ETV Bharat / bharat

Ram Mandir: આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, મંગળ ધ્વનિ અને તાળીઓ વગાડીને રામલલ્લાને જગાડ્યાં, આંખો ખોલતા જ...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 7:02 AM IST

Updated : Jan 22, 2024, 9:31 AM IST

આજે અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓ આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની રહી છે. રવિવારથી જ ભાવિકોનો પ્રવાહ રામનગરીમાં આવતો શરૂ થઈ ગયો હતો.

આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા
આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં છ દિવસ સુધી ચાલેલા ધાર્મિક અનુષ્ઠાન બાદ આજે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દેશી-વિદેશી મહેમાનો સહભાગી થઈ રહ્યાં છે. રવિવારે રામલલાને 125 કળશના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ શૈયાધિવાસ સંસ્કાર મુજબ હાલરડુ ગાઈને તેમને સુવાડવામાં આવ્યાં હતાં. સોમવારે વહેલી સવારે તાળીઓના ગડગડાટ અને શુભ નાદ સાથે રામલલા જગાડવામાં આવ્યાં હતાં. તેમને આંખો ખોલતા જ તેમને તરત દર્પણ બતાવવામાં આવ્યો હતો.

  • #WATCH उत्तर प्रदेश: अयोध्या में होने वाले प्राण प्रतिष्ठा समारोह से पहले राम मंदिर की झलकियां।

    (सोर्स: शरद शर्मा, मीडिया प्रभारी विश्व हिंदू परिषद) pic.twitter.com/kj5TuILpcT

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંગળવારથી જ 6 દિવસીય અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યો હતો. આજે મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. મંગળવારે પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવી હતી. બુધવારે રામલલાની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરવામાં આવી હતી. અને ત્યારે બાદ રામ લલ્લાની મૂર્તિને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ગુરૂવારે તીર્થયાત્રા, જળયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસનો કાર્યક્રમ યોજાયો હતો. રામલલાની મૂર્તિને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સાંજે, તેમના શરીરને સુગંધિત પદાર્થોનો લેપ કરવામાં આવ્યો હતા. ત્યાર બાદ શુભ મુહૂર્તમાં રામલલાને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા હતા.

પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે, અભિજીત મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12:29 મિનિટ 8 સેકન્ડથી લઈને 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના રોજ, પોષ મહિનાની દ્વાદશી તિથિએ અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવમશા પર થશે. આ શુભ મુહૂર્ત 12:29 મિનિટ અને 08 સેકન્ડથી 12:30 મિનિટ અને 32 સેકન્ડ સુધીનું રહેશે. એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા માટેનું શુભ મુહૂર્ત 84 સેકન્ડનું રહેશે.

  • #WATCH अयोध्या: राम जन्मभूमि के मुख्य पुजारी आचार्य सत्येंद्र दास ने कहा, "...राम भक्तों की इच्छा पूरी हो रही है... श्री राम के विराजित होने पर सारी विषमताएं खत्म हो जाएंगी..." pic.twitter.com/K0ie2uF6v6

    — ANI_HindiNews (@AHindinews) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, રામ ભક્તોની ઈચ્છા પુર્ણ થઈ રહી છે. શ્રી રામના બિરાજમાન થવાથી તમામ અસમાનતાનો અંત આવશે

  • #WATCH मुंबई: पूर्व भारतीय क्रिकेटर सचिन तेंदुलकर श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के लिए अयोध्या रवाना हुए। pic.twitter.com/z4xL3IcA9e

    — ANI_HindiNews (@AHindinews) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભૂતપૂર્વ ક્રિકેટ સચિન તેડુંલકર પત્ની સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા જવા રવાના

મુંબઈથી અભિનેતા રણબીર કપૂર, પત્ની આલિયા ભટ્ટ અને નિર્દેશક રોહિત શેટ્ટી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા જવા રવાના થયા હતા.

  • #WATCH अयोध्या: गायक कैलाश खेर ने राम मंदिर प्राण प्रतिष्ठा समारोह पर कहा, "बहुत उत्साह है, ऐसा लग रहा है जैसे देवलोक से बुलावा आया है। आज का दिन इतना शुभ है कि न केवल भारत में बल्कि तीनों लोकों में उत्सव मन रहा है..." pic.twitter.com/0mw4km9hyT

    — ANI_HindiNews (@AHindinews) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગાયક કૈલાશ ખેરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર કહ્યું, "ખૂબ જ ઉત્તેજના છે, એવું લાગે છે કે જાણે સ્વર્ગીય દુનિયામાંથી કોઈ કોલ આવ્યો છે. આજે એટલો શુભ દિવસ છે કે આ ઉજવણી માત્ર ભારત માંજ નથી થઈ રહી પરંતું ત્રણેય લોકમાં થઈ રહી છે.

  • #WATCH मुंबई: अभिनेता रणबीर कपूर, अभिनेत्री आलिया भट्ट और निर्देशक रोहित शेट्टी श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के लिए अयोध्या रवाना हुए। pic.twitter.com/JikiaHX2H9

    — ANI_HindiNews (@AHindinews) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. Ram Mandir Pran Pratistha: રામ મંદિરના મુખ્ય દ્વારને ગાઝીપુર મંડીથી મોકલવામાં આવેલા ફૂલોથી શણગારવામાં આવશે
  2. Nirmala Sitaraman: અયોધ્યા મહોત્સવ અગાઉ નાણાં પ્રધાન અને ડીએમકે વચ્ચે આરોપ પ્રત્યારોપણ થયા
Last Updated :Jan 22, 2024, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.