ETV Bharat / bharat

અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જાતે કરી દલીલ, ED પર ઉઠાવ્યા સવાલ,ન્યાયાધીશે ટોક્યા. વાંચો બીજું શું થયું - Delhi excise policy scam

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 9:57 PM IST

અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા છે. ગુરુવારે થયેલી સુનાવણીની ખાસ વાત એ હતી કે કેજરીવાલે જાતે પોતાની દલીલો રજૂ કરી હતી. આવો જાણીએ કઈ કયા પક્ષ તરફથી શું કહેવામાં આવ્યું.

excise policy scam
excise policy scam

નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી છે. અગાઉ સુનાવણીમાં ED તરફથી હાજર રહેલા વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને તેઓ સીધા જવાબો આપી રહ્યા નથી. તેમણે ઘણા લોકોનો આમનો સામનો કરવો પડશે. અમારી પાસે એવા દસ્તાવેજો છે કે ગોવાની ચૂંટણીમાં હવાલા દ્વારા લાંચના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેજરીવાલ જે પૈસા ભાજપને આપવાનો આરોપ લગાવી રહ્યા છે તેને દારૂ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી.

અરવિંદ કેજરીવાલે શું કહ્યું: કોર્ટમાં હાજર થતા પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જનતા તેનો જવાબ આપશે. તે જ સમયે, સુનાવણી દરમિયાન કેજરીવાલે પોતે કોર્ટ સમક્ષ પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું કે અસલી કૌભાંડ તો EDની તપાસ બાદ શરૂ થયું. EDના બે ઉદ્દેશ્ય હતા, એક આમ આદમી પાર્ટીનો નાશ કરવાનો અને લોકો વચ્ચે એવુ વાતાવરણ ઉભુ કરવાનુ કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ છે. EDનો બીજો ઉદ્દેશ્ય નાણાંની ઉચાપત કરવાનો છે. આ કેસમાં શરદ રેડ્ડીએ ધરપકડ બાદ ભાજપને 55 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ તરીકે આપ્યા હતા, ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા.

મને બળજબરીથી જેલમાં રાખીને મારી વિરુદ્ધ નિવેદન મેળવ્યું હતું: તેમણે કહ્યું હતું કે કોઈપણ અદાલતે મને દોષિત ઠેરવ્યો નથી અને ED ઈચ્છે તો મને કોઈપણ કસ્ટડીમાં રાખી શકે છે. ED અને CBIએ હજારો પાનાનો રિપોર્ટ દાખલ કર્યો. જો તમે બધા કાગળો વાંચશો તો તમને પણ લાગશે કે મારી ધરપકડ કેમ કરવામાં આવી. મારું નામ માત્ર ચાર જગ્યાએ આવ્યું છે. શું અમુક નિવેદનો મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે?

જમીન અમારી નથી: કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે એક દિવસ જગન મોહન રેડ્ડીની પાર્ટીના સાંસદ મગુંતા શ્રીનિવાસ રેડ્ડી મને મળવા આવ્યા. તેમણે કહ્યું કે હું સાંસદ છું. હું દિલ્હીમાં મારા પરિવારના નામે ટ્રસ્ટ બનાવવા માંગુ છું. મારે જમીન જોઈએ છે. મેં તેમને કહ્યું કે અહીં જમીન અમારી નથી, એલજી સાહેબ પાસે છે. તમે પત્ર છોડી જાઓ હું એલજી સાહેબને મોકલી આપીશ.

કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આવતા જ રાઘવને જામીન: આ પછી EDએ તેમના પુત્ર રાઘવ મગુંટાની ધરપકડ કરી હતી. આ પછી ઘણી વખત બંનેના નિવેદન લેવામાં આવ્યા, પરંતુ તેઓએ મારા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નહીં. રાઘવ મગુંટા મારી વિરુદ્ધ નિવેદન ન આપે ત્યાં સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. મારા વિરુદ્ધ નિવેદન આવતા જ રાઘવને જામીન મળી ગયા અને માફી પણ મળી ગઈ.

EDની તપાસમાં કૌભાંડઃ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ન તો પોલિસી બનાવવામાં અને ન તો પોલિસીના અમલમાં કૌભાંડ થયું છે. આ કૌભાંડની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. આ પછી કેજરીવાલ વતી વકીલ રમેશ ગુપ્તાએ બોલવાનું શરૂ કર્યું, જેના પર કોર્ટે કહ્યું કે તમારા અસીલે તેમની દલીલો રજૂ કરી છે. ત્યારે તેમણે કહ્યું કે હા, હું પણ મારી દલીલ પણ રજૂ કરવા માંગુ છું. મને દલીલો કરવાનો અધિકાર છે અને મને આમ કરવાથી કેવી રીતે રોકી શકાય?

તપાસમાં સહકાર આપવા તૈયાર: તેમણે કહ્યુ કે શું ભાજપને આપવામાં આવેલા ચૂંટણી બોન્ડ આ કેસ સાથે સંબંધિત છે તે સાચું નથી. કોર્ટે તેની નોંધ લેવી જોઈએ અને તપાસનો આદેશ આપવો જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે EDના રિમાન્ડ પર વિચાર કરવાનું મારું કામ છે. આ પછી રમેશ ગુપ્તાએ કહ્યું કે અમે તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ, પરંતુ કસ્ટડીની માંગનો વિરોધ કરીએ છીએ.

કેજરીવાલ પત્ની અને પુત્રને મળ્યાઃ કેજરીવાલ તેમની પત્ની, પુત્રી અને પુત્રને પણ કોર્ટ રૂમમાં મળ્યા હતા. કેજરીવાલની હાજરી પહેલા જ તેમની સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય, આતિશી અને સૌરભ ભારદ્વાજ કોર્ટ રૂમમાં પહોંચી ગયા હતા. આ પછી કોર્ટ રૂમમાં કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદ અને ઘણા ધારાસભ્યો પણ હાજર હતા.

પૂછપરછ બાદ ધરપકડ: નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી ગુરુવારે સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા 21 માર્ચે દિલ્હી હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવામાં ન આવતા EDએ 21 માર્ચે જ પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. બીજી તરફ ગુરુવારે જ હાઈકોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

  1. દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસને ફટકો, ITની કાર્યવાહી સામે દાખલ અરજી ફગાવી - delhi high court congress plea
  2. કેજરીવાલના રિમાન્ડ અંગે નિર્ણય સુરક્ષિત, પરિવારને મળવાની પરવાનગી - Liquor Policy Case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.