અમદાવાદઃ શિવાનંદ આશ્રમથી સ્વામી અધ્યાત્માનંદજી દ્વારા ઈટીવીના માધ્યમથી ચાલી રહેલા યોગાભ્યાસના આ આઠમાં વર્ગમાં સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવાયુ છે. તેમણે જણાવ્યુ હતું કે, વશિષ્ઠ ઋષિએ પણ ભગવાન રામને સૂર્ય નમસ્કાર કરવા કહ્યુ હતું. સ્વામી અધ્યાત્માનંદજીએ સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત અને તેનાથી થતાં ફાયદા અંગે વાત કરી હતી.