ETV Bharat / bharat

AAP on Backfoot : અરવિંદ કેજરીવાલને PM બનાવવાની માગણીને લઇ 3 કલાકમાં પિક્ચર પલટાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 7:08 PM IST

ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર સુર્ખીઓમાં છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં આપ દ્વારા અરવિંદ કેજરીવાલને પીએમ પદના ઉમેદવાર બનાવવા માગણી કરવામાં આવી હતી. આ માગણીને લઇ શું બન્યું જૂઓ.

AAP on Backfoot : અરવિંદ કેજરીવાલને પીએમ બનાવવાની માગણીને લઇ 3 કલાકમાં પિક્ચર પલટાયું
AAP on Backfoot : અરવિંદ કેજરીવાલને પીએમ બનાવવાની માગણીને લઇ 3 કલાકમાં પિક્ચર પલટાયું

નવી દિલ્હી : ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે I.N.D.I.A.ની બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે. આ પહેલા બુધવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્ય પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલને પીએમ પદનો ચહેરો બનાવવાની માંગ કરી હતી. થોડા સમય બાદ તેને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે સમર્થન આપ્યું હતું. જેના કારણે રાજધાનીમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો. જોકે, લગભગ ત્રણ કલાક પછી આપ દ્વારા પારોઠના પગલાં ભરવામાં આવ્યાં હતાં.

  • #WATCH आम आदमी पार्टी की मुख्य राष्ट्रीय प्रवक्ता प्रियंका कक्कड़ ने कहा, "अगर आप मुझसे पूछें तो मैं चाहूंगी कि अरविंद केजरीवाल प्रधानमंत्री पद के उम्मीदवार बनें। इतनी कमरतोड़ महंगाई में भी राष्ट्रीय राजधानी दिल्ली में महंगाई सबसे कम है। मुफ़्त पानी, मुफ़्त शिक्षा, मुफ़्त बिजली,… pic.twitter.com/ZnQjCF38M2

    — ANI_HindiNews (@AHindinews) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પલટાયેલો સીન : પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મંત્રી આતિશી, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ તેને સદંતર ફગાવી દીધો હતો. એટલું જ નહીં, કહ્યું કે અમે પીએમ પદનો ચહેરો બનવા માટે નહીં પરંતુ દેશનું ભવિષ્ય બનાવવા માટે સાથે આવ્યા છીએ. આપ નેતાઓએ દિવસભર બીજું શું કહ્યું તે પણ જાણીએ.

  • #WATCH | AAP leader Sanjay Singh ahead of the third INDIA Alliance meet says, "Arvind Kejriwal's motive to join the INDIA Alliance is to save the country. Arvind Kejriwal is not in the race to be a Prime Minister. The issues like PM candidate and seat sharing will be decided by… pic.twitter.com/Dnbrqu8rNE

    — ANI (@ANI) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માગ : સવારે આપના મુખ્ય પ્રવક્તા પ્રિયંકા ક્કકડે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ. તેમણે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. બુધવારે બપોરે 12 વાગ્યે દિલ્હી સચિવાલયમાં માધ્યમો સાથે વાતચીતમાં, દિલ્હી સરકારના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે એમ કહીને પોતાનો મુદ્દો આગળ વધાર્યો કે દરેક પક્ષ ઇચ્છે છે કે તેમના વડા વડાપ્રધાન બને. એ જ રીતે અમે પણ ઇચ્છીએ છીએ કે અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે, પરંતુ તેનો નિર્ણય ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ લેશે.

  • #WATCH | AAP MP Raghav Chadha speaks on the face of the INDIA alliance.

    "AAP has not joined the INDIA alliance for the PM post. Arvind Kejriwal is not in the race to become the Prime Minister of India. We have joined the INDIA alliance to prepare a blueprint for a better India… pic.twitter.com/ZFSnvSGR9z

    — ANI (@ANI) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્રણ કલાક પછી આતિશીનો નકાર : પ્રિયંકા ક્કકડના નિવેદનના લગભગ ત્રણ કલાક પછી મંત્રી આતિશીએ દિલ્હી સચિવાલયમાં કહ્યું કે આમ આદમી પાર્ટી દેશ અને લોકશાહીને બચાવવા માટે ભારતમાં જોડાઈ છે. હું સત્તાવાર રીતે કહું છું કે સીએમ કેજરીવાલ ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નહીં હોય. તેમણે કહ્યું કે પ્રિયંકા કક્કડનો અંગત અભિપ્રાય હોઈ શકે છે કે સીએમ કેજરીવાલને ગઠબંધનમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા જોઈએ.

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 20 થી 30 સીટો પર ચૂંટણી લડવાની અપીલ કરશે. આમાં પાર્ટી કેટલી સીટો જીતી શકશે તે ખબર નથી. અત્યારે I.N.D.I.A.માં સીટોની કોઈ વહેંચણી થઈ નથી. અત્યારથી જ પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓ વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો દાવો કરીને પોતાના જ નેતાની મજાક ઉડાવી રહ્યા છે. આ પક્ષની પરિપક્વતા દર્શાવે છે.... જગદીશ મમગાઈ (રાજકીય તજજ્ઞ)

દેશને બચાવવા માટે ગઠબંધનમાં છીએ : આપ નેતા સંજય સિંહે કહ્યું કે ભારત ગઠબંધનમાં શામેલ થવાનો અરવિંદ કેજરીવાલનો ઉદ્દેશ્ય દેશને બચાવવાનો છે. અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન બનવાની રેસમાં નથી. PM ઉમેદવાર અને સીટ શેરિંગ જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે. ગઠબંધન આ અંગે સર્વસંમતિથી નિર્ણય લેશે.

  • #WATCH | Delhi Minister and AAP leader Atishi says, "This might be the personal opinion of the chief spokesperson. But Arvind Kejriwal is not at all a part of the PM race. AAP is a part of INDIA alliance because India needs to be saved today. The country, its constitution and its… https://t.co/C5WBzzWUUk pic.twitter.com/dYYWSbHaAK

    — ANI (@ANI) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન બનવાની રેસમાં નથી : તો આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટી વડાપ્રધાન પદ માટે ઇન્ડિયા જોડાણમાં જોડાઈ નથી. અરવિંદ કેજરીવાલ ભારતના વડાપ્રધાન બનવાની રેસમાં નથી. અમે વધુ સારા ભારત માટેની રુપરેખા તૈયાર કરી રહ્યા છીએ. આમ કરવા માટે અને ભારતને બુરાઇઓથી મુક્ત કરવા માટે ઈન્ડિયા એલાયન્સમાં જોડાયા છીએ.

  1. BSP Mayavati: બસપા કોઈ સાથે નહિ કરે ગઠબંધન, મુંબઈમાં INDIAની બેઠકના એક દિવસ પહેલાં માયાવતીની જાહેરાત
  2. India Alliance: ગઠબંધનની મુંબઈ બેઠક પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'માત્ર ભગવાન જ જાણે છે કે શું થશે'
  3. Arvind Kejriwal : I.N.D.I.A.ની મુંબઈ બેઠક પહેલા પ્રિયંકા કક્કરનું નિવેદન, કહ્યું- અરવિંદ કેજરીવાલને PM ઉમેદવાર બનાવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.