ETV Bharat / bharat

Land For Job Scam: તેજસ્વી યાદવને EDનું તેડું, લેન્ડ ફોર જોબ મામલે થશે પુછપરછ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 10:54 AM IST

બિહારમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે અને તેજસ્વી યાદવ સરકારમાંથી બહાર થઈ ગયાં છે. NDA સરકાર બન્યાના બીજા જ દિવસે EDએ લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વીને પૂછપરછ માટે બોલાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર

તેજસ્વી યાદવને EDનું તેડુ
તેજસ્વી યાદવને EDનું તેડુ

પટનાઃ બિહારમાં ફરી એકવાર NDAની સરકાર બની છે. સત્તા પરિવર્તન થયાંના બીજા જ દિવસે તેજસ્વી યાદવને EDનો ફોન આવ્યો. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, EDએ તેજસ્વી યાદવને પૂર્વ નિર્ધારિત તારીખ મુજબ બોલાવ્યા છે. પરંતુ એવા અહેવાલો છે કે આજે પણ તેજસ્વી ED સમક્ષ હાજર નહીં થાય.

EDએ 19 જાન્યુઆરીએ આપ્યું હતું સમન્સઃ આપને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ ED અધિકારી રાબડી દેવીના નિવાસે ગયા હતા અને ત્રીજું સમન્સ પાઠવ્યું હતું. આ સમન્સ અનુસાર 29 જાન્યુઆરીએ તેજસ્વી યાદવની અને 30 જાન્યુઆરીએ લાલુ યાદવની પૂછપરછ થવાની છે. વાસ્તવમાં, વારંવાર ફોન કરવા છતાં તેજસ્વી કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. આવી સ્થિતિમાં EDએ સમન્સ મોકલીને હાજર થવા માટે કહ્યું છે.

તેજસ્વી યાદવને EDનું ત્રીજું સમન્સ: ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. એવા અહેવાલો છે કે આ વખતે પણ તે ED સમક્ષ હાજર નહીં થાય. આપને જણાવી દઈએ કે આ પહેલા 22 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

'આ બધું ચાલુ રહેશે - તેજસ્વી': પ્રથમ સમન્સ પછી, તેજસ્વીએ કહ્યું હતું કે આ રૂટિન બની ગયું છે. ' ઇડી, સીબીઆઈ જે કોઈ બોલાવે છે, અમે જતા રહીએ છીએ. આ બધું ચાલુ જ રહેશે. ત્રીજા સમન્સ પર કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે સમય માંગી શકે છે. અને આ વખતે પણ તે EDના કોલ પર નહીં જાય.

જમીનના બદલામાં નોકરી: રેલ્વેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ ચૌદ વર્ષ જૂનું છે. તે દરમિયાન લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા. સીબીઆઈની ચાર્જશીટ મુજબ રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈએ દરોડા પાડીને લાલુ પરિવાર અને તેમના નજીકના લોકો સામે કાર્યવાહી કરી હતી. લાલુના હનુમાન તરીકે ઓળખાતા ભોલા યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બિહારમાં સત્તાથી દૂર થયાં તેજસ્વીઃ આપને જણાવી દઈએ કે બિહારમાં NDAની સરકાર બની ગઈ છે. આવી સ્થિતિમાં, આરજેડી નેતાઓ માટે ED અને CBI જેવી સ્વતંત્ર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવો સ્વાભાવિક છે. સત્તા ગુમાવ્યા બાદ તેજસ્વીની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ તેણે કહ્યું છે કે 'ખેલ તો હજી શરૂ થયો છે, 2024માં જેડીયુનો નાશ થશે.

  1. Nitish Cabinet Meeting: આજે નીતિશ કેબિનેટની પ્રથમ બેઠક, વિધાનસભાનું સત્ર બોલાવવાના પ્રસ્તાવ લાગશે મંજુરીની મહોર
  2. Rahul Gandhi bharat jodo nyay yatra: બિહાર પહોંચી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'

પટનાઃ બિહારમાં ફરી એકવાર NDAની સરકાર બની છે. સત્તા પરિવર્તન થયાંના બીજા જ દિવસે તેજસ્વી યાદવને EDનો ફોન આવ્યો. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, EDએ તેજસ્વી યાદવને પૂર્વ નિર્ધારિત તારીખ મુજબ બોલાવ્યા છે. પરંતુ એવા અહેવાલો છે કે આજે પણ તેજસ્વી ED સમક્ષ હાજર નહીં થાય.

EDએ 19 જાન્યુઆરીએ આપ્યું હતું સમન્સઃ આપને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ ED અધિકારી રાબડી દેવીના નિવાસે ગયા હતા અને ત્રીજું સમન્સ પાઠવ્યું હતું. આ સમન્સ અનુસાર 29 જાન્યુઆરીએ તેજસ્વી યાદવની અને 30 જાન્યુઆરીએ લાલુ યાદવની પૂછપરછ થવાની છે. વાસ્તવમાં, વારંવાર ફોન કરવા છતાં તેજસ્વી કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. આવી સ્થિતિમાં EDએ સમન્સ મોકલીને હાજર થવા માટે કહ્યું છે.

તેજસ્વી યાદવને EDનું ત્રીજું સમન્સ: ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. એવા અહેવાલો છે કે આ વખતે પણ તે ED સમક્ષ હાજર નહીં થાય. આપને જણાવી દઈએ કે આ પહેલા 22 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

'આ બધું ચાલુ રહેશે - તેજસ્વી': પ્રથમ સમન્સ પછી, તેજસ્વીએ કહ્યું હતું કે આ રૂટિન બની ગયું છે. ' ઇડી, સીબીઆઈ જે કોઈ બોલાવે છે, અમે જતા રહીએ છીએ. આ બધું ચાલુ જ રહેશે. ત્રીજા સમન્સ પર કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે સમય માંગી શકે છે. અને આ વખતે પણ તે EDના કોલ પર નહીં જાય.

જમીનના બદલામાં નોકરી: રેલ્વેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ ચૌદ વર્ષ જૂનું છે. તે દરમિયાન લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા. સીબીઆઈની ચાર્જશીટ મુજબ રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નોકરીના બદલામાં જમીન લેવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈએ દરોડા પાડીને લાલુ પરિવાર અને તેમના નજીકના લોકો સામે કાર્યવાહી કરી હતી. લાલુના હનુમાન તરીકે ઓળખાતા ભોલા યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બિહારમાં સત્તાથી દૂર થયાં તેજસ્વીઃ આપને જણાવી દઈએ કે બિહારમાં NDAની સરકાર બની ગઈ છે. આવી સ્થિતિમાં, આરજેડી નેતાઓ માટે ED અને CBI જેવી સ્વતંત્ર એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવો સ્વાભાવિક છે. સત્તા ગુમાવ્યા બાદ તેજસ્વીની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ તેણે કહ્યું છે કે 'ખેલ તો હજી શરૂ થયો છે, 2024માં જેડીયુનો નાશ થશે.

  1. Nitish Cabinet Meeting: આજે નીતિશ કેબિનેટની પ્રથમ બેઠક, વિધાનસભાનું સત્ર બોલાવવાના પ્રસ્તાવ લાગશે મંજુરીની મહોર
  2. Rahul Gandhi bharat jodo nyay yatra: બિહાર પહોંચી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.