ETV Bharat / politics

Rahul Gandhi Nyaya Yatra: આજે ઓડિશામાં એન્ટ્રી કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 9:27 AM IST

Updated : Feb 6, 2024, 11:14 AM IST

Bharat Jodo Nyaya Yatra in Khunti
Bharat Jodo Nyaya Yatra in Khunti

ઝારખંડની રાજધાની રાંચીથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે સાંજે ખુંટી પહોંચી હતી. અહીં તેઓએ કોર્ટના મેદાનમાં બનેલા કેમ્પમાં રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે આજે મંગળવારે સવારે ખુંટીમાં તેમની યાત્રા આગળ તરફ વધી રહી છે. Bharat Jodo Nyaya Yatra in Khunti

ખુંટીઃ ઝારખંડમાં મંગળવારે ભારત જોડો ન્યાય યાત્રાનો 24મો દિવસ છે અને આ દિવસે રાહુલ ગાંધીની યાત્રા પણ ઝારખંડથી રવાના થઈ રહી છે. આગળ તેઓ ઓડિશાના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેવાના છે. ઝારખંડમાં તેમનો છેલ્લો પડાવ સિમડેગા જિલ્લો હશે, જ્યાંથી ભારત જોડો ન્યાય યાત્રા ઓડિશાની સરહદમાં પ્રવેશ કરશે.

મંગળવારે, ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખૂંટી ટોલી ચોકથી રોડ શો કરતા કચેરી વળાંક તરફ જઈ રહ્યાં છે. રોડ શો દરમિયાન તેઓ કચેરી વળાંક પાસે લોકોને સંબોધિત કરશે. આ અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય તેમના સમર્થકોની મોટી ભીડ પણ રસ્તાઓ પર દેખાઈ રહી છે. રાહુલ ગાંધીની ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાતુની મુલાકાત અંગે આશંકા છે, સુરક્ષા કારણોને ટાંકીને તેમને તેમના આ કાર્યક્રમની પુષ્ટિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી નથી. જો રાહુલ ગાંધી ઉલિહાતુની મુલાકાત લેશે તો ત્યાર બાદ તેઓ ઠેઠઈટાંગર થઈને ઓડિશાના રાઉરકેલા માટે પ્રસ્થાન કરશે. જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

આ પહેલા રાંચીથી રાહુલ ગાંધીની યાત્રા સોમવારે બપોરે ખુંટી પહોંચી હતી. જોકે તેઓ સોમવારે બપોરે 3 વાગ્યે હુટાર ચોકથી બાઇક રેલી દ્વારા ખૂંટી પહોંચવાના હતા, પરંતુ તેમનો કાફલો સીધો ખૂંટી પહોંચ્યો હતો. રાહુલ ગાંધી પોતાની ટીમ સાથે ખૂંટીમાં કચેરી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. ત્યાંથી તેમનો કાફલો સીધો કેમ્પ ગયો. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું. જો કે, રાહુલ ગાંધી સીધા કેમ્પમાં ચાલ્યાં ગયા હતા જેનાથી તેમના સમર્થકો ખૂબ નિરાશ થયા. કારણ કે લોકો રસ્તા પર રાહ જોતા હતા કે તેમના નેતા આવશે અને સમર્થકો તેમના મનપસંદ નેતાને આવકારશે પરંતુ એવું ન બન્યું.

રાંચીના શહીદ મેદાનમાં રાહુલની જાહેર સભાઃ સોમવારે બપોરે રાહુલ ગાંધીએ HEC કેમ્પસમાં સ્થિત શહીદ મેદાનમાં જાહેર સભા કરી હતી. તેમણે HECની વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદથી 2014 સુધી જે સાર્વજનિક ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું તેને વેચવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેનો વિરોધ કરતી રહેશે. તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ જાતિ આધારિત ગણતરીની માંગને સમર્થન આપે છે અને જ્યારે તેમની સરકાર બનશે ત્યારે તેઓ તેનો અમલ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે જાતિ ગણતરી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ તેની માંગણી કરતા રહેશે. જાહેર સભામાં પહોંચેલા લોકોને ડરશો નહીં એવો મંત્ર આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઝારખંડમાં મહાગઠબંધનની મજબૂત અને લોકપ્રિય સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ દરેક રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે જ્યાં વિપક્ષની સરકાર છે. પરંતુ ઝારખંડમાં મહાગઠબંધનની ખડતલ એકતાના કારણે સરકાર બચી ગઈ.

  1. Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રેલીને સંબોધશે
  2. Bihar Floor Test: ઝારખંડ બાદ હવે બિહારના કૉંગ્રેસી ધારાસભ્યોને ધાક ધમકીનો ડર
Last Updated :Feb 6, 2024, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.