ETV Bharat / state

ભાવનગર મહાનગરપાલિકા નિયમીત કરવેરો ન ભરનાર કરદાતાઓ માટે લાવ્યા 'One Time Installment Scheme', જાણો તેના વિશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 4:21 PM IST

Etv Bharat
Etv Bharat

ભાવનગર મહાનગરપાલિકાને નિયમિત વેરો ભરનાર કરદાતાઓ ઘણા હશે પણ કેટલાક એવા પણ છે જેને એક દસકો વીતવા છતાં ફૂટી કોડી રકમ આપવામાં રસ નથી. આ પ્રકારના કરદાતાઓને લુભાવવા અને કર મેળવવા મહાનગરપાલિકાએ એક સ્કીમનો દડો કરદાતાઓ માટે ફેંક્યો છે. One Time Installment Scheme જાહેર કરવામાં આવી છે. જાણો આ સ્કીમ વિશે...

ભાવનગર મહાનગરપાલિકા

ભાવનગર : શહેરમાં વર્ષોથી મહાનગરપાલિકાનો વેરો નહિ ભરનારની સંખ્યા હજારોમાં છે. ત્યારે વેરો કરોડોમાં બોલી રહ્યો છે. મહાનગરપાલિકાએ વેરો કઢાવવા માટે વ્યાજના ચક્કરમાંથી મુક્તિ મેળવીને હપ્તા પદ્ધતિ દ્વારા વેરો ભરવામાં આવે તે માટે One Time Installment Scheme અમલમાં લાવી છે.

ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકા

જાણો કેટલો વેરો બાકી છે : મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને કર ભરવા માટે સ્કીમો આપવામાં આવતી હોય છે. રાહત માટેની પણ સ્કીમ હોય છે. પરંતુ વર્ષોથી ફૂટી કોડી જેટલી પણ રકમ નહિ ભરનાર કરદાતાઓ પાસેથી કર મેળવવા સ્કીમ લાવવામાં આવી રહી છે. પરંતુ કરદાતા કેટલા અને તેની કિંમત કેટલી તે વિશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં કુલ 2.34 લાખ કરદાતાઓ છે. હાલમાં અમે છેલ્લા 10 વર્ષમાં એક પણ કરની કિંમત ચુકવી ના હોઈ તેવી રહેણાંકી કરદાતા 43 હજાર છે, જેમની કરની રકમ 157 લાખ બાકી છે. જ્યારે કોમર્શિયલ એટલે બિન રહેણાંકીના કરદાતા 17,700 છે જેની કરની રકમ 171 કરોડ છે.

ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકા

વેરો વસુલ કરવા સ્કીમ લાવવામાં આવી : મહાનગરપાલિકાના બાકી કરની રકમ ઉપર 18 ટકા વ્યાજ લેવામાં આવે છે. જેને પગલે કરની કિંમત કરતા વ્યાજની રકમ વધારે થવાથી કુલ રકમ વધી જતી હોય છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, 10 વર્ષથી બધું બિલ બાકી હોઈ તેના માટે અમે One Time Installment Scheme લાવ્યા છીએ. જેમાં મૂળ રકમના પાંચ હપ્તા કરી આપવામાં આવશે. હાલની ચાલુ વર્ષની રકમ માટે પણ અમે રીબેટનો લાભ આપી રહ્યા છીએ. લોકો વધુ લાભ લે તેવી અપીલ છે.

ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકા

જાણો સ્કીમમાં જોડાવાથી શું ફાયદો થશે : મહાનગરપાલિકાએ પોતાની જૂની લેણી રકમ માટે આજદિન સુધી મેળવવામાં સફળ રહી નથી. ત્યારે હવે 10 વર્ષ કરતા જુના લેણા નાણાં મેળવવા વ્યાપારીની જેમ સ્કીમ જરુર આપી છે. પરંતુ કરદાતાઓ લાભ લે છે કે કેમ તે જોવાનું રહે છે. સ્કીમ વિશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, આ સ્કીમમાં 31/3/2024 પહેલા જોડાવામાં આવે અને પહેલો હપ્તો ભરવામાં આવશે તો જે રકમ પર દિવસે દિવસે 18 ટકાનું વ્યાજનું ચક્કર બંધ થઈ જશે, પરંતું માફ નહિ થાય.

  1. Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ
  2. garlic price hike : પાછલા ત્રણ દશકાના ઐતિહાસિક બજાર ભાવે પહોંચ્યું સૂકું લસણ, આ કારણોસર ભાવમાં થયો વધારો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.