સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?

author img

By

Published : May 30, 2022, 12:59 PM IST

Updated : May 30, 2022, 3:45 PM IST

સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?
સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું? ()

ભગવતસિંહ માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર (AAP Punjab Government) સામે પંજાબી ગાયક તથા કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાથી (Sidhu moose wala Murder Mistry) અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સરકારે પંજાબમાં રાજકીય અને ધાર્મિક નેતાઓ સહિત VIPsને આપવામાં આવતી સુરક્ષા પાછી લેવા માટે (Cut off About Security Personals) વાત કરતા ટિકા થઈ હતી. વ્યક્તિગત સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકાયા બાદ કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયકની હત્યા થઈ છે.

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટી પર સુરક્ષા વ્યવસ્થાને (Question About Security Personals) લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવામાં VIPsને અપાતી સુરક્ષા પાછી લેવાની (Cut off Security personals) વાત બાત નેતાની હત્યા થઈ છે. પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી (Sidhu Moosewala Murder) હત્યા કરાઈ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય વિપક્ષે આ હત્યાનું ઠીકરૂ સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટી (Target to Aam Admi Party Punjab) પર ફોડ્યું છે. સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચા અનુસાર સુરક્ષા પાછી ખેંચવા અને રાજકીય લાભ લેવા હેતું કેટલાક પગલાં પર પ્રશ્નો ઊભા થયા છે.

સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?
સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?

આ પણ વાંચો: ઓહ! આ વ્યક્તિએ પત્ની અને બાળકોના ગળા પર લાકડા કાપવાની કટર ફેરવી દીધી અને પછી...

સુરક્ષામાં કાપ: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાનું નામ એ 424 VIPsમાં સામિલ છે. જેની સુરક્ષા વ્યવસ્થા પર કાપ મૂકાયો હતો. આ મામલે સોશિયલ મીડિયા પર શનિવારે જોરશોરથી ટિખ્ખળ શરૂ થઈ હતી. વ્યક્તિગત રીતે અપાતા ગનમેન પાછા ખેંચી લેવાયા હતા. પંજાબમાં સત્તા પર આવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે સતત ત્રણ વખત સુરક્ષા વ્યવસ્થા પર કાપ મૂક્યો છે. પહેલી વખત તારીખ 23 એપ્રિલના રોજ 184 VIPsની સુરક્ષામાં કાપ મૂકાયો, એ પછી જ ગત રવિવારે પંજાબના મનસા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. જેમાં પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતાનું મોત નીપજ્યું.

આ કારણ અપાયું: જ્યારે સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકાયો ત્યારે એવું કહેવાયું કે, ગન કલ્ચર અહીંની સંસ્કૃતિને સમાપ્ત કરી દેશે. જ્યારો પોલીસ પેનલ કહે છે કે, સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકાયા એના એક દિવસ બાદ હત્યા થઈ છે. આ હત્યા પાછળ કોઈ ગ્રૂપ જવાબદાર હોઈ શકે છે. જેની નેતા સાથે કોઈ સીધી સ્પર્ધા હોય. કેનેડાના ગૅંગસ્ટર ગોલ્ડી બરાડે કોંગ્રેસ નેતાની હત્યાની જવાબાદરી લીધી છે. આ પછી આપ સરકારે આઠ વ્યક્તિઓની સુરક્ષા વ્યવસ્થા ઘટાડી હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ, પૂર્વ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલ સહિતના મોટાનેતાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બિદિશાની ફેસબુક પોસ્ટની તસવીરે ઊભા કર્યા અનેક પ્રકારના સવાલ, શું તે બાયસેક્સયુઅલ હતી?

વાહનો પણ જપ્ત: સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂક્યા બાદ 127 ગનમેન પાસેથી વાહનો પણ જપ્ત કરી લેવાયા હતા. પંજાબ સરકારે રાજનેતાઓ, ધર્મગુરૂઓ, પૂર્વ રાજ્યસભા સભ્ય, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સ્પીકર્સ, રીટાયર્ડ પોલીસ કર્મી સહિત અનેક જાણીતા વ્યક્તિની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરી નાંખ્યો છે. VIPs કલ્ચરને ઓછું કરવા માટે આપ સરકારે આ પગલું લીધું. પણ આ યાદીમાં રહેલા મુસેવાલાની હત્યા થતા સુરક્ષા મુદ્દે પ્રશ્નોથી સરકાર ઘેરાઈ ગઈ છે. આ અંગે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Last Updated :May 30, 2022, 3:45 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.