ETV Bharat / bharat

Padmashree Award: ભારતની પ્રથમ મહિલા મહાવત પાર્બતી બરુઆની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 8:10 PM IST

આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાકનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ના 110 પદ્મશ્રી એવોર્ડ વિજેતાની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાંથી એક છે પશુ સંરક્ષણવાદી પાર્બતી બરુઆ. આ મહિલા પ્રથમ હાથીને કેળવનાર અને ચલાવનાર પ્રથમ મહિલા મહાવત છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 26 January Padmashree Award Parbati Baruah India's first female maut

ભારતની પ્રથમ મહિલા મહાવત પાર્બતી બરુઆની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ
ભારતની પ્રથમ મહિલા મહાવત પાર્બતી બરુઆની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ

દિસપુરઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2024ના પદ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજેતામાં પાર્બતી બરુઆનું પણ નામ છે. પાર્બતી બરુઆ હાથીઓની પ્રથમ મહિલા મહાવત છે. પાર્બતી બરુઆને લોકો પ્રેમથી હસ્તિર કન્યા(હાથીની દીકરી) તરીકે ઓળખે છે. તેમણે સામાજિક કલ્યાણ(પશુ કલ્યાણ) માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 67 વર્ષીય પાર્બતી બરુઆની વન્ય જીવો પ્રત્યેની કરુણા અને નિઃસ્વાર્થ સેવાને સરકારે સન્માન આપ્યું છે. પાર્બતી બરુઆ સાથે આસામના અન્ય 2 મહાનુભાવોની પણ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

પાર્બતી બરુઆનો જન્મ આસામના શાહી પરિવારમાં થયો હતો. પહેલાના વર્ષોમાં હાથીના માલિક હોવું તે ધનવાન હોવાની નિશાની ગણાતી હતી. પાર્બતીને નાનપણથી જ હાથી પ્રત્યે લગાવ હતો. તેણીએ પોતાના જીવનનો મોટો ભાગ હાથીઓના પ્રશિક્ષણ અને પાલનમાં જ વીતાવ્યો છે. 14 વર્ષની ઉંમરે તેમના સ્વર્ગસ્થ પિતા પ્રકૃતિશ ચંદ્ર બરુઆએ હાથીઓના પ્રશિક્ષણથી પાર્બતીનો પરિચય કરાવવાનું શરુ કર્યુ. તે જમાનામાં શાહી પરિવાર પાસે 40 હાથી હતા.

પાર્બતી બરુઆ હાથીઓ સાથે સંકળાયેલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તેમણે 14 વર્ષની ઉંમરે જ એક હાથીના બચ્ચાને ઘરે લાવી. લાલન પાલન કરી ઉછેર્યો હતો. પાર્બતી બરુઆએ આસામ અને ઉત્તર બંગાળના જંગલોમાંથી 14 હાથીઓને પાળતુ બનાવ્યા હતા. પાર્બતીએ હાથીઓની દેખરેખ અને સારવારમાં સતત વન અધિકારીઓની મદદ કરી છે.

પાર્બતી બરુઆ માર્ચ 2000માં હાથી જનગણના માટે વન વિભાગના કર્મચારીઓની ખૂબ મદદ કરી હતી. પાર્બતી બરુઆના હાથી સંરક્ષણ કાર્યના યોગદાન માટે 1989માં યુએનઈપી એવોર્ડ, ગ્લોબલ 500-રોલ ઓફ ઓનર એવોર્ડ મળ્યો હતો. આસામ સરકારે 11મી જાન્યુઆરી 2003ના રોજ હાથીઓ માટે તેમના આજીવન કાર્યપ્રદાન બદલ આસામના માનદ મુખ્ય હાથી વોર્ડનના રુપે સન્માન કર્યુ હતું.

પાર્બતી બરુઆએ અંગ્રેજી, બંગાળી અને આસમી હાથીઓ પર અનેક લોકપ્રિય લેખો અને રિસર્ચ પેપર્સમાં યોગદાન આપ્યું છે. પાર્બતી બરુઆ ગોલપારન લોકનૃત્યના કલાકાર પણ છે. તેમણે ભારતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. તેઓ આઈસીયુએનના એશિયાઈ હાથી વિશેષજ્ઞ સમૂહના સભ્ય છે. તેમજ આસામ સરકારની માનવ-હાથી સંઘર્ષ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.

જ્યારે બીબીસી દ્વારા પાર્બતી બરુઆ પર ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી ત્યારે તેમને બહુ પ્રસિદ્ધિ મળી. આ પ્રસિદ્ધિ ડોક્યૂમેન્ટ્રી હતી ક્વીન ઓફ એલીફન્ટ્સ. તેમણે માર્ક શૈંડને પુસ્તક લખવામાં પણ મદદ કરી હતી. હાથી સંરક્ષણમાં તેમના અતૂટ દ્રઢ સંકલ્પ અને મહત્વપૂર્ણ યોગદાનને લીધે 67 વર્ષે તેણીને પદ્મશ્રી એવોર્ડ મેળવી આપ્યો છે.

  1. Padmashree Award: આદિવાસીઓમાં સિકલસેલ રોગની 45 વર્ષથી સારવાર કરતા ડૉ. યઝદી ઈટાલિયાની પદ્મશ્રી માટે પસંદગી
  2. Padma Shri Award: પદ્મશ્રી મળવા પર હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી પર શુભેચ્છાનો વરસાદ

દિસપુરઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2024ના પદ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજેતામાં પાર્બતી બરુઆનું પણ નામ છે. પાર્બતી બરુઆ હાથીઓની પ્રથમ મહિલા મહાવત છે. પાર્બતી બરુઆને લોકો પ્રેમથી હસ્તિર કન્યા(હાથીની દીકરી) તરીકે ઓળખે છે. તેમણે સામાજિક કલ્યાણ(પશુ કલ્યાણ) માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 67 વર્ષીય પાર્બતી બરુઆની વન્ય જીવો પ્રત્યેની કરુણા અને નિઃસ્વાર્થ સેવાને સરકારે સન્માન આપ્યું છે. પાર્બતી બરુઆ સાથે આસામના અન્ય 2 મહાનુભાવોની પણ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

પાર્બતી બરુઆનો જન્મ આસામના શાહી પરિવારમાં થયો હતો. પહેલાના વર્ષોમાં હાથીના માલિક હોવું તે ધનવાન હોવાની નિશાની ગણાતી હતી. પાર્બતીને નાનપણથી જ હાથી પ્રત્યે લગાવ હતો. તેણીએ પોતાના જીવનનો મોટો ભાગ હાથીઓના પ્રશિક્ષણ અને પાલનમાં જ વીતાવ્યો છે. 14 વર્ષની ઉંમરે તેમના સ્વર્ગસ્થ પિતા પ્રકૃતિશ ચંદ્ર બરુઆએ હાથીઓના પ્રશિક્ષણથી પાર્બતીનો પરિચય કરાવવાનું શરુ કર્યુ. તે જમાનામાં શાહી પરિવાર પાસે 40 હાથી હતા.

પાર્બતી બરુઆ હાથીઓ સાથે સંકળાયેલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તેમણે 14 વર્ષની ઉંમરે જ એક હાથીના બચ્ચાને ઘરે લાવી. લાલન પાલન કરી ઉછેર્યો હતો. પાર્બતી બરુઆએ આસામ અને ઉત્તર બંગાળના જંગલોમાંથી 14 હાથીઓને પાળતુ બનાવ્યા હતા. પાર્બતીએ હાથીઓની દેખરેખ અને સારવારમાં સતત વન અધિકારીઓની મદદ કરી છે.

પાર્બતી બરુઆ માર્ચ 2000માં હાથી જનગણના માટે વન વિભાગના કર્મચારીઓની ખૂબ મદદ કરી હતી. પાર્બતી બરુઆના હાથી સંરક્ષણ કાર્યના યોગદાન માટે 1989માં યુએનઈપી એવોર્ડ, ગ્લોબલ 500-રોલ ઓફ ઓનર એવોર્ડ મળ્યો હતો. આસામ સરકારે 11મી જાન્યુઆરી 2003ના રોજ હાથીઓ માટે તેમના આજીવન કાર્યપ્રદાન બદલ આસામના માનદ મુખ્ય હાથી વોર્ડનના રુપે સન્માન કર્યુ હતું.

પાર્બતી બરુઆએ અંગ્રેજી, બંગાળી અને આસમી હાથીઓ પર અનેક લોકપ્રિય લેખો અને રિસર્ચ પેપર્સમાં યોગદાન આપ્યું છે. પાર્બતી બરુઆ ગોલપારન લોકનૃત્યના કલાકાર પણ છે. તેમણે ભારતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. તેઓ આઈસીયુએનના એશિયાઈ હાથી વિશેષજ્ઞ સમૂહના સભ્ય છે. તેમજ આસામ સરકારની માનવ-હાથી સંઘર્ષ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.

જ્યારે બીબીસી દ્વારા પાર્બતી બરુઆ પર ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી ત્યારે તેમને બહુ પ્રસિદ્ધિ મળી. આ પ્રસિદ્ધિ ડોક્યૂમેન્ટ્રી હતી ક્વીન ઓફ એલીફન્ટ્સ. તેમણે માર્ક શૈંડને પુસ્તક લખવામાં પણ મદદ કરી હતી. હાથી સંરક્ષણમાં તેમના અતૂટ દ્રઢ સંકલ્પ અને મહત્વપૂર્ણ યોગદાનને લીધે 67 વર્ષે તેણીને પદ્મશ્રી એવોર્ડ મેળવી આપ્યો છે.

  1. Padmashree Award: આદિવાસીઓમાં સિકલસેલ રોગની 45 વર્ષથી સારવાર કરતા ડૉ. યઝદી ઈટાલિયાની પદ્મશ્રી માટે પસંદગી
  2. Padma Shri Award: પદ્મશ્રી મળવા પર હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી પર શુભેચ્છાનો વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.