Ram mandir Rangoli: 'રંગોળીમાં રામ દરબાર', સુરતની આ બહેનોની રંગોળી જોઈને રહી જશો દંગ
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jan 20, 2024, 12:03 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-01-2024/640-480-20552167-thumbnail-16x9-jpg.jpg)
સુરત : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ છે, ત્યારે સુરત શહેરમાં વિશાળ અને અલૌકિક રંગોળી ભગવાન રામને સમર્પિત કરવામાં આવી છે. આ રંગોળી કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલમાં બનાવવામાં આવી છે. 40 જેટલી બહેનોએ 11, 111 સ્ક્વેર ફૂટમાં આ વિશાળ રંગોળી બનાવી છે. જેની અંદર 1400 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સતત 15 કલાકની મહેનતથી આ રંગોળીમાં રામ દરબારને કંડાર્યો છે. ભગવાન રામ-સીતા લક્ષ્મણ હનુમાનજી સાથે વાનરસેના પણ રંગોળીમાં અંકિત કરવામાં આવી છે, એટલું જ નહીં આ રંગોળીમાં ભવ્ય રામ મંદિર પણ જોવા મળી રહ્યું છે. આ રંગોળીમાં કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરાયો નથી. જેના કારણે આ રંગોળી સંપૂર્ણ રીતે રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી લાગે છે.
TAGGED: