરિયાદ આપી હતી, જે બાદ હાંસી એસપીને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સુનાવણી થઈ નહતી. બબલુનો આરોપ છે કે, 13 માર્ચે CIA સ્ટાફે તેને ફરીથી ધમકાવ્યો. આ પછી, બબલુ તેની ફરિયાદ એડીજી હિસાર રેન્જને લઈ ગયો, ત્યારબાદ સીઆઈએ-2 વિરુદ્ધ કલમ- 409, 420, 120બી, 217, 201 અને 166 A હેઠળ એફઆઈઆર નોંધવાના આદેશ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Bihar Crime: કટિયારથી ઝડપાયેલો શંકાસ્પદ કાશ્મીરી યુવકનું પાકિસ્તાન કનેક્શન, રૉ તપાસી રહી છે કૉલ ડિટેલ

તેમના પર કાર્યવાહીઃ આ કેસમાં કુલ 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાંસી પોલીસના સીઆઈએ 2 ઈન્ચાર્જ એસઆઈ નીતિન તરાર ઉપરાંત એસઆઈ બાલ્કિશન, એએસઆઈ સાજન સિંહ, સુરેશ સિંહ, હવાલદાર રવિન્દ્ર સિંહ, જૂગવેન્દ્ર સિંહ, વિજય અને સુનીલ સામેલ છે. સમગ્ર મામલે એડીજીપી હિસાર રેન્જે પોલીસકર્મીઓના ઈરાદા પર સવાલ ઊઠાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.