ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ LIVE
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Feb 13, 2024, 1:04 PM IST
|Updated : Feb 13, 2024, 1:42 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2024/640-480-20738646-thumbnail-16x9-jpg.jpg)
ધરમપુુર: ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આજે બીજો દિવસ છે, આજે તેઓ વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. હાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમમાં સંબોઘન કરી રહ્યાં છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયાં છે. આ તકે રાજ્યપાલ દેવવ્રતે સંબોધન કર્યુ હતું. મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ મૂર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી, આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ટંકારામાં આર્ય સમાજ આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ ઊજવણી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.