ETV Bharat / state

'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા' - કેસુડો ક્યાં ઉગે, આ વર્ષે કેમ જૂજ વેચાય છે વગેરે વિગતો જાણો વિસ્તારપૂર્વક - Holi 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 4:08 PM IST

'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા'
'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા'

ભાવનગરના ડુંગરાણ વિસ્તારોમાં ઉગતો કેસુડો બજારમાં જૂજ જોવા મળી રહ્યો છે. કેસૂડાના પાણીથી ધુળેટી રમવાની પ્રથા પૌરાણિક છે. ETV BHARAT દ્વારા કેસુડો ઊગે ત્યાંથી બજારમાં આવે ત્યાં સુધીની સફર અને આયુર્વેદિક મહત્વ વિશે તૈયાર કરવામાં આવ્યો છે આ ખાસ અહેવાલ. Holi 2024 Kesudo Dhuleti Kesudo Flowers Bhavnagar

'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા'

ભાવનગરઃ ધુળેટીમાં એકબીજાને રંગોથી રંગીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે કેસુડાથી પણ ધુળેટી રમવાની પ્રથા હતી. કેસુડો ફાગણમાં ફોરમ ફેલાવતો હોય તેવા તેવા દ્રશ્યો મનોહર લાગે છે. તેમજ કેસુડાના ગુણો પણ માનવીઓ માટે ફાયદાકારક ગણાય છે. કેસુડો ક્યાં જોવા મળે છે, તેનું મહત્વ, તેમજ તેના ફાયદા વિશે વિગતવાર જાણીએ.

બજારમાં કેસુડાનું જૂજ પ્રમાણઃ કેસુડો બારેમાસ જોવા મળતો નથી. કેસુડો ફાગણ માસના પ્રારંભ બાદ બજારમાં જોવા મળતો હોય છે. ભાવનગરની મુખ્ય બજારમાં શાક માર્કેટ પાસે પાથરણા પાથરીને મહિલાઓ કેસુડાનું વેચાણ કરતી જોવા મળી રહી છે. કેસુડા વેચનાર રૈયાબેને જણાવ્યું હતું કે, અમે ભાવનગરના ખોખરા અને માળનાથ વિસ્તારમાંથી કેસુડો લાવીએ છીએ. હાલમાં 50 રુપિયાના બે પેકેટ એટલે કે અઢીસો ગ્રામ જેટલો કેસુડો વેચાય છે. દીપડા અને સાવજ ખોખરા વિસ્તારમાં હોવાને પગલે કેસુડો હવે બહુ માર્કેટમાં આવતો નથી. અમે પણ જંગલમાંથી કોઈ બેન કેસુડો એકત્ર કરીને વેચવા આવ્યા તેની પાસેથી ખરીદીને વેચીએ છીએ.

'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા'
'ફાગણમાં ફોરમ ફેલાવતા કેસુડા'

ગીરનોપટ્ટો કેસુડા માટે પ્રખ્યાતઃ ભાવનગરના આયુર્વેદિક વૈધ તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કેસુડાના વૃક્ષ, પાંદડા સંપૂર્ણ વૃક્ષ ક્યાંકને ક્યાંક ઉપયોગી થાય એવું કુદરતે બનાવ્યું છે. કેસુડાને ખાખરો પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતનો ગીરનો જે પટ્ટો છે ખાખરા અને કેસુડાના ફુલો માટે ખૂબ પ્રખ્યાત છે.

આયુર્વેદિક મહત્વઃ આયુર્વેદિક વૈધ તેજસ દોશીએ જણાવ્યું હતું કે, કેસુડાના ફૂલમાં ઘણા ઔષધીય ગુણો છે. કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં બોળીને સવારે આ પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ લાભ થાય છે. કેસુડો ખૂબ જ ઠંડક વધારે છે. આ સાથે ચામડીના હઠીલા રોગોમાં પણ 3 બીજથી ઈલાજ કરવામાં અસરકારક છે. જો કે આ ઈલાજ સાયન્ટિફિક છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત ખાખરો કે જેનો ઉપયોગ જૂના જમાનમાં પ્રસાદ માટેના પાન બનાવવામાં થતો હતો. આ વૃક્ષ ફાગણ માસમાં સૌથી વધારે ગુલાબી થઈ જાય છે આ દ્રશ્ય અદભુત અને મનોહર હોય છે.

  1. કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા ભક્તો, મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચ્યા, ફુલડોલ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ - Fuldol Festival Dwarka
  2. વિસનગરમાં રમાતી ખાસડા હોળીની અનોખી પરંપરા, જૂતાં મારો તો વર્ષ સારું જાય - Visnagar Khasda Holi 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.