ETV Bharat / health

Fiber Foods: ફાયબર ફૂડ્સના આરોગ્ય વિષયક ફાયદા વિશે જાણો વિગતવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 4:18 PM IST

ફાયબર ફૂડ્સના આરોગ્ય વિષયક ફાયદા વિશે જાણો વિગતવાર
ફાયબર ફૂડ્સના આરોગ્ય વિષયક ફાયદા વિશે જાણો વિગતવાર

મોટાભાગના લોકો માને છે કે યોગ્ય આરોગ્ય માટે સંતુલિત આહાર અગત્યનો છે. આંતરડાને તંદુરસ્ત રાખતા ખોરાકને આરોગવાથી સમગ્ર શરીરને ફાયદો થાય છે. ફાયબર ફૂડ્સના આરોગ્ય વિષયક ફાયદા માટે વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Dietary Fiber Foods Benefits Vital Body Organs.

હૈદરાબાદઃ શું ખાવું જોઈએ તેવી ભરપૂર સલાહો આપણી આસપાસ જોવા મળે છે. જેમાં સુપરફૂડ્સનો પણ સમાવેશ થાય છે જે આપણને 100 વર્ષ સુધી જીવતા રહેવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આપનું વજન ઓછું કરતા અને સુંદર દેખાવામાં મદદ કરતા ખોરાકનો પણ સમાવેશ થાય છે. ફાર્નકોમ્બ ફેમિલી ડાયજેસ્ટિવ હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના એક રિસર્ચર માર્ક વુલ્જિંસ્કી જણાવે છે કે કોઈ સાર્વભૌમત્વ ધરાવતો ખોરાક છે જ નહી જે શરીરની દરેક સમસ્યા માટે કારગત હોય.

જો કે મોટાભાગના પ્રોફેશનલ્સ ખોરાકના વિવિધ વિભાગો વચ્ચે સંતુલનને મહત્વ આપે છે. જેમાં શાકભાજી તેમજ ફરમેન્ટેડ ફૂડ્સને સામેલ કરવો બહેતર છે. આંતરડાના આરોગ્યને મજબૂત કરતો ખોરાક લેવાથી તમારા આખા શરીરને ફાયદો મળે છે.

ફાયબર ફૂડ્સનું મહત્વ દસકાઓથી લોકો જાણે છે. સ્વ. મહાન સર્જન અને ફાયબર સંશોધક ડેનિસ બર્કિટે એકવાર કહ્યું હતું કે જો તમે નાનો મળત્યાગ કરશો તો તમારે મોટી હોસ્પિટલની જરુર પડશે. ફાયબર ફૂડ્સ આંતરડાને તેની કામગીરી કરવા ઉપરાંત બીજા પણ મહત્વના કાર્યો કરે છે. ફાયબરને પ્રીબાયોટિક પોષક તત્વ માનવામાં આવે છે. પ્રીબાયોટિક્સ સક્રિય સ્વરુપે પચી જાય છે અને અવશોષિત થતા નથી, કારણ કે તે આપણા આંતરડામાં બેક્ટેરિયાની લાભકારી પ્રજાતિના વિકાસમાં મદદરુપ છે. આ બેક્ટેરિયા આપણે આરોગેલા ખોરાકને પચાવવામાં મદદરુપ થાય છે. જેથી આપણે વધુમાં વધુ પોષકતત્વો મેળવી શકીએ. આંતરડાના કામને સુગમ બનાવવા માટે હાનિકારક બેક્ટેરિયાના વિકાસને રોકી શકીએ. જ્યારે ફાયબર આપણી કોશિકાઓ દ્વારા વ્યક્ત રિસેપ્ટર્સ સાથે સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેનો આપણા શરીરની ઈમ્યૂનિટી પર લાભદાયી પ્રભાવ થાય છે. જેમાં ઈમ્યૂનિટી વધુ પ્રબળ બને છે.

વેસ્ટર્ન ફૂડમાં ફાયબર ઓછું હોય છે તેમજ અપ્રણાલીગત તત્વોથી ભરપૂર હોય છે. ઉંમર, લિંગ અને મહેનતના સ્તરે વ્યક્તિએ રોજ 25થી 38 ગ્રામ ફાયબર લેવો જોઈએ. મોટાભાગના લોકો આના કરતા અડધા ભાગમાં ફાયબરનો ઉપભોગ કરે છે. જે સમગ્ર શરીરના આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પાડે છે. ખોરાકમાં ફાયબરના મહત્વના સ્ત્રોતોમાં આખું અનાજ, ફળો, શાકભાજી, મેવો, બીજ વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક રેસાયુક્ત તત્વોથી ભરપૂર હોય છે. હકીકતમાં ખાદ્ય પદાર્થોમાં રેસાયુક્ત અને બિન રેસાયુક્ત તત્વોનું મિશ્રણ જોવા મળે છે. દરેકની પોતપોતાની રીતે અલગ ખૂબીઓ છે. હાઈ ફાયબર સ્નેક્સ પણ લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે. 2022માં 7 અરબ અમેરિકન ડોલર્સ સાથે પ્રીબાયોટિક ઘટક બજારનું મૂલ્ય 2032માં ત્રણ ગણું વધું થવાની આશા છે.

ફાયબરયુક્ત ખોરાકનું સમર્થન કરતા અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે. ફાયબર માત્ર મોટા આંતરડાના કામકાજ સાથે સંકળાયેલ નથી પરંતુ આ સમગ્ર શરીરના આરોગ્ય સાથે સંકળાયેલ મસ્તિષ્ક આરોગ્ય સાથે પણ સંકળાયેલ છે. ફાયબરની ઓછી માત્રાવાળો ખોરાક અનેક આંતરડાના રોગોનું કારણ બને છે. એવા પણ અભ્યાસ થયા છે જેમાં અનેક ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ રોગોમાં ફાયબર સંજ્ઞાનાત્મક કાર્યમાં સુધાર બતાવે છે. જો કે વિશિષ્ટ પ્રકારના ફાયબર અને ખોરાક મોટાભાગની બીમારીઓમાં ફાયદેમંદ નથી.

આશ્ચર્યજનક બાબત એ છે કે દરેક ફાયબર આપણા શરીર માટે યોગ્ય નથી. ફાયબરનો ઉપયોગ અપાચ્ય પૌધે પોલીસેકેરાઈડ માટે એક વ્યાપક શબ્દના સ્વરુપે કરવામાં આવે છે. તેથી આંતરડામાં અલગ અલગ ક્ણિવન ક્ષમતા, ઘુલનશીલતા અને ચીકણાશના અનેક પ્રકારો જોવા મળે છે. ચીજોને વધુ જટિલ બનાવવા માટે સ્ત્રોત પણ મહત્વનો છે. એક છોડનું ફાયબર બીજા છોડના ફાયબર જેવું હોતું નથી. એક જૂની કહેવત છે કે અતિ સર્વતે વર્જ્ય. એટલે કે કોઈપણ વસ્તુનું વધુ પ્રમાણ વર્જ્ય છે. ફાયબરનું વધુ પડતું સેવન કબજિયાત, પ્રદાહ અને ગેસ જેવા લક્ષણો પેદા કરી શકે છે. તે આંશિક રીતે આંતરડામાં માઈક્રોબાયોમ સર્જે છે. જેમાં ફેટી એસિડની શોર્ટ ચેન હોય છે.

ફાયબર ખોરાકનો મહત્વપૂર્ણ ભાગ છે. જે આંતરડા અને સમગ્ર આરોગ્ય બંનેને ફાયદાકારક છે. ફાયબરને આરોગ્યાબાદ આપને સંતોષ અનુભવાય છે, કારણ કે ફાયબર યુક્ત ખોરાકથી આપણા લોહીમાં શર્કરા અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે. પ્રીબાયોટિક્સ આંતરડાના બેક્ટેરિયાના વિકાસને મહત્વ આપે છે. જો કે દરેક ફાયબર એક સમાન હોતા નથી. ફાયબર બીમારીઓની સારવાર કરી શકે નહિ પરંતુ સારવારમાં ઉપયોગી દવા માટે બહેતરીન પૂરક ઉદ્દીપક છે.

  1. Body Image Problems : પુરુષોમાં શારીરિક છબીની સમસ્યાઓ વધી રહી છે - સંશોધન તેમને સુધારવાના માર્ગો સૂચવે છે
  2. Antibiotics: આરોગ્ય મંત્રાલયે એન્ટિબાયોટિક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવા ચોક્કસ સંકેતો ફરજિયાત કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.