ETV Bharat / state

LK Advani Bharat Ratna : એલ કે અડવાણીને ભારત રત્ન એવોર્ડ, રાજુભાઇ રાણાએ વ્યક્ત કર્યો અભિપ્રાય

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 5:12 PM IST

ભાવનગરના ભાજપમાં પૂર્વપ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અને પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા પગલે પ્રતિક્રિયા આપી હતી. ETV BHARAT સાથેની વાતચીતમાં તેમણે એલ કે અડવાણીના વ્યક્તિત્વ વિશે પોતાના મત વ્યક્ત કર્યા હતાં. શુ કહ્યું જાણો.

LK Advani Bharat Ratna : એલ કે અડવાણીને ભારત રત્ન એવોર્ડ, રાજુભાઇ રાણાએ વ્યક્ત કર્યો અભિપ્રાય
LK Advani Bharat Ratna : એલ કે અડવાણીને ભારત રત્ન એવોર્ડ, રાજુભાઇ રાણાએ વ્યક્ત કર્યો અભિપ્રાય
ખૂબ ખૂબ અભિનંદન

ભાવનગર : ભારત સરકાર દ્વારા હાલમાં દેશનો સૌથી મોટો ભારત રત્ન એવોર્ડ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને આપવાની જાહેરાત કરી છે, ત્યારે લાલ કૃષ્ણ અડવાણીજી સાથે ભાજપમાં એક કાર્યકર્તા અને પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી ચૂકેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ રાણા સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. રાજુભાઈ રાણે ભારત રત્ન એવોર્ડ લાલકૃષ્ણ અડવાણીજીને આપવાને પગલે પોતાનો પ્રત્યુતર આપ્યો હતો. ચાલો જાણીએ.

રાજુભાઇ રાણાની પ્રતિક્રિયા : ભારત સરકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડે આપવાની જાહેરત કરતા જ ETV BHARATએ પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ રાણા સાથે ખાસ વાતચીત કરી હતી. રાજુભાઈ રાણાએ જણાવ્યું હતું કે ખૂબ જ આનંદના સમાચાર છે, એક યોગ્ય રાજનીતીજ્ઞને ભારત રત્ન એવોર્ડ ભારત સરકાર આપ્યો છે. ભારતની આઝાદી પછીનું જે રાજકારણ આખું જે થયું, એમાં અડવાણીજી અટલજીની ખૂબ મોટી ભૂમિકા એક વિરોધ પક્ષ તરીકેની રહી, એ વખતે જનસંઘ હતું. વિરોધ પક્ષની ભૂમિકામાં એમનું યોગદાન રહ્યું છે. ખૂબ સારા સમાચાર છે.

સાથે કામ કરવા મળ્યું, હુ નસીબદાર છું : રાજુભાઇ રાણાએ જણાવ્યું હતું કે હું તો નસીબદાર છું કે એમના માર્ગદર્શન નીચે પ્રદેશ પ્રમુખ તરીકે પણ ખૂબ નજીકથી અને તેમના માર્ગદર્શન નીચે કામ કરવાનું, શીખવાનું મળ્યું છે. અમુક મુદ્દા ઉપર ખુલ્લા મને ચર્ચા કરી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. સહમતિ અસહમતી અમુક મુદ્દા પર હોય આમ છતાં કાર્યકર્તા તરીકે મને તેમને પળોટયો છે. આ સમાચાર મળ્યાથી આનંદ મળ્યો, ગર્વનો વિષય છે. સમાચારથી આનંદ થયો છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય એવોર્ડ આ ભારત સરકારે આપ્યો છે એ માટે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

અડવાણીજી વિશે રાજુભાઇ રાણાનો મત : લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ આપવાને પગલે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ રાણાએ જણાવ્યું હતું કે અડવાણીજીનું આખું વ્યક્તિત્વ પાર્ટીની વિચારધારા અને કાર્યકર્તાની આજુબાજુમાં કામને લઈને રહ્યું છે, તેમને મળવાનું જ્યારે થતું ત્યારે તેમનો આગ્રહ મુખ્ય કાર્યકર્તાને ધ્યાનમાં રાખીને જે કંઈ કામ કરવાના હોય એ કરવાનો આગ્રહ પણ રહ્યો હતો. તેના કારણે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષો પછી પણ, જનસંઘમાંથી ભાજપ બન્યા પછી પણ, આજે એકદમ ભારતના નવનિર્માણની દિશામાં જે ગતિ થઈ રહી છે તેમાં ભાજપનો ખૂબ મોટો રોલ છે અને અડવાણીજીનું ખૂબ માર્ગદર્શન મળ્યું છે.

  1. Bharat Ratna : લાલ કૃષ્ણ અડવાણી હવે " ભારત રત્ન " ગુજરાત સાથેનો ઘનિષ્ઠ નાતો જાણવા જેવો...
  2. Bharat Ratna LK Advani : અડવાણીજીને ભારત રત્ન મળવો ખૂબ જ ખુશી અને ગૌરવની વાત-વિજય રૂપાણી

ખૂબ ખૂબ અભિનંદન

ભાવનગર : ભારત સરકાર દ્વારા હાલમાં દેશનો સૌથી મોટો ભારત રત્ન એવોર્ડ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને આપવાની જાહેરાત કરી છે, ત્યારે લાલ કૃષ્ણ અડવાણીજી સાથે ભાજપમાં એક કાર્યકર્તા અને પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી ચૂકેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ રાણા સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. રાજુભાઈ રાણે ભારત રત્ન એવોર્ડ લાલકૃષ્ણ અડવાણીજીને આપવાને પગલે પોતાનો પ્રત્યુતર આપ્યો હતો. ચાલો જાણીએ.

રાજુભાઇ રાણાની પ્રતિક્રિયા : ભારત સરકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડે આપવાની જાહેરત કરતા જ ETV BHARATએ પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ રાણા સાથે ખાસ વાતચીત કરી હતી. રાજુભાઈ રાણાએ જણાવ્યું હતું કે ખૂબ જ આનંદના સમાચાર છે, એક યોગ્ય રાજનીતીજ્ઞને ભારત રત્ન એવોર્ડ ભારત સરકાર આપ્યો છે. ભારતની આઝાદી પછીનું જે રાજકારણ આખું જે થયું, એમાં અડવાણીજી અટલજીની ખૂબ મોટી ભૂમિકા એક વિરોધ પક્ષ તરીકેની રહી, એ વખતે જનસંઘ હતું. વિરોધ પક્ષની ભૂમિકામાં એમનું યોગદાન રહ્યું છે. ખૂબ સારા સમાચાર છે.

સાથે કામ કરવા મળ્યું, હુ નસીબદાર છું : રાજુભાઇ રાણાએ જણાવ્યું હતું કે હું તો નસીબદાર છું કે એમના માર્ગદર્શન નીચે પ્રદેશ પ્રમુખ તરીકે પણ ખૂબ નજીકથી અને તેમના માર્ગદર્શન નીચે કામ કરવાનું, શીખવાનું મળ્યું છે. અમુક મુદ્દા ઉપર ખુલ્લા મને ચર્ચા કરી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. સહમતિ અસહમતી અમુક મુદ્દા પર હોય આમ છતાં કાર્યકર્તા તરીકે મને તેમને પળોટયો છે. આ સમાચાર મળ્યાથી આનંદ મળ્યો, ગર્વનો વિષય છે. સમાચારથી આનંદ થયો છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય એવોર્ડ આ ભારત સરકારે આપ્યો છે એ માટે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

અડવાણીજી વિશે રાજુભાઇ રાણાનો મત : લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ આપવાને પગલે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ રાણાએ જણાવ્યું હતું કે અડવાણીજીનું આખું વ્યક્તિત્વ પાર્ટીની વિચારધારા અને કાર્યકર્તાની આજુબાજુમાં કામને લઈને રહ્યું છે, તેમને મળવાનું જ્યારે થતું ત્યારે તેમનો આગ્રહ મુખ્ય કાર્યકર્તાને ધ્યાનમાં રાખીને જે કંઈ કામ કરવાના હોય એ કરવાનો આગ્રહ પણ રહ્યો હતો. તેના કારણે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષો પછી પણ, જનસંઘમાંથી ભાજપ બન્યા પછી પણ, આજે એકદમ ભારતના નવનિર્માણની દિશામાં જે ગતિ થઈ રહી છે તેમાં ભાજપનો ખૂબ મોટો રોલ છે અને અડવાણીજીનું ખૂબ માર્ગદર્શન મળ્યું છે.

  1. Bharat Ratna : લાલ કૃષ્ણ અડવાણી હવે " ભારત રત્ન " ગુજરાત સાથેનો ઘનિષ્ઠ નાતો જાણવા જેવો...
  2. Bharat Ratna LK Advani : અડવાણીજીને ભારત રત્ન મળવો ખૂબ જ ખુશી અને ગૌરવની વાત-વિજય રૂપાણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.