ETV Bharat / bharat

Supreme Court: કયા અધિકાર હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો?-સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 7:13 PM IST

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પુરુષોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર મારવાના કેસમાં ગુજરાતના 4 પોલીસ અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી કોર્ટની અવમાનના અને જેલની સજા પરનો સ્ટે લંબાવ્યો છે. વાંચો ઈટીવી ભારતના સુમિત સક્સેનાનો અહેવાલ. Supreme Court Gujatar High Court Kheda 5 Muslim Publicly Beaten Under what authority

કયા અધિકાર હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો?-સુપ્રીમ કોર્ટ
કયા અધિકાર હેઠળ લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો?-સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના ખેડામાં મુસ્લિમ યુવકોની જાહેરમાં પીટાઈ કરવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સામેલ 4 પોલીસ અધિકારીઓની કોર્ટની અવમાનના અને જેલની સજા પરનો સ્ટે લંબાવ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારીઓને 14 દિવસની કેદની સજા ફરમાવી હતી.

જસ્ટિસ બી.આર. ગવઈ અને સંદીપ મહેતાની સંયુક્ત બેન્ચે આ મામલાની તપાસ કરવા સંમતિ આપતાં પોલીસ અધિકારીઓને તેમના વર્તન બદલ સખત ઠપકો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે, આ કેવો અત્યાચાર, અને પછી તમે અપેક્ષા કરો છો કે આ કોર્ટ લોકોને થાંભલાઓ સાથે બાંધી જાહેરમાં મારવાના ગુનામાં રાહત આપે.

પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવેએ કહ્યું હતું કે, તેમના અસીલો પહેલેથી જ ફોજદારી, ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસનો સામનો કરી રહ્યા છે. દવેએ તિરસ્કારના કેસમાં તેમની સામે પગલાં લેવા માટે હાઈકોર્ટ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સિદ્ધાર્થ દવેએ કહ્યું કે, ડી.કે. બસુ કેસમાં કોર્ટના આદેશની 'ઈચ્છા પૂર્વક અવમાનના' થઈ શકે નહીં.

બેન્ચે દવેને પૂછ્યું, શું તમને કાયદા હેઠળ અધિકાર છે? લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવો?...અને વીડિયો બનાવવો?" દવેએ દલીલ કરી હતી કે પ્રશ્ન આરોપીઓની ગુનાહિતતા અંગેનો નથી, પરંતુ હાઈકોર્ટના અધિકારક્ષેત્રનો છે.

બેન્ચે પૂછ્યું, શું કાયદાનું અજ્ઞાન માન્ય બચાવ છે? દવેએ હાઈકોર્ટના તારણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે મુસ્લિમ પુરુષોને 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તારણો મુકદ્દમાને આધિન છે અને, તિરસ્કારના અધિકારક્ષેત્ર હેઠળ, તેમની સામે કોઈપણ ગુના માટે કાર્યવાહી થઈ શકે નહીં.

દલીલો સાંભળ્યા બાદ સંયુક્ત બેન્ચે અપીલની તપાસ કરવા સંમતિ દર્શાવી હતી. દવેએ તિરસ્કારના કેસમાં હાઈકોર્ટના પોતાના આદેશ પર સ્ટેની મુદત લંબાવવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટ સમક્ષ અવમાનનાની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે, કસ્ટડીને એન્જોય કરો. તમે તમારા પોતાના સહકર્મચારીઓના મહેમાન બનશો. તેઓ તમને ખાસ મહેમાનગતિ પૂરી પાડશે.

ગુજરાત હાઈ કોર્ટના ઓક્ટોબરના આદેશ સામે કોર્ટના અવમાનના અધિનિયમ, 1971ની કલમ 19 હેઠળ પોલીસ અધિકારીઓ એ.વી. પરમાર અને અન્ય 3 દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ હતી. હાઈ કોર્ટ પોલીસ અધિકારીઓને તેના નિર્ણયને પડકારવા માટે પરવાનગી આપવા માટે તેના આદેશના અમલ પર ત્રણ મહિના માટે સ્ટે આપવા સંમત થઈ હતી. જાહેરમાં કોરડાનો માર ખાનારા 5 મુસ્લિમ પુરુષોએ કસ્ટોડિયલ ટોર્ચર અંગે ડી.કે. બાસુ માર્ગદર્શિકાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. હાઈ કોર્ટે તેમના પર કોર્ટની અવમાનનાનો આરોપ મૂક્યો હતો.

  1. Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટ બિલ્કીસ કેસના ગુનેગારોની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ
  2. Supreme Court : મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ ઠાકરે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટ 22 જાન્યુઆરીએ સુનાવણી કરશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના ખેડામાં મુસ્લિમ યુવકોની જાહેરમાં પીટાઈ કરવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સામેલ 4 પોલીસ અધિકારીઓની કોર્ટની અવમાનના અને જેલની સજા પરનો સ્ટે લંબાવ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારીઓને 14 દિવસની કેદની સજા ફરમાવી હતી.

જસ્ટિસ બી.આર. ગવઈ અને સંદીપ મહેતાની સંયુક્ત બેન્ચે આ મામલાની તપાસ કરવા સંમતિ આપતાં પોલીસ અધિકારીઓને તેમના વર્તન બદલ સખત ઠપકો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે, આ કેવો અત્યાચાર, અને પછી તમે અપેક્ષા કરો છો કે આ કોર્ટ લોકોને થાંભલાઓ સાથે બાંધી જાહેરમાં મારવાના ગુનામાં રાહત આપે.

પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવેએ કહ્યું હતું કે, તેમના અસીલો પહેલેથી જ ફોજદારી, ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની તપાસનો સામનો કરી રહ્યા છે. દવેએ તિરસ્કારના કેસમાં તેમની સામે પગલાં લેવા માટે હાઈકોર્ટ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સિદ્ધાર્થ દવેએ કહ્યું કે, ડી.કે. બસુ કેસમાં કોર્ટના આદેશની 'ઈચ્છા પૂર્વક અવમાનના' થઈ શકે નહીં.

બેન્ચે દવેને પૂછ્યું, શું તમને કાયદા હેઠળ અધિકાર છે? લોકોને થાંભલા સાથે બાંધીને માર મારવો?...અને વીડિયો બનાવવો?" દવેએ દલીલ કરી હતી કે પ્રશ્ન આરોપીઓની ગુનાહિતતા અંગેનો નથી, પરંતુ હાઈકોર્ટના અધિકારક્ષેત્રનો છે.

બેન્ચે પૂછ્યું, શું કાયદાનું અજ્ઞાન માન્ય બચાવ છે? દવેએ હાઈકોર્ટના તારણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે મુસ્લિમ પુરુષોને 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તારણો મુકદ્દમાને આધિન છે અને, તિરસ્કારના અધિકારક્ષેત્ર હેઠળ, તેમની સામે કોઈપણ ગુના માટે કાર્યવાહી થઈ શકે નહીં.

દલીલો સાંભળ્યા બાદ સંયુક્ત બેન્ચે અપીલની તપાસ કરવા સંમતિ દર્શાવી હતી. દવેએ તિરસ્કારના કેસમાં હાઈકોર્ટના પોતાના આદેશ પર સ્ટેની મુદત લંબાવવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટ સમક્ષ અવમાનનાની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે, કસ્ટડીને એન્જોય કરો. તમે તમારા પોતાના સહકર્મચારીઓના મહેમાન બનશો. તેઓ તમને ખાસ મહેમાનગતિ પૂરી પાડશે.

ગુજરાત હાઈ કોર્ટના ઓક્ટોબરના આદેશ સામે કોર્ટના અવમાનના અધિનિયમ, 1971ની કલમ 19 હેઠળ પોલીસ અધિકારીઓ એ.વી. પરમાર અને અન્ય 3 દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ હતી. હાઈ કોર્ટ પોલીસ અધિકારીઓને તેના નિર્ણયને પડકારવા માટે પરવાનગી આપવા માટે તેના આદેશના અમલ પર ત્રણ મહિના માટે સ્ટે આપવા સંમત થઈ હતી. જાહેરમાં કોરડાનો માર ખાનારા 5 મુસ્લિમ પુરુષોએ કસ્ટોડિયલ ટોર્ચર અંગે ડી.કે. બાસુ માર્ગદર્શિકાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. હાઈ કોર્ટે તેમના પર કોર્ટની અવમાનનાનો આરોપ મૂક્યો હતો.

  1. Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટ બિલ્કીસ કેસના ગુનેગારોની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ
  2. Supreme Court : મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ ઠાકરે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટ 22 જાન્યુઆરીએ સુનાવણી કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.