ETV Bharat / assembly-elections

સત્તા સંગ્રામઃ મોદી જંબુસર અને રાહુલ ગાંધી રાજકોટમાં સભા ગજવશે

author img

By

Published : Nov 21, 2022, 2:09 PM IST

Updated : Nov 21, 2022, 2:17 PM IST

Gujarat Assemble Election 2022: PM Modi VS Rahul Gandhi in Saurashtra
Gujarat Assemble Election 2022: PM Modi VS Rahul Gandhi in Saurashtra

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દિવસ નજીક (Gujarat Assembly Election 2022) આવતા તમામ રાજકીટ પાર્ટીના નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. જોકે, મતદાન થવાને બે અઠવાડિયા બાકી રહ્યા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં તેમણે પણ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજકોટમાં સભા કરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકને (Gujarat Assembly Election 2022) મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં અસ્તિત્વ બચાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે પણ (Gujarat Congress Election Campaign) પ્રથમ તબક્કાના મતદાન થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની (Gujarat Gandhi Gujarat) મોટી સભાનું આયોજન કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સુરતથી રાહુલ ગાંધી ચૂંટણીસભાને સંબોધન કરશે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળના કાંટાની જેમ કોંગ્રેસની બદલાતી પરિસ્થિતિને સંભાળવા માટે રાહુલ ગાંધીનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના આ વર્ષે આમ આદમી પાર્ટી, ભાજપ (Gujarat BJP Election Campaign) અને કોંગ્રેસની નજર સૌરાષ્ટ્ર પર છે.

સમીકરણઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં 48 બેઠકો છે. જેમાંથી 8 બેઠકો રાજકોટમાં છે. જ્યાં આજે રાહુલ ગાંધી ચૂંટણી સંબોધન કરવાના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુને સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટા ચહેરા તરીકે જોવામાં આવે છે, જ્યારે હકીકત એ છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી મેદાનમાં આવતા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ, મુખ્યમંત્રીના ચહેરા અંગે ઇસુદાન ગઢવીનું નામ સ્પષ્ટ થતાં ઇન્દ્રનીલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ફરીથી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.

સભાની તૈયારીઃ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ દિવસે તેઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં સભાને સંબોધશે. સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાવા જઈ રહી છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ભાજપના 5 ઉમેદવારો, નેતાઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

રાહુલ ગાંધી રાજકોટમાંઃ જે વિસ્તારમાં કોંગ્રેસને ગત ચૂંટણીમાં ભૂસ્ખલનનો અનુભવ થયો હતો. તે વિસ્તારમાં પૂર આવે તે પહેલા ડેમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવેથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી એ વિસ્તારમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જેમાં રાજકોટમાં ભાજપનો ગઢ અને અમરેલીમાં કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા રાહુલ ગાંધી આ બંને સ્થળોએ સભા કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ આજે ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી સુરતના મહુવામાં રેલીને સંબોધશે. મહુવામાં બપોરે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાહુલ ગાંધી પણ રાજકોટમાં સભાને સંબોધશે.

Last Updated :Nov 21, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.