ETV Bharat / politics

Manohar Joshi Passed Away: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના નેતા મનોહર જોશીનું નિધન

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2024, 7:22 AM IST

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના નેતા મનોહર જોશીનું નિધન
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના નેતા મનોહર જોશીનું નિધન

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના નિધનના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ 86 વર્ષીય મનોહર જોશીની તબિયત અચાનક બગડતાં તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું શુક્રવારે સવારે 3.02 વાગ્યે નિધન થયું. મનોહર જોશીના દાદર સ્મશાન ગૃહમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે જ સમયે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મનોહર જોશી લગભગ 50 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલા હતા. કાઉન્સિલર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્યથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધી. તેઓ લોકસભા, રાજ્યસભાના સાંસદ, કેન્દ્રીય મંત્રી અને લોકસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. તેમના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના પાર્થિવ દેહને સવારે 11 થી 2 વાગ્યા સુધી માટુંગા પશ્ચિમ સ્થિત રૂપારેલ કોલેજમાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જે બાદ બપોરે લગભગ 2 વાગ્યે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

1995માં જ્યારે શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી ત્યારે મનોહર જોશી મુખ્યમંત્રી બન્યા. મનોહર જોશીને બાળ ઠાકરેના સૌથી વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવતા હતા, તેથી તેમને સીએમ પદ આપવામાં આવ્યું હતું. શિવસેના તરફથી રાજ્યના મુખ્યમંત્રી બનનાર તેઓ પ્રથમ નેતા હતા. મનોહર જોશીએ 14 માર્ચ 1995ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને 1999 સુધી આ પદ પર રહ્યા. રાજકીય મતભેદને કારણે તેઓ મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

  1. Shivraj Singh Interview with ETV Bharat: દક્ષિણના દ્વારથી દિલ્હી દરબાર સુધીનો માર્ગ કેવી રીતે નક્કી થશે ? જાણો શિવરાજ સિંહે શું કહ્યું
  2. Loksabha Election 2024: વિરોધીઓ મોદીની જ્ઞાતિને જેટલી ગાળો આપશે તેટલો 400 પારનો સંકલ્પ મજબૂત બનશે-વડાપ્રધાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.