ETV Bharat / state

આજે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ, ચાલો જાણીએ આ રોગથી બચવા શું કરવું જોઈએ ??? - WORLD PARKINSONS DISEASES DAY

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 10:26 PM IST

Updated : Apr 12, 2024, 11:01 AM IST

આજે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ છે
આજે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ છે

11મી એપ્રિલને વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે ઉજવાય છે. આવો જાણીયે કે ધ્રુજારીની બીમારી તરીકે પ્રચલિત આ બીમારીને કેવી રીતે નિવારી શકાય છે. આ રોગની સારવારમાં ફિઝિયોથેરાપીસ્ટ્સ, ડોક્ટર્સ અને સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે? વધુ વિગતો માટે વાંચો ઈટીવી ભારતનો આ અહેવાલ. WORLD PARKINSONS DISEASES DAY

આજે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ છે

રાજકોટઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય સંલગ્ન આરોગ્ય સંસ્થાઓનાં અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં દર એક લાખમાંથી 125 વ્યક્તિઓ પાર્કિન્સન્સની બીમારીથી પીડાય છે. આમ, વર્તમાન વૈશ્વિક 795 કરોડની વસ્તીએ સરેરાશ 1 કરોડ દર્દીઓ પાર્કિન્સન્સની બીમારીથી પીડાઈ રહ્યા છે. ભારતમાં 141 કરોડની આબાદીમાં પાર્કિન્સન્સની બીમારીથી પીડાઈ રહેલા દર્દીઓની સરેરાશ સંખ્યા અંદાજે લગભગ 10 લાખ 43 હજારની આસપાસ છે. જે વૈશ્વિક પાર્કિન્સન્સની બીમારીથી પીડાતા દર્દીઓની તુલનાએ 10.50 ટકા છે.

ડોપામાઈન હોર્મોન્સનો અભાવઃ રાજકોટના ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા ચાવડા જણાવે છે કે, ભારતમાં પાર્કિન્સન્સ બીમારીનાં મૂળ સુધી હજુ ડોક્ટરો પહોંચી નથી શક્યા પરંતુ આ બીમારી ડોપામાઈન નામનાં હોર્મોન્સની સંખ્યા જે મગજની કોશિકાઓને સુકાવી દે છે તેને કારણે આ રોગ થાય છે. વર્તમાન આધુનિક જીવનશૈલીમાં લોકોએ આ બીમારીથી બચવા ડોક્ટરો અને ફિઝિયોથેરાપીસ્ટો દર્દીઓની સારવાર ઉપરાંત કાઉન્સેલિંગ પણ કરતા હોય છે જેમાં જીવનશૈલી ઉપરાંત ખોરાકની યોગ્ય માત્રા અને ક્યા યોગ્ય સમયે ખોરાક લેવો તે વિષે પણ માર્ગદર્શન તેઓ આપે છે.

મુખ્ય લક્ષણોઃ પાર્કિન્સન્સની બીમારીના મુખ્ય લક્ષણોમાં હાથ, હાથ, પગ, જડબા અથવા માથામાં ધ્રુજારી આવવી, સ્નાયુઓની જડતા, જેમાં સ્નાયુઓ લાંબા સમય સુધી સંકુચિત રહે છે, ગતિમાં ઘીમાં પડી જવું, શારીરિક સંતુલન અને શારીરિક સંકલન જાળવવામાં સમસ્યાઓ સર્જાય વગેરે જેવા લક્ષણો મુખ્યત્વે દર્દીઓમાં જોવા મળે છે. આ બીમારી માત્ર હવે વૃદ્ધોમાં જ જોવા મળે તેવું નથી રહ્યું હવે બીમારી હવે યુવાનોમાં પણ જોવા મળે છે.

  1. WORLD PARKINSONS DAY 2023 : પાર્કિન્સન્સ રોગ સામે શું પગલાં લેવા જોઈએ અને કેટલી ખતરનાક છે આ બિમારી
  2. માનસિક બિમારીથી પીડાતા લોકોની સંખ્યા 2020માં વધીને બમણી થઇ
Last Updated :Apr 12, 2024, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.