પાટણમાં ભરતસિંહ ડાભીના સમર્થનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંબોધી ચૂંટણી સભા, રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ ગણાવી - lok sabha election 2024
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Apr 21, 2024, 9:11 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-04-2024/640-480-21281327-thumbnail-16x9-jpg.jpg)
પાટણ: પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં. મુખ્યપ્રધાને તાલુકાના બાલીસણા ગામ ખાતે એક જાહેર સભાને સંબોધી હતી. ગામના વિવિધ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીનું પાઘડી, ફૂલહાર તેમજ મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના,આયુષ્યમાન કાર્ડ, નલ સેજલ, ઉજ્જ્વલા યોજનાઓનો લાભ છેવાડાના લોકોને પહોંચાડી રહી છે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, 1947 થી 2014 સુધી છ દાયકાના મા રેલવેનું વીજળી કરણ 21,801 કિ.મી.થયું હતું, જ્યારે 2014 થી 2024 સુધી 38,650 કિલોમીટરમાં કામ થયું છે. 80 કરોડ લોકોને પી.એમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ મળી રહ્યું છે. લોકોને આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે મેડિકલ ક્ષેત્રમાં પણ સીટો વધારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત ઇકોનોમિમાં 5 સ્થાને પહોંચ્યો છે. ત્યારે વિકસિત ભારત માટે નરેન્દ્ર મોદીએ રોડ મેપ તૈયાર કર્યો છે. ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી આવશે તો રેલવેની કાયાપલટ થાય અને ગગન યાન પર કામ થાય તે માટે ભરતસિંહ ડાભીને મોટી લીડથી જીતાડી દિલ્લી મોકલવા અનુરોધ કર્યો હતો.