ETV Bharat / state

Mamlatdar suicide: હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 9:21 AM IST

Updated : Feb 12, 2024, 10:10 AM IST

પાટણ જિલ્લાના હારીજની મામલતદાર કચેરીના ત્રીજા માળેથી મામલતદારે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. કચેરી સહિત લોકોમાં એક જ ચર્ચા છે કે, મામલતદાર જેવા વ્યક્તિએ આખરે શા માટે આ પ્રકારનું ગંભીર અને અંતિમ પગલું ભર્યુ ?

હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

પાટણ: હારીજની મામલતદાર કચેરી ખાતે મામલતદારે ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા હાજર કર્મચારીઓ અને લોકોના ટોળા એકત્ર થઈ ગયાં હતા. બનાવને પગલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને પંચનામું કરીને મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ સીએસસી સેન્ટર ખાતે ખસેડ્યો હતો.

હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

મામલતદારનો આપઘાત: પાટણ જિલ્લાના હારીજ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ.પટેલ ગઈકાલે (11 ફેબ્રુઆરી, રવિવારે) સવારે કચેરી આવ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર કચેરીના ધાબા ઉપર જઈને ત્યાંથી પડતું મુક્યું હતું. જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દ્રશ્ય જોઈ ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ઉપલા અધિકારીઓને કરતા જિલ્લા કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેમના મૃતદેહને પીએમ અર્થે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ત્યાર બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સુપ્રત કરાયો હતો. પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને તેમના માદરે વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. મામલતદારના મોતને લઈને અધિકારીઓને પરિવારજનોમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે.

રવિવારની સવારે 9:00 વાગ્યે મામલતદાર વી.ઓ.પટેલે કચેરીના ધાબા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી. આ અંગે પોલીસે હાલતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના મોબાઇલ નંબર ફેસુબક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ સહિત તમામ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. - ડી.ડી.ચૌધરી, DYSP, રાધનપુર

''સવારે સાહેબ આવ્યા હતા અને ગાડી પાર્ક કરીને તેઓ તેમની ઓફિસમાં ગયા હતા ત્યારબાદ કઈ પડ્યા નો અવાજ આવતા હું દોડી આવ્યો હતો અને જોયું તો સાહેબ જ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતાં, જેથી મેં અમારા નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. -કિરીટ પાઠક, ચોકિદાર, હારીજ નર્મદા નિગમ કચેરી

  1. Surat: 13 વર્ષિય સગીરે મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા આપઘાત કરી લીધો
  2. Panchmahal News: ગોધરાની ધો. 10ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

પાટણ: હારીજની મામલતદાર કચેરી ખાતે મામલતદારે ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા હાજર કર્મચારીઓ અને લોકોના ટોળા એકત્ર થઈ ગયાં હતા. બનાવને પગલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને પંચનામું કરીને મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ સીએસસી સેન્ટર ખાતે ખસેડ્યો હતો.

હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું

મામલતદારનો આપઘાત: પાટણ જિલ્લાના હારીજ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ.પટેલ ગઈકાલે (11 ફેબ્રુઆરી, રવિવારે) સવારે કચેરી આવ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર કચેરીના ધાબા ઉપર જઈને ત્યાંથી પડતું મુક્યું હતું. જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દ્રશ્ય જોઈ ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ઉપલા અધિકારીઓને કરતા જિલ્લા કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેમના મૃતદેહને પીએમ અર્થે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ત્યાર બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સુપ્રત કરાયો હતો. પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને તેમના માદરે વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. મામલતદારના મોતને લઈને અધિકારીઓને પરિવારજનોમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે.

રવિવારની સવારે 9:00 વાગ્યે મામલતદાર વી.ઓ.પટેલે કચેરીના ધાબા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી. આ અંગે પોલીસે હાલતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના મોબાઇલ નંબર ફેસુબક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ સહિત તમામ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. - ડી.ડી.ચૌધરી, DYSP, રાધનપુર

''સવારે સાહેબ આવ્યા હતા અને ગાડી પાર્ક કરીને તેઓ તેમની ઓફિસમાં ગયા હતા ત્યારબાદ કઈ પડ્યા નો અવાજ આવતા હું દોડી આવ્યો હતો અને જોયું તો સાહેબ જ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતાં, જેથી મેં અમારા નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. -કિરીટ પાઠક, ચોકિદાર, હારીજ નર્મદા નિગમ કચેરી

  1. Surat: 13 વર્ષિય સગીરે મોટા ભાઈએ બીડી પીવાની ના પાડતા આપઘાત કરી લીધો
  2. Panchmahal News: ગોધરાની ધો. 10ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
Last Updated : Feb 12, 2024, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.