ETV Bharat / bharat

કેજરીવાલે ઈડી કસ્ટડીમાંથી 2 સરકારી આદેશ આપતા ઘમાસાણ મચ્યું, શું બંધારણીય કટોકટી ઊભી થઈ શકે છે? - Arvind Kejariwal

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 10:09 PM IST

કેજરીવાલે ઈડી કસ્ટડીમાંથી 2 સરકારી આદેશ આપતા ઘમાસાણ મચ્યું
કેજરીવાલે ઈડી કસ્ટડીમાંથી 2 સરકારી આદેશ આપતા ઘમાસાણ મચ્યું

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાં પાણી અને ગટર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આદેશ જારી કર્યો છે. આ પછી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ધરપકડ થવા છતાં કેજરીવાલ મુખ્યપ્રધાન તરીકે રહી શકશે? શું તેઓ કસ્ટડીમાં હોય ત્યારે આદેશો જારી કરી શકે છે? વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Arvind Kejariwal ED Order From Custody CM Delhi Govt

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ લીકર પોલિસી કેસમાં EDની કસ્ટડીમાં છે. 28 માર્ચે ED તેમને ફરીથી રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. કોર્ટ તેમને કસ્ટડીમાં રાખવા કે તિહાર જેલમાં મોકલવા તે નિર્ણય કરશે. હજુ સુધી તેમણે રાજીનામું આપ્યું નથી. તેમણે ED કસ્ટડીમાંથી જ 2 ઓર્ડર કર્યા છે. આ ઘટનાથી સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જેલમાં રહીને કોમ્પ્યુટર અને સરકારી લેટર હેડ વગર કોઈ પ્રિન્ટેડ ઓર્ડર કેવી રીતે આપી શકે?

સૌરભ ભારદ્વાજની પ્રેસ કોન્ફરન્સઃ સૂત્રો અનુસાર ED આ મામલાની તપાસ કરી રહી છે અને રવિવારે અરવિંદ કેજરીવાલના નામથી પહેલો આદેશ કરવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના પ્રધાન આતિષીએ જે આદેશ જાહેર કર્યો તે નકલી નથી. મંગળવારે દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે પણ મુખ્યપ્રધાનના નિર્દેશોનો ઉલ્લેખ કરીને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જો કે તેમણે મુખ્યપ્રધાન તરફથી મળેલો કોઈ પત્ર જાહેર કર્યો નહતો.

ભાજપનો આરોપઃ ભાજપના વરિષ્ઠ નેતા મનજિંદર સિંહ સિરસાએ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, માહિતી મળી છે કે જે લોકો પાસે દારૂ કૌભાંડ સાથે જોડાયેલા પૈસા છે તેમને પણ દેશ છોડવા માટે કહેવામાં આવી રહ્યું છે. તપાસ થવી જોઈએ કે આ પત્ર વગેરે કેવી રીતે બહાર આવી રહ્યા છે?

જેલમાંથી ગાઈડલાઈન જાહેર કરી શકાયઃ દિલ્હી સરકારના નિવૃત્ત વરિષ્ઠ વહીવટી અધિકારી અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ઉમેશ સાયગલનું કહેવું છે કે, તેઓ કેવી રીતે લેખિત સૂચનાઓ આપી રહ્યા છે, પરંતુ મુખ્યપ્રધાન તરીકે તેઓ આવી સૂચનાઓ જારી કરી શકે છે. આ કોઈ નાણાંકીય હુકમ નથી. આ એક માર્ગદર્શિકા છે. જે કેજરીવાલ જારી કરી શકે છે. જે રીતે મુખ્યપ્રધાનની ધરપકડ કરવામાં આવી અને હજુ પણ કસ્ટડીમાં છે, તેનાથી દિલ્હી સરકારના કામકાજમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. દિલ્હીમાં સરકાર ચલાવવા માટે બનાવવામાં આવેલા નવા કાયદાને કારણે મુખ્યપ્રધાનની ધરપકડ બાદ બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે.

નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીઃ ઉમેશ સાયગલે કહ્યું કે, દિલ્હી સરકાર માટે નવો કાયદો બનાવવામાં આવ્યો છે. તેના અંતર્ગત નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. મુખ્યપ્રધાનને તેના વડા બનાવાયા છે. આ 3 સભ્યોની સત્તામાં મુખ્યપ્રધાન ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ સચિવનો સમાવેશ થાય છે. દિલ્હીમાં ગ્રુપ A, ગ્રુપ B અને ડેનિક્સ કેડરના અધિકારીઓ સામે કોઈપણ કાર્યવાહી અથવા ટ્રાન્સફર વગેરે આ ઓથોરિટી દ્વારા મંજૂરી આપ્યા બાદ જ લઈ શકાય છે.

બંધારણીય કટોકટીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં કસ્ટડીમાં છે અને જો તેઓ જેલમાં જશે તો આ સત્તામંડળની બેઠક યોજી શકાય નહીં. આવી સ્થિતિમાં બંધારણીય કટોકટી સર્જાવાની શક્યતાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી સરકારના કામકાજથી સંબંધિત કોઈપણ વહીવટી નિર્ણયો અથવા નાણાકીય આદેશો જારી કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. જો કોર્ટ તેની સંમતિ આપે તો જ મુખ્યપ્રધાન તેના પર નિર્ણય લઈ શકે છે. આ બધું પ્રાયોગિક રીતે મુશ્કેલ છે. તેથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

  1. રિમાન્ડના આદેશ વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યાં કેજરીવાલ, તાત્કાલિક સુનાવણી માંગ ફગાવાઈ - KEJRIWAL CHALLENGES ED REMAND In HC
  2. અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી પહેલો આદેશ જારી કર્યો, જળ મંત્રી આતિશીએ જણાવી સમગ્ર વાત - Kejriwal First Order From Custody
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.