ETV Bharat / state

Vasant Panchmi 2024: વિદ્યાની સાથે અન્ન સંસ્કાર કરવાનો દિવસ એટલે વસંત પંચમી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 6:51 PM IST

સનાતન ધર્મની પરંપરા અનુસાર વસંત પંચમીને ભારતના વેલેન્ટાઈન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીએ બાળકોને વિદ્યા સાથે અન્ન સંસ્કાર આપવામાં આવતા હોય છે તેમજ રતિ દ્વારા કામદેવના પૂજનને પણ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે. વસંત પંચમીના રોજ સમગ્ર પ્રકૃતિ પીળો રંગ ધારણ કરીને નવયોવના સમાન લાવણ્ય રૂપે બનતી પણ જોવા મળે છે. Vasant Panchmi

વિદ્યાની સાથે અન્ન સંસ્કાર કરવાનો દિવસ એટલે વસંત પંચમી
વિદ્યાની સાથે અન્ન સંસ્કાર કરવાનો દિવસ એટલે વસંત પંચમી
રતિ દ્વારા કામદેવના પૂજનને પણ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે

જૂનાગઢઃ હિન્દુ પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. યોગાનુયોગ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઈન દિવસ એક સાથે આવી રહ્યો છે. વર્ષો પછી આ પ્રકારનો સંયોગ સર્જાયો છે. વસંત પંચમીને ભારતની સંસ્કૃતિમાં વેલેન્ટાઈન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર આ દિવસે માતા સરસ્વતીના પૂજન નું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પ્રકૃતિ જાણે કે પીળો રંગ ધારણ કરીને નવયૌવનાનું સ્વરૂપ લઈને લાવણ્ય સાથે જોવા મળે છે. આજના દિવસે માતા સરસ્વતીનું પીળા પુષ્પોથી પૂજન કરવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. વસંત પંચમી બાદ ધીમે ધીમે ગ્રીષ્મ ઋતુની શરૂઆત પણ થતી હોય છે.

ઋતુમાં વસંત એટલે કૃષ્ણઃ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, ઋતુરાજમાં હું વસંત છું. આજના દિવસે કોઈ પણ બાળકને પરંપરાગત શિક્ષણ અને વિદ્યા સંસ્કાર આપવા માટે વસંત પંચમીનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ આજના દિવસે નવ જન્મેલા બાળકોને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવામાં આવે તો તે વ્યક્તિ જીવન પર્યંત ખૂબ સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વસંત પંચમીએ જંગલમાં રહેતા આદિવાસીઓ પ્રકૃતિના પીળા રંગને જાણે કે તેમનામાં સમાવીને પીળા વસ્ત્રો ધારણ કરીને પ્રકૃતિ સાથે નૃત્ય પણ કરે છે. આ પ્રકારની પરંપરા આજે પણ કેટલાક આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે.

વણજોયું મુહર્ત એટલે વસંત પંચમીઃ વસંત પંચમીને વણજોયા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત જોવડાવું પડતું નથી. વસંત પંચમીનો દિવસ પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં ઉત્સવોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેથી આપણે ઉત્સવ પ્રિય માનવામાં આવે છે. અનેક ઉત્સવોને લઈને આવી રહેલી વસંત પ્રજાના શરીરમાં એક નવો ઉલ્લાસ ભરી આપતી સંસ્કૃતિ તરીકે પણ વસંત પંચમીનો ઉલ્લેખ કરાયો છે. આજના દિવસે પ્રત્યેક વ્યક્તિ ના જીવનમાં એક નવો ઉત્સાહ જોવા મળતો હોય છે જેની પાછળ પણ વસંત પંચમીનો ઉત્સવ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.

ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, ઋતુરાજમાં હું વસંત છું. આજના દિવસે કોઈ પણ બાળકને પરંપરાગત શિક્ષણ અને વિદ્યા સંસ્કાર આપવા માટે વસંત પંચમીનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમીએ રતિ દ્વારા કામદેવના પૂજનને પણ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે...પી. વી. બારસિયા(આચાર્ય, જૂનાગઢ)

  1. Saraswati Puja 2022: વસંત પંચમીના દિવસે સફેદ અને પીળા ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરો
  2. Vasant Panchami 2023: ક્યારે છે વસંત પંચમી અને સરસ્વતી પૂજા, જાણો શુભ સમય

રતિ દ્વારા કામદેવના પૂજનને પણ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે

જૂનાગઢઃ હિન્દુ પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. યોગાનુયોગ આ વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઈન દિવસ એક સાથે આવી રહ્યો છે. વર્ષો પછી આ પ્રકારનો સંયોગ સર્જાયો છે. વસંત પંચમીને ભારતની સંસ્કૃતિમાં વેલેન્ટાઈન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર આ દિવસે માતા સરસ્વતીના પૂજન નું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પ્રકૃતિ જાણે કે પીળો રંગ ધારણ કરીને નવયૌવનાનું સ્વરૂપ લઈને લાવણ્ય સાથે જોવા મળે છે. આજના દિવસે માતા સરસ્વતીનું પીળા પુષ્પોથી પૂજન કરવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. વસંત પંચમી બાદ ધીમે ધીમે ગ્રીષ્મ ઋતુની શરૂઆત પણ થતી હોય છે.

ઋતુમાં વસંત એટલે કૃષ્ણઃ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, ઋતુરાજમાં હું વસંત છું. આજના દિવસે કોઈ પણ બાળકને પરંપરાગત શિક્ષણ અને વિદ્યા સંસ્કાર આપવા માટે વસંત પંચમીનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ આજના દિવસે નવ જન્મેલા બાળકોને પ્રથમ વખત અન્ન સંસ્કાર આપવામાં આવે તો તે વ્યક્તિ જીવન પર્યંત ખૂબ સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વસંત પંચમીએ જંગલમાં રહેતા આદિવાસીઓ પ્રકૃતિના પીળા રંગને જાણે કે તેમનામાં સમાવીને પીળા વસ્ત્રો ધારણ કરીને પ્રકૃતિ સાથે નૃત્ય પણ કરે છે. આ પ્રકારની પરંપરા આજે પણ કેટલાક આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે.

વણજોયું મુહર્ત એટલે વસંત પંચમીઃ વસંત પંચમીને વણજોયા મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે કોઈ મુહૂર્ત જોવડાવું પડતું નથી. વસંત પંચમીનો દિવસ પવિત્ર માનવામાં આવે છે. ભારતમાં ઉત્સવોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેથી આપણે ઉત્સવ પ્રિય માનવામાં આવે છે. અનેક ઉત્સવોને લઈને આવી રહેલી વસંત પ્રજાના શરીરમાં એક નવો ઉલ્લાસ ભરી આપતી સંસ્કૃતિ તરીકે પણ વસંત પંચમીનો ઉલ્લેખ કરાયો છે. આજના દિવસે પ્રત્યેક વ્યક્તિ ના જીવનમાં એક નવો ઉત્સાહ જોવા મળતો હોય છે જેની પાછળ પણ વસંત પંચમીનો ઉત્સવ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.

ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે, ઋતુરાજમાં હું વસંત છું. આજના દિવસે કોઈ પણ બાળકને પરંપરાગત શિક્ષણ અને વિદ્યા સંસ્કાર આપવા માટે વસંત પંચમીનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમીએ રતિ દ્વારા કામદેવના પૂજનને પણ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે...પી. વી. બારસિયા(આચાર્ય, જૂનાગઢ)

  1. Saraswati Puja 2022: વસંત પંચમીના દિવસે સફેદ અને પીળા ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરો
  2. Vasant Panchami 2023: ક્યારે છે વસંત પંચમી અને સરસ્વતી પૂજા, જાણો શુભ સમય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.