Aam Aadmi Party : વિસાવદર વિધાનસભાના ગામડાઓનો જનસંપર્ક કરતાં રેશમા પટેલ, જતાવ્યો વિશ્વાસ

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 9:19 PM IST

thumbnail

વિસાવદર : આપ નેતા રેશ્મા પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા વિસાવદર વિધાનસભાના ગામડાઓનો જનસંપર્ક કાર્યક્રમ ચાલુ કરાયો હતો. ભાગેડુને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું તેવા સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન હેઠળ વિસાવદર વિધાનસભામાં દરેક ગામડાઓમાં જનસંપર્ક કરવામાં આવશે. આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જનસંપર્ક અભિયાન' હેઠળ વિસાવદર વિધાનસભામાં દરેક ગામડાઓમાં જનસંપર્ક કરવાનું ચાલુ કર્યું છે અને દરેક ગામડાંમાં અમે લોકોને મળીયે છીએ. અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે, લોકોનો પ્રેમ અને આવકાર મળે છે. લોકો વિશ્વાસ સાથે કહે છે કે ફરી એક વાર આમ આદમી પાર્ટીને જીતાડશું અને ગદ્દારને ઘર ભેગા કરશું. જનતાનો અમારા પરનો વિશ્વાસ મજબૂત છે અને જનતાનો સાથ અમારી તાકાત છે. ભાજપની કૂટ રાજનીતિ સામે આમ આદમી પાર્ટીનો રાજધર્મ જીતશે એ વિશ્વાસ છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.