ETV Bharat / assembly-elections

જસદણ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભોળા ગોહેલ સાથે રૂબરૂ

author img

By

Published : Nov 27, 2022, 1:09 PM IST

Updated : Nov 27, 2022, 1:25 PM IST

જસદણ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભોળા ગોહેલ સાથે રૂબરૂ
gujarat-assembly-election-2022-one-to-one-with-congres-candidate-of-jasdan-assebly-seat-bhodabhai-gohel

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ જીલ્લાની જસદણ વિધાનસભા (jasadan assembly seat) માટે ભોળા ગોહેલને કોંગ્રેસમાંથી (bhodabhai gohel congres candidate) ફરી ટિકિટ આપવામાં આવી છે.ત્યારે ETV ભારતના રાજકોટ જીલ્લાના પ્રતિનિધિ આશિષ લાલાકીયાએ તેમની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં આ વખતની ચૂટણીમાં ભોળા ગોહેલની કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તેને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

રાજકોટ: રાજકોટ જીલ્લામાં કુલ આઠ વિધાનસભા (Rajkot district have 8 assembly seat) આવેલ છે.જેમાં શહેરની ચાર અને જીલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. જસદણ વિધાનસભામાં (jasadan assembly seat) વાત કરીએ તો 105 જેટલા ગામોનો સમાવેશ થાય છે.હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,56,289 મતદારો છે. જસદણ વિધાનસભા માટે દ્વારા કોંગ્રેસ (indian national congres) ઉમેદવાર તરીકે ભોળા ગોહેલને (bhodabhai gohel congres candidate) જાહેર કર્યા છે ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું ભોળા ગોહેલે?

જસદણ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલ સાથે રૂબરૂ

સવાલ: જસદણ વિધાનસભા પર કોંગ્રેસની પ્રથમ યાદીમાં જ આપનું નામ જાહેર કર્યું હતું ત્યારે પાર્ટી અને મતદારોનો કેવો માહોલ છે?
જવાબ: કોંગ્રેસ પાર્ટીની પ્રથમ યાદીમાં જ મારું નામ પસંદ કરવામાં આવ્યું હતું ત્યારે નામ પસંદ થયા પછી મેં તરત છેલ્લા ઘણા દિવસોથી લોકોની વચ્ચે રહી અને અને કામ કરવા માટેના પ્રયત્ન કર્યા છે નામ જાહેર થયા બાદ તરત જસદણ અને વિંછીયા વિસ્તારની અંદર આવતા તમામ ગામડાની અંદર મેં પ્રવાસ શરૂ કર્યો છે ત્યારે પ્રવાસની અંદર તમામ સમાજના તમામ વર્ગના લોકોની સાથે મુલાકાત કરી અને મતદારોનો સહકાર મળી રહ્યો છે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે જસદણ વિસ્તારના તમામ સમાજના લોકો આગેવાનો સૌ કોઈ અને મને વિજય બનાવશે એ વસ્તુ નક્કી છે.

સવાલ: આ વિસ્તાર પૂર્વક કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે.તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જીત્યા હતા અને ફરી વખત ભાજપમાંથી પણ જીત્યા છે.સતત કુંવરજી બાવળિયાનો ચહેરો દેખાયો હતો પરંતુ આ વખતે મતદારોને કેવો મિજાજ છે જેમાં ક્યાંકને ક્યાંક તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. તે બાબતે શું કહેશો?
જવાબ: જસદણ વિધાનસભા વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ મતની વિચારધારા સાથે જોડાયેલો છે ત્યારે આ વિસ્તારના તમામ સમાજના મતદાર ભાઈઓ અને બહેનો તમામ છે તેઓ કોંગ્રેસ પક્ષની સાથે રહ્યા છે આ વખતે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોમાં મિજાજ એ સારા પ્રમાણમાં છે અને કોંગ્રેસ તરફી છે કારણ કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગુજરાતની અંદર વહીવટી ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક નાના માણસો સહિતના સૌ કોઈ લોકો અને ખાસ કરીને વેપારીઓના ઉદ્યોગ ધંધાઓ ભાંગી ગયા છે અને મંદિ આવી છે ત્યારે આ વખતે ખેડૂતોને ખાસ કરીને તમામ સભ્યો અને વર્ગના લોકો આ વખતે કોંગ્રેસ તરફ જોવા મળી રહ્યા છે.

સવાલ: જસદણ વિછીયા વિસ્તારના લોકો કોંગ્રેસના ભોલાને પસંદ કરશે એનું કારણ શું હોઈ શકે?
જવાબ: હું મારા સ્વભાવ પર મળે છે તો લોકોની વચ્ચે રહી અને નાના માણસોથી લઈને તમામ લોકોના તમામ કામો સાંભળી અને એમની રજૂઆતો સાંભળી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મારા તરફથી તમામ પ્રયત્નો કરી રહ્યો છું.
સવાલ: આ વિસ્તારના લોકોની માગણીઓ રજૂઆતો જરૂરિયાતો અને ફરિયાદો શું છે ? અગાઉ પણ આપે ભાજપ સામે ટક્કર લીધી છે અને અગાઉ પણ ભાજપની સામે જીત મેળવી છે ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ માગણી અને રજૂઆતો શું છે ?

જવાબ: આ વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો છે જે ખેતીલાયક જમીન અને તેઓ પોતાના કામ કરે છે ત્યારે સિંચાઈ માટે સૌની યોજનામાંથી આ તમામ વિસ્તારની અંદર ગામડે-ગામડે પાણી પહોંચાડ્યો નથી ત્યારે આ વિસ્તારમાં પ્રથમ તો ખેડૂતો માટે સિંચાઈની પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની અંદર શુદ્ધ પીવાનું પાણી અને લોકોને પાણીની વ્યવસ્થા મળતી નથી તેના વિસ્તારના તમામ ગામજનોના લોકોને પીવાનું પાણી મળી રહે શહેરી વિસ્તારની અંદર જે રોડ રસ્તાઓ છે તેમની હાલત ખરાબ છે તે રસ્તાઓ પણ પાકા અને વ્યવસ્થિત થાય એના માટેના પણ રજૂઆત રહેશે આ સાથે જ આરોગ્ય લક્ષી સેવાઓમાં નાના માણસોને કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે તેમના માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવે છે તેમાં સ્ટાફની વ્યવસ્થા નથી તે તમામ જગ્યાઓ પર ગામડાની અંદર આરોગ્ય કેન્દ્ર પર નાના માણસોને વ્યવસ્થિત સેવા અને સુવિધા મળી રહે તે માટે અમારું કાયમિક પ્રયત્નો રહેશે અને વિદ્યાર્થીઓ માટે એક કોલેજ ઉભી થાય એના માટેના પણ મારા પ્રયત્નો રહેશે.

સવાલ: આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોનો મિજાજ કાંઈક અલગ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં આપને જીત અને લીડ કેટલી મળવાની સંભાવના આપની દ્રષ્ટિએ છે?

જવાબ: જસદણ વિછીયા વિસ્તારના તમામ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીના પક્ષ અને તેમની રીત અને ભ્રષ્ટાચારથી સંપૂર્ણ નારાજ છે ત્યારે જસદણ મતદારોનો મિજાજ આ વખતે માત્રને માત્ર કોંગ્રેસ તરફ જ હોય તેવું જણાય આવે છે જેમાં નાના માણસો વેપારીઓ અને જે વ્યક્તિઓ માટેનો મેન્યુફેસ્ટો આપ્યો છે તે વ્યક્તિ અને તે બાબતને ધ્યાનમાં રાખી અને મતદારો કોંગ્રેસ તરફ સમર્થન કરી રહ્યા છે અને મતદાન પણ કોંગ્રેસ તરફી કરવામાં લોકો હશે તેવું પણ જણાવ્યું હતું આ સાથે જ આમ આદમી પાર્ટીનું આ વિસ્તારની અંદર કોઈ જોર નથી અને આ વિસ્તારની અંદર 25000 કરતા પણ વધારે લીડથી આ વખતે હું જીતીશ.

Last Updated :Nov 27, 2022, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.