ETV Bharat / state

Kutch News: ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક 4.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 5:35 PM IST

સરહદી જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરત પણે આજદિન સુધી ચાલુ રહ્યો છે.

earthquake-tremors-continue-in-kutch-an-earthquake-of-magnitude-4-dot-0-was-recorded-near-bhachau
earthquake-tremors-continue-in-kutch-an-earthquake-of-magnitude-4-dot-0-was-recorded-near-bhachau

કચ્છ: આજે પૂર્વ કચ્છના ભચાઉ નજીક 4.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. આ આંચકો પૂર્વ કચ્છના અનેક વિસ્તારની સાથે સાથે પશ્ચિમ કચ્છમાં પણ અનુભવાયો હતો. જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બપોરના 4:45 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે.ત્યારે નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે બપોરના સમયે 4:45 કલાકે 4.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં તો પશ્ચિમ કચ્છના નીરોના, માનુકુવા, ભુજ સહિતના વિસ્તારમાં કંપનની અસર થઈ હતી.

પાકિસ્તાનમાં પણ આ ભૂકંપનો આંચકો નોંધાયો હોવાના અહેવાલ મળ્યા હતા. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉ થી 21 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો.ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે.ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડાક સમયથી ભચાઉ, દુધઈ અને ધોળાવીરા પાસેની ફોલ્ટલાઈન સક્રિય થઈ છે.

ફોલ્ટ લાઈન વધુ સક્રિય: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.5 થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે.આજે બપોરે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો તો પશ્ચિમ કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ આંચકો અનુભવાયો હતો.26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલ ગોઝારા ભૂકંપની યાદ તાજી થઇ હતી.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. Earthquake: દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  2. Surat News: સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામે સજ્જડ બંધ પાળ્યો

કચ્છ: આજે પૂર્વ કચ્છના ભચાઉ નજીક 4.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. આ આંચકો પૂર્વ કચ્છના અનેક વિસ્તારની સાથે સાથે પશ્ચિમ કચ્છમાં પણ અનુભવાયો હતો. જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બપોરના 4:45 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

4.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે.ત્યારે નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે બપોરના સમયે 4:45 કલાકે 4.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં તો પશ્ચિમ કચ્છના નીરોના, માનુકુવા, ભુજ સહિતના વિસ્તારમાં કંપનની અસર થઈ હતી.

પાકિસ્તાનમાં પણ આ ભૂકંપનો આંચકો નોંધાયો હોવાના અહેવાલ મળ્યા હતા. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉ થી 21 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો.ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે.ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડાક સમયથી ભચાઉ, દુધઈ અને ધોળાવીરા પાસેની ફોલ્ટલાઈન સક્રિય થઈ છે.

ફોલ્ટ લાઈન વધુ સક્રિય: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.5 થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે.આજે બપોરે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો તો પશ્ચિમ કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ આંચકો અનુભવાયો હતો.26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલ ગોઝારા ભૂકંપની યાદ તાજી થઇ હતી.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. Earthquake: દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  2. Surat News: સ્ટોન ક્વોરીમાં થતા બ્લાસ્ટિંગના વિરોધમાં અરેઠ ગામે સજ્જડ બંધ પાળ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.