Ram Mandir: પાટણવાસીઓએ મનાવી દિવાળી, રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની કરી ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 8:56 AM IST

thumbnail

પાટણ: અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ - પ્રતિષ્ઠા મહોત્સવને પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લો રામ મય બન્યો હતો. ઠેર ઠેર રામ નામનો જયજયકાર સાંભળવો મળ્યો હતો. દિવસ દરમિયાન શોભાયાત્રા, સુંદરકાંડ , મહાઆરતી , મહાપ્રસાદની વહેંચણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ તેમજ રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં રાતે વિવિધ વિસ્તારોમાં ભારે આતશબાજી કરવામાં આવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પાટણ શહેરની લીંબચમાતાની પોળમાં માતાજીના મંદિર ખાતે અન્નકૂટ,આનંદનો ગરબો તેમજ સમુહઆરતી કરવામાં હતી. પાટણની એમ.એન.હાઈસ્કૂલ રોડ આવેલ ચુડેલ માતાના મંદિર ખાતે સ્થાનિકોએ શ્રી રામની રંગોળી કરી જાહેર માર્ગ પર હજારો દીવડા પ્રજ્વલ્લિત કરી ભગવાન રામની સમૂહ આરતી કરી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો.વિશ્વ હિન્દુ પરીષદની દુર્ગાવાહીની યુવતીઓએ તલવાર રાસના કરતબો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.પાટણ શહેરના છીડિયા દરવાજા પાસે આવેલા સમાલ પાર્ટી રામજી મંદિર ખાતે સાંજે મંદિર પરિસર માં હાજરો દિપક પ્રગટાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.