ETV Bharat / assembly-elections

ભાજપના ગુજરાત મોડલ પર આકરા પ્રહારો; કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભાજપને ગણાવી અહંકારી

author img

By

Published : Nov 23, 2022, 6:17 PM IST

Updated : Nov 23, 2022, 6:30 PM IST

કોંગ્રેસના ગુજરાત મોડલ પર આકરા પ્રહારો
harsh-attacks-on-the-gujarat-model-of-congress-manish-tiwari-held-a-meeting-in-ahmedabad

કોંગ્રેસમાં પંજાબના લોકસભાના સાંસદ મનીષ તિવારી (manish tiwari congress MP) ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ભાજપ સરકારને આડા હાથ લીધી હતી અને ઘણા બધા મુદ્દાઓને લઈને પણ તેમણે વિગતો લોકો સમક્ષ મૂકી હતી. મોરબી દુર્ઘટનાને લઈએં મનીષ તિવારીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નોટબંધી અને જીએસટીને (notebandhi and goods and service tax) લઈને ભાજપ સરકાર પર સવાલ ઉભા કર્યા હતા.

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat assembly election 2022) મતદાનને ગણતરીને હવે માત્ર થોડા દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અર્થે મોટા મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસમાં પંજાબના લોકસભાના સાંસદ મનીષ તિવારી (manish tiwari congress MP) ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે ભાજપ સરકારને આડા હાથ લીધી હતી અને ઘણા બધા મુદ્દાઓને લઈને પણ તેમણે વિગતો લોકો સમક્ષ મૂકી હતી. મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું (bhartiya janta party) શાસન છે.આટલું લાંબો સમય લોકતંત્ર માટે (Dangerous for democracy) ફાયદાકારક નથી. 1995 થી લઈને 2022 સુધી ભાજપને ગુજરાતની જનતાની મોકો આપ્યો પણ હવે આગામી પાંચ વર્ષ કોંગ્રેસને મોકો આપો. ત્યારે ખબર પડશે કે સાચો વિકાસ (true development) કોને કહેવાય છે.

કોંગ્રેસના ગુજરાત મોડલ પર આકરા પ્રહારો

ભાજપ પર આક્ષેપ: આ ઉપરાંત મનીષ તિવારી એમ ગુજરાતના મોડલને લઈને ઘણા બધા આંકડાઓ પણ સ્પષ્ટ કર્યા હતા તેમના કહેવા મુજબ છેલ્લા આઠ વર્ષમાં જે પ્રમાણે દેશમાં મૂડીવાદીઓને ઉદ્યોગપતિઓ ગરીબો વચ્ચે અસમાનતા સ્પષ્ટ દેખાય રહી છે તે ચિંતાજનક છે. યુપીએસ સરકારના શાસન દરમિયાન 27 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા હતા જ્યારે 2021ના રિપોર્ટ પ્રમાણે 20 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. દેશના 77% ધન અને સંપત્તિના માલિક માત્ર એક ટકા લોકો છે 2021 22 માં દેશમાં અરબો પતિની સંખ્યા 102 થી 142 થઈ ગઈ છે તેમની પાસે 57.3 લાખ કરોડ ધન સંપત્તિ છે જ્યારે દેશના ૫૦ ટકા લોકો પાસે દેશની સંપત્તિના માત્ર છ ટકા સંશોધનો છે.

મોરબી દુર્ઘટનાને લઈને આરોપ: નોટબંધી-જીએસટીના અમલને લઈને કટાક્ષ કરતાં કહ્યું હતું કે જીએસટીના અવિચારી અમલથી અઢી લાખ જેટલા લઘુ ઉદ્યોગ બંધ થયા છે મોટા ઉદ્યોગો કમાઈ રહ્યા છે. જ્યારે નાના ઉદ્યોગો નુકસાન વેઠી રહ્યા છે.મનીષ તિવારીએ મોરબી દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં જે આજ સુધી અવિચારી નિર્ણયો લેવાયા છે. તેને તાજેતરનું ઉદાહરણ મોરબી દુર્ઘટના છે.આ દુર્ઘટનામાં 148 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા અને 180 થી વધારે ઘાયલ થયા હતા. છતાં પણ કોઈનું સરકારમાંથી રાજીનામું આપવામાં આવી નથી કે કોઈની જવાબદારી પણ નક્કી કરવામાં આવી નથી આવી સરકાર કઈ રીતે પોતાની જનતાને સાચવશે.

ભાજપમાં અહંકાર: ભાજપ સરકાર અત્યારે અહંકારમાં રાજી રહી છે એ અહંકાર ગુજરાતની જનતાએ તોડવું જોઈએ. 2017 થી લઈને અત્યાર સુધીમાં કુલ ત્રણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યા અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યું કોરોનાની અંદર સૌથી વધારે જો કોઈ રાજ્ય સહન કરવામાં આવ્યું હોય તો તે ગુજરાત રાજ્ય છે.

Last Updated :Nov 23, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.