ETV Bharat / bharat

હજારીબાગ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત - Manish Jaiswal Interview

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 2:54 PM IST

હજારીબાગની ચૂંટણી રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. અને આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. હજારીબાગમાં ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ અને કોંગ્રેસના ઉમેદવાર જયપ્રકાશભાઈ પટેલ વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બંને ઉમેદવારો સિવાય એક ત્રીજી વ્યક્તિ પણ છે જે એક પછી એક આક્ષેપોનો પ્રહાર કરી રહી છે. અને હજારીબાગ ભાજપના ઉમેદવારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તે વ્યક્તિ બીજા કોઈ નહિ પણ દેશના પૂર્વ નાણા અને વિદેશ મંત્રી યશવંત સિંહા છે. યશવંત સિન્હાએ સોશિયલ પ્લેટફોર્મ દ્વારા ભાજપના ઉમેદવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. ETV ભારત સાથે પહેલીવાર વાત કરતા ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલે તેમને પાર કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપ્યો છે. જે ETV ભારતના સંવાદદાતા અને ભાજપના ઉમેદવાર વચ્ચેની વાતચીત દરમિયાન જોવા મળે છે. - Manish Jaiswal Interview

હજારીબાગ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત
હજારીબાગ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત (etv bharat)

હજારીબાગઃ હજારીબાગ લોકસભા સીટની ચૂંટણીને હવે માત્ર 9 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં દરેક સંસદ ઉમેદવારોએ ચૂંટણી કચેરીઓ પ્રચાર વાહનો સાથે મેદાનમાં ઉતરી તેમનો ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે.

હજારીબાગ લોકસભા મતવિસ્તારમાંથી એનડીએ સમર્થિત ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ છેલ્લા 69 દિવસથી આ વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. અને તે વિસ્તારમાં સતત અભિયાન તેમજ લોકો સાથે મળી વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અભિયાન દરમિયાન ETV ભારત સંવાદદાતાએ ભાજપના સાંસદ ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ મનીષ જયસ્વાલે આપ્યા હતા.

હજારીબાગ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત (etv bharat)

પ્રશ્ન: તમે કયા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જાઓ છો?

જવાબ: હું વિકાસ અને ગરીબ કલ્યાણના મુદ્દાઓને લઈને સામાન્ય જનતાની વચ્ચે જવું છું. અને મને તેમનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તો સામાન્ય જનતાને શું ભેટ આપવામાં આવશે તે અંગે દરેક વ્યક્તિ પાસેથી સમર્થન માંગવામાં આવી રહ્યું છે.

સવાલ: શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હજુ પણ લોકપ્રિયતા અકબંધ છે?

જવાબઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આગળ લઈ જવાનું કામ શરુ કર્યું છે. આ સાથે દેશના ગરીબોને માન-સન્માન આપીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કરવામાં આવું રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આપણા દેશનું સન્માન વધ્યું છે. તેમને જે કામ કર્યું છે તે અદ્ભુત છે. તેમની ખાસિયત છે કે આજે જ્યાં પણ જનસંપર્ક કે રોડ-શો થઈ રહ્યા છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારાઓ સંભળાય છે. સામાન્ય જનતા તો વડાપ્રધાનના નામ પર જ વોટ આપવા ઉત્સુક જણાય છે. જે સીધું દેખાઈ આવે છે કે અમને જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે.

સવાલ: કેટલા દિવસથી જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે અને તમે કયા-કયા ગામોમાં પોંહચીને અભ્યાનનને પાર પડ્યું છે?

જવાબઃ અત્યાર સુધી લોકસંપર્કના ટેલિ કે લોકોને તેમની જગ્યાએ મળવાના 68 દિવસ થયા છે. અમે 1200 ગામડાઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ. અને ત્યાં વિકાસના એજન્ડા પર જ મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ગામડાના લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા વિભાગ માટે કઈ યોજના બનાવી છે. આનાથી તેમને શું ફાયદો થશે? આગામી સમયમાં કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય અને વીજળી પર ખાસ કામ કરવાની યોજના તૈયાર કરી છે. જનતાના આશીર્વાદ મળશે અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો ગરીબ કલ્યાણ યોજના અમલમાં મુકાશે.

સવાલઃ યશવંત સિન્હા તમને ટાર્ગેટ કરી રહ્યા છે પરંતુ તમે કોઈ નિવેદન નથી આપી રહ્યા. આખરે આની પાછળનું કારણ શું છે?

જવાબઃ યશવંત સિન્હા એનાથી નારાજ નથી કે મને ટિકિટ મળી છે. એ નારાજ કરણકી ભારતીય જનતા પાર્ટીએ તેમના છોકરાની ટિકિટ રદ કરી છે. જો તેઓ ગુસ્સે થઈને આ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા હોય, તો હું તેના પર કોઈ પ્રતિક્રિયા આપવા માંગતો નથી. હું મારી પ્રતિષ્ઠા બગાડવા માંગતો નથી. આજે પણ તેઓ આદરણીય અને વૃદ્ધ છે. તેમને સન્માન આપવું એ મારી ફરજ છે.

સવાલ: જો તમે સાંસદ બનો તો તમારો ડ્રીમ પ્રોજેક્ટ શું હશે?

જવાબ: હજારીબાગમાં વિસ્થાપન અને રોજગાર એક મોટી સમસ્યા તરીકે દેખાય છે. વિસ્થાપિત લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિસ્થાપનની સમસ્યા કેવી રીતે ઓછી થાય અને તેના માટે વધુ સારું કામ કરી શકાય તે અંગે સરકાર કામ કરશે. આ સમસ્યા પણ હલ થઈ જશે.

સવાલઃ તમારા મતે આ વખતે જીતનું માર્જિન કેટલું રહેશે?

જવાબ: ભાજપ જીતના માર્જિન માટે કામ કરતું નથી. એવું માનવામાં આવે છે કે 80 ટકા વસ્તી ભાજપની વિચારધારાને સમર્થન આપે છે. આ કારણથી કુલ મતોના 80 ટકા મત ભાજપને મળવા જોઈએ.

પ્રશ્ન: વર્તમાન સમયમાં મતદાનની ઓછી ટકાવારી કેવી રીતે જોવી જોઈએ?

જવાબ: મતદાનની ટકાવારીમાં ઘટાડો થવાના ત્રણ કારણો હોઈ શકે છે - ચૂંટણીનો સમય, સ્થળાંતર અને ગરમી. ચૂંટણી પંચે આ અંગે ચિંતા કરવી જોઈએ. પંચને 6 મહિના પહેલા કે 6 મહિના પછી પણ ચૂંટણી કરાવવાનો અધિકાર છે.

અંતે, મનીષ જયસ્વાલે હજારીબાગના લોકોને 20મી મેના રોજ તેમના ઘરોમાંથી બહાર આવવા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. મનીષ જયસ્વાલે હજારીબાગ લોકસભા મતવિસ્તારની બારહી વિધાનસભા, રામગઢ વિધાનસભા, માંડુ વિધાનસભા, બરકાગાંવ વિધાનસભા અને સદર વિધાનસભા મતવિસ્તારની મોટાભાગની પંચાયતોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. અને વિસ્તારના બાકી રહેલા ગામડાઓ સુધી પહોંચવાના તેમના પ્રયાસો ચાલુ છે.

  1. પીએમ મોદીના પ્રસ્તાવક માટે હાઈકમાન્ડે 18 નામોની યાદી ફાઈનલ કરી, યાદીમાં ખેડૂતો અને પાન વિક્રેતાઓનો પણ સમાવેશ - PM MODI PROPONENT
  2. PM નરેન્દ્ર મોદી આજે ચતરામાં ચૂંટણી રેલી કરશે - lok sabha election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.