ETV Bharat / bharat

Maharashtra News: મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓની માંગણી સ્વીકારી, આંદોલન સમેટાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 6:15 PM IST

મરાઠાઓનું આંદોલન સમેટાયું
મરાઠાઓનું આંદોલન સમેટાયું

મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે કહ્યું કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. આજે સવારે તેઓ મુખ્યમંત્રીને મળ્યા બાદ ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

મુંબઈ: રાજ્ય સરકારે મનોજ જરાંગે પાટીલની માંગણીઓ સ્વીકારી લીધા બાદ તેમણે શનિવારે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મરાઠા આરક્ષણ કાર્યકર્તાઓએ એક સાથે હર્ષોલ્લાસ કર્યો. માંગણીઓ સ્વીકાર્યા બાદ મનોજ જરાંગે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું જણાવ્યું હતું. ઉપવાસ તોડ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મનોજ જરાંગે પણ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે વર્ષા બંગલાથી નવી મુંબઈ જવા રવાના થઈ ગયા છે.

મરાઠાઓનું આંદોલન સમેટાયું
મરાઠાઓનું આંદોલન સમેટાયું
  • Navi Mumbai, Maharashtra: Maratha Reservation activist Manoj Jarange Patil says, "Chief Minister Eknath Shinde has done a good job. Our protest is now over. Our request has been accepted. We will accept the letter from him. I will drink juice by the hands of the Chief Minister… pic.twitter.com/TAhS6ZANKj

    — ANI (@ANI) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું હતી મનોજ જરાંગે પાટીલની માંગ? : મનોજ જરાંગે એવી માગણી કરી હતી કે અંતરવલી સહિત મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે. તેમનો સરકારી આદેશ પત્ર તેમને બતાવવામાં આવે, જ્યાં સુધી આરક્ષણ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી મરાઠા સમુદાયના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે. આ સાથે સરકારી ભરતીમાં મરાઠાઓ માટે અનામત ક્વોટા રાખવો જોઈએ. અમને કુણબી રેકોર્ડ શોધવામાં મદદની જરૂર છે. પુરવાર થયાં બાદ તમામ લાગતા-વળગતા લોકોને પ્રમાણપત્રો આપવા જોઈએ. આ ઉપરાંત, સંબંધીઓ માટે પણ વટહુકમ પસાર કરવો જોઈએ.

મરાઠાઓનું આંદોલન સમેટાયું
મરાઠાઓનું આંદોલન સમેટાયું
  • #WATCH | Navi Mumbai: Amid a huge crowd of supporters, Maratha reservation activist Manoj Jarange Patil ends his fast in the presence of Maharashtra CM Eknath Shinde, after the state government accepted all demands. pic.twitter.com/NBuMRawZDb

    — ANI (@ANI) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સારું કામ કર્યું છેઃ સરકારે માગણીઓ સ્વીકાર્યા બાદ મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી વિનંતી સ્વીકારવામાં આવી છે. આજે સવારે તેઓ મુખ્યમંત્રીના હસ્તે ભૂખ હડતાલ સમાપ્ત કરવા જઈ રહ્યા છે.

  • #WATCH | Maharashtra CM Eknath Shinde and Maratha quota activist Manoj Jarange Patil together garland the statue of Chhatrapati Shivaji Maharaj in Navi Mumbai

    Patil is ending his fast today after the state government accepted the demands. pic.twitter.com/CxI3FPez0Z

    — ANI (@ANI) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. India-France Partnership :ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એકીકરણને વધુ ગાઢ બનાવવા માટે થયાં સંમત
  2. Gang rape of a minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.