ETV Bharat / bharat

Mann Ki Baat: પીએમ મોદીની 'મન કી બાત', રેડિયો પર 109માં એપિસોડનું પ્રસારણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 9:55 AM IST

Updated : Jan 28, 2024, 11:10 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 109મી વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો દેશની જનતા સમક્ષ વ્યક્ત કરી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, 2024ના વર્ષનો આ તેમનો પહેલો મન કી બાત કાર્યક્રમ છે.

આજે પીએમ મોદી 109મી વખત રેડિયો પર કરશે 'મન કી બાત'
આજે પીએમ મોદી 109મી વખત રેડિયો પર કરશે 'મન કી બાત'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વિવિધ વિષયો પર વાતચીત કરે છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ વિજ્ઞાન, માનસિક સ્વાસ્થ્ય અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત ઘણા વિષયો પર વાત કરી હતી.

પીએમે જણાવ્યું હતું કે કેવી રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી નવીન ટેકનોલોજીએ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓનો વિસ્તાર કર્યો છે. તેમણે યુપીમાં કાશી-તમિલ સંગમમ કાર્યક્રમ વિશે પણ વાત કરી, જ્યાં સ્વદેશી AI-સંચાલિત ભાશિની એપ્લિકેશને તેમના શબ્દોનો હિન્દીમાંથી તમિલમાં સરળ અનુવાદની ખાતરી કરી. તેમણે કહ્યું કે કાશી-તમિલ સંગમમાં ભાગ લેનારા લોકો આ પ્રયોગને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

અગાઉના કાર્યક્રમમાં ફિટનેસ અને તેની ટિપ્સ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાઓના સ્થાપકો, ભારતીય મહિલા ક્રિકેટના સભ્યો, અનુભવી ચેસ ખેલાડીઓ, અભિનેતાઓ અને અન્ય લોકોએ પ્રસારણ દરમિયાન તેમની ફિટનેસ ટીપ્સ શેર કરી. વડાપ્રધાનના આ કાર્યક્રમે સમાજના તમામ વર્ગોને પ્રભાવિત કર્યા છે. આર્થિક રીતે મજબૂત બનવાની સાથે લોકોને રાષ્ટ્ર નિર્માણમાં સહકાર આપવાની પ્રેરણા મળી છે. મન કી બાત 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થઈ હતી. 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા વડાપ્રધાને વિશ્વની એવી વ્યક્તિઓને શોધી કાઢી હતી જેમણે તેમના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું હતું.

  1. India-France Partnership :ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકીકરણને વધુ ગાઢ બનાવવા માટે થયાં સંમત
  2. PM Narendra Modi: સુપ્રીમ કોર્ટની હીરક જયંતી, PM મોદીની અધ્યક્ષતામાં ખાસ સમારોહનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વિવિધ વિષયો પર વાતચીત કરે છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ વિજ્ઞાન, માનસિક સ્વાસ્થ્ય અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત ઘણા વિષયો પર વાત કરી હતી.

પીએમે જણાવ્યું હતું કે કેવી રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી નવીન ટેકનોલોજીએ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓનો વિસ્તાર કર્યો છે. તેમણે યુપીમાં કાશી-તમિલ સંગમમ કાર્યક્રમ વિશે પણ વાત કરી, જ્યાં સ્વદેશી AI-સંચાલિત ભાશિની એપ્લિકેશને તેમના શબ્દોનો હિન્દીમાંથી તમિલમાં સરળ અનુવાદની ખાતરી કરી. તેમણે કહ્યું કે કાશી-તમિલ સંગમમાં ભાગ લેનારા લોકો આ પ્રયોગને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

અગાઉના કાર્યક્રમમાં ફિટનેસ અને તેની ટિપ્સ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાઓના સ્થાપકો, ભારતીય મહિલા ક્રિકેટના સભ્યો, અનુભવી ચેસ ખેલાડીઓ, અભિનેતાઓ અને અન્ય લોકોએ પ્રસારણ દરમિયાન તેમની ફિટનેસ ટીપ્સ શેર કરી. વડાપ્રધાનના આ કાર્યક્રમે સમાજના તમામ વર્ગોને પ્રભાવિત કર્યા છે. આર્થિક રીતે મજબૂત બનવાની સાથે લોકોને રાષ્ટ્ર નિર્માણમાં સહકાર આપવાની પ્રેરણા મળી છે. મન કી બાત 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થઈ હતી. 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા વડાપ્રધાને વિશ્વની એવી વ્યક્તિઓને શોધી કાઢી હતી જેમણે તેમના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું હતું.

  1. India-France Partnership :ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકીકરણને વધુ ગાઢ બનાવવા માટે થયાં સંમત
  2. PM Narendra Modi: સુપ્રીમ કોર્ટની હીરક જયંતી, PM મોદીની અધ્યક્ષતામાં ખાસ સમારોહનું ઉદ્ઘાટન
Last Updated : Jan 28, 2024, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.